કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા લંડન પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રા બાદ રાહુલે બદલ્યો લૂક


  • Published By :
  • Published Date : 2023-03-01 11:35:54

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના લુકને લઈ અનેક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીનો લુક ચર્ચામાં આવ્યો છે. રાહુલ ગાંધી હાલ લંડનના પ્રવાસે છે. સાત દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. તે પહેલા રાહુલના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં તેમણે દાઢી કપાવી દીધી છે. એક ચાહકે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફેને રાહુલ ગાંધી સાથેની સેલ્ફી શેર કરી છે. કહેવાય છે કે રાહુલ બ્રિટન પહોંચ્યા ત્યારનો આ ફોટો છે.


કોટ, ટાઈ અને સેટ કરાયેલી દાઢીમાં દેખાયા રાહુલ ગાંધી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. મંગળવારે 7 દિવસના વિદેશ પ્રવાસ માટે તેઓ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાના અનુભવો શેર કરવાના છે. તે સંબોધન કરે તે પહેલા રાહુલ ગાંધીના નવા લુકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નવા લુક સાથે રાહુલ ગાંધી કેમ્બ્રિજ પહોંચ્યા છે. એક ચાહકે રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધી કોટ, ટાઈ તેમજ સેટ કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા. ઘણા સમય બાદ રાહુલ ગાંધીનો દેખાવ બદલાયેલો જોવા મળ્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી આપશે ભાષણ

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થનારા તેમના ભાષણ અંગે 16 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે હું સ્પિચ આપવા માટે તૈયાર છું. મને ખુશી છે કે મને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. 

કેમ્બ્રિજ જજ સ્કૂલમાંથી રાહુલ ગાંધીનો આ ફોટો પણ સામે આવ્યો છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધી આપી ચૂક્યા છે ભાષણ 

લર્નિંગ ટૂ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી વિષય પર રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી ઉપરાંત ઈન્ડિયા ચાઈના રિલેશન્સ મુદ્દા પર વાત કરશે.  આની પહેલા મે 2022માં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જેમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર બોલવાનું હતું. પોતાના આ ભાષણ દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમના આ ભાષણ પર ભાજપે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.