પંજાબ પોલીસે કરી અમૃત પાલની ધરપકડ! આવતી કાલ સુધી પંજાબમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:45:32

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ પોલીસે અમૃતપાલસિંહ સહીત તેના 6 સાથીઓની જલંઘરના શાહકોટ મલસિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને લઈ આવતી કાલ બપોર સુધી અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો  

અમૃતપાલ સિંહ અંગે વાત કરીએ તો અમૃતસર જિલ્લાના ખેડા ગામનો નિવાસી છે. 2022માં દુબઈથી ભારત પરત ફર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જ તેમને ખાલિસ્તાની સમર્થક દીપ સિદ્ધુના સંગઠન વીરિસ પંજાબ દેના પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 23 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા હજારો લોકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ લોકો સંગઠનના વડા અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત સિંહ તુફાની ધરપકડ વિરોધ કર્યો હતો. તેમના હુમલાના દબાણને કારણે પંજાબ પોલીસે આરોપીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

        


અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ    

પંજાબ પોલીસ અમૃતસિંહ પાલની ધરપકડ કરવાની તૈયારીઓ ઘણા સમયથી કરી રહી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર અમૃતસિંહ પાલની ધરપકડ આજે કરી લેવામાં આવી છે. જલંધરના શાહકોટ માલસિયામાંથી કરી લેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પોતે અન્ય કારમાં ફરાર થઈ રહ્યો હતો જે દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો અને તેને ઝડપી લીધો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીને અંજામ જલંધર અને મોગા પોલીસે સાથે મળીને આપ્યો હતો. અમૃતસિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 જેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.    




ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.