કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા લંડન પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રા બાદ રાહુલે બદલ્યો લૂક


  • Published By :
  • Published Date : 2023-03-01 11:35:54

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના લુકને લઈ અનેક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીનો લુક ચર્ચામાં આવ્યો છે. રાહુલ ગાંધી હાલ લંડનના પ્રવાસે છે. સાત દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. તે પહેલા રાહુલના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં તેમણે દાઢી કપાવી દીધી છે. એક ચાહકે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફેને રાહુલ ગાંધી સાથેની સેલ્ફી શેર કરી છે. કહેવાય છે કે રાહુલ બ્રિટન પહોંચ્યા ત્યારનો આ ફોટો છે.


કોટ, ટાઈ અને સેટ કરાયેલી દાઢીમાં દેખાયા રાહુલ ગાંધી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. મંગળવારે 7 દિવસના વિદેશ પ્રવાસ માટે તેઓ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાના અનુભવો શેર કરવાના છે. તે સંબોધન કરે તે પહેલા રાહુલ ગાંધીના નવા લુકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નવા લુક સાથે રાહુલ ગાંધી કેમ્બ્રિજ પહોંચ્યા છે. એક ચાહકે રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધી કોટ, ટાઈ તેમજ સેટ કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા. ઘણા સમય બાદ રાહુલ ગાંધીનો દેખાવ બદલાયેલો જોવા મળ્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી આપશે ભાષણ

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થનારા તેમના ભાષણ અંગે 16 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે હું સ્પિચ આપવા માટે તૈયાર છું. મને ખુશી છે કે મને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. 

કેમ્બ્રિજ જજ સ્કૂલમાંથી રાહુલ ગાંધીનો આ ફોટો પણ સામે આવ્યો છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધી આપી ચૂક્યા છે ભાષણ 

લર્નિંગ ટૂ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી વિષય પર રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી ઉપરાંત ઈન્ડિયા ચાઈના રિલેશન્સ મુદ્દા પર વાત કરશે.  આની પહેલા મે 2022માં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જેમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર બોલવાનું હતું. પોતાના આ ભાષણ દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમના આ ભાષણ પર ભાજપે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.