કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા લંડન પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રા બાદ રાહુલે બદલ્યો લૂક


  • Published By :
  • Published Date : 2023-03-01 11:35:54

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના લુકને લઈ અનેક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીનો લુક ચર્ચામાં આવ્યો છે. રાહુલ ગાંધી હાલ લંડનના પ્રવાસે છે. સાત દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. તે પહેલા રાહુલના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં તેમણે દાઢી કપાવી દીધી છે. એક ચાહકે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફેને રાહુલ ગાંધી સાથેની સેલ્ફી શેર કરી છે. કહેવાય છે કે રાહુલ બ્રિટન પહોંચ્યા ત્યારનો આ ફોટો છે.


કોટ, ટાઈ અને સેટ કરાયેલી દાઢીમાં દેખાયા રાહુલ ગાંધી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. મંગળવારે 7 દિવસના વિદેશ પ્રવાસ માટે તેઓ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાના અનુભવો શેર કરવાના છે. તે સંબોધન કરે તે પહેલા રાહુલ ગાંધીના નવા લુકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નવા લુક સાથે રાહુલ ગાંધી કેમ્બ્રિજ પહોંચ્યા છે. એક ચાહકે રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધી કોટ, ટાઈ તેમજ સેટ કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા. ઘણા સમય બાદ રાહુલ ગાંધીનો દેખાવ બદલાયેલો જોવા મળ્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી આપશે ભાષણ

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થનારા તેમના ભાષણ અંગે 16 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે હું સ્પિચ આપવા માટે તૈયાર છું. મને ખુશી છે કે મને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. 

કેમ્બ્રિજ જજ સ્કૂલમાંથી રાહુલ ગાંધીનો આ ફોટો પણ સામે આવ્યો છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધી આપી ચૂક્યા છે ભાષણ 

લર્નિંગ ટૂ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી વિષય પર રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી ઉપરાંત ઈન્ડિયા ચાઈના રિલેશન્સ મુદ્દા પર વાત કરશે.  આની પહેલા મે 2022માં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જેમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર બોલવાનું હતું. પોતાના આ ભાષણ દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમના આ ભાષણ પર ભાજપે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.