પંજાબ પોલીસે કરી અમૃત પાલની ધરપકડ! આવતી કાલ સુધી પંજાબમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By :
  • Published Date : 2023-03-18 18:45:32

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ પોલીસે અમૃતપાલસિંહ સહીત તેના 6 સાથીઓની જલંઘરના શાહકોટ મલસિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને લઈ આવતી કાલ બપોર સુધી અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો  

અમૃતપાલ સિંહ અંગે વાત કરીએ તો અમૃતસર જિલ્લાના ખેડા ગામનો નિવાસી છે. 2022માં દુબઈથી ભારત પરત ફર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જ તેમને ખાલિસ્તાની સમર્થક દીપ સિદ્ધુના સંગઠન વીરિસ પંજાબ દેના પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 23 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા હજારો લોકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ લોકો સંગઠનના વડા અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત સિંહ તુફાની ધરપકડ વિરોધ કર્યો હતો. તેમના હુમલાના દબાણને કારણે પંજાબ પોલીસે આરોપીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

        


અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ    

પંજાબ પોલીસ અમૃતસિંહ પાલની ધરપકડ કરવાની તૈયારીઓ ઘણા સમયથી કરી રહી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર અમૃતસિંહ પાલની ધરપકડ આજે કરી લેવામાં આવી છે. જલંધરના શાહકોટ માલસિયામાંથી કરી લેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પોતે અન્ય કારમાં ફરાર થઈ રહ્યો હતો જે દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો અને તેને ઝડપી લીધો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીને અંજામ જલંધર અને મોગા પોલીસે સાથે મળીને આપ્યો હતો. અમૃતસિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 જેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.