પંજાબ પોલીસે કરી અમૃત પાલની ધરપકડ! આવતી કાલ સુધી પંજાબમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:45:32

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ પોલીસે અમૃતપાલસિંહ સહીત તેના 6 સાથીઓની જલંઘરના શાહકોટ મલસિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને લઈ આવતી કાલ બપોર સુધી અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો  

અમૃતપાલ સિંહ અંગે વાત કરીએ તો અમૃતસર જિલ્લાના ખેડા ગામનો નિવાસી છે. 2022માં દુબઈથી ભારત પરત ફર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જ તેમને ખાલિસ્તાની સમર્થક દીપ સિદ્ધુના સંગઠન વીરિસ પંજાબ દેના પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 23 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા હજારો લોકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ લોકો સંગઠનના વડા અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત સિંહ તુફાની ધરપકડ વિરોધ કર્યો હતો. તેમના હુમલાના દબાણને કારણે પંજાબ પોલીસે આરોપીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

        


અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ    

પંજાબ પોલીસ અમૃતસિંહ પાલની ધરપકડ કરવાની તૈયારીઓ ઘણા સમયથી કરી રહી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર અમૃતસિંહ પાલની ધરપકડ આજે કરી લેવામાં આવી છે. જલંધરના શાહકોટ માલસિયામાંથી કરી લેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પોતે અન્ય કારમાં ફરાર થઈ રહ્યો હતો જે દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો અને તેને ઝડપી લીધો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીને અંજામ જલંધર અને મોગા પોલીસે સાથે મળીને આપ્યો હતો. અમૃતસિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 જેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.    




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...