કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા લંડન પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રા બાદ રાહુલે બદલ્યો લૂક


  • Published By :
  • Published Date : 2023-03-01 11:35:54

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના લુકને લઈ અનેક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીનો લુક ચર્ચામાં આવ્યો છે. રાહુલ ગાંધી હાલ લંડનના પ્રવાસે છે. સાત દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. તે પહેલા રાહુલના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં તેમણે દાઢી કપાવી દીધી છે. એક ચાહકે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફેને રાહુલ ગાંધી સાથેની સેલ્ફી શેર કરી છે. કહેવાય છે કે રાહુલ બ્રિટન પહોંચ્યા ત્યારનો આ ફોટો છે.


કોટ, ટાઈ અને સેટ કરાયેલી દાઢીમાં દેખાયા રાહુલ ગાંધી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. મંગળવારે 7 દિવસના વિદેશ પ્રવાસ માટે તેઓ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાના અનુભવો શેર કરવાના છે. તે સંબોધન કરે તે પહેલા રાહુલ ગાંધીના નવા લુકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નવા લુક સાથે રાહુલ ગાંધી કેમ્બ્રિજ પહોંચ્યા છે. એક ચાહકે રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધી કોટ, ટાઈ તેમજ સેટ કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા. ઘણા સમય બાદ રાહુલ ગાંધીનો દેખાવ બદલાયેલો જોવા મળ્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી આપશે ભાષણ

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થનારા તેમના ભાષણ અંગે 16 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે હું સ્પિચ આપવા માટે તૈયાર છું. મને ખુશી છે કે મને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. 

કેમ્બ્રિજ જજ સ્કૂલમાંથી રાહુલ ગાંધીનો આ ફોટો પણ સામે આવ્યો છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધી આપી ચૂક્યા છે ભાષણ 

લર્નિંગ ટૂ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી વિષય પર રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી ઉપરાંત ઈન્ડિયા ચાઈના રિલેશન્સ મુદ્દા પર વાત કરશે.  આની પહેલા મે 2022માં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જેમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર બોલવાનું હતું. પોતાના આ ભાષણ દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમના આ ભાષણ પર ભાજપે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.