લોકસભા ચૂંટણી પહેલા જનસંપર્ક વધારવા રાહુલ ગાંધીનો પ્રયાસ! દિલ્હીના બંગાળી માર્કેટ તેમજ ચાંદની ચોકના બજારમાં લીધી પાણીપુરી અને શરબતની મજા


  • Published By :
  • Published Date : 2023-04-19 09:09:54

રાહુલ ગાંધી ઘણા સમયથી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ લોકો સાથે રહી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત સામાન્ય પ્રજાની વચ્ચે રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ મંગળવાર સાંજે દિલ્હીના બંગાળી માર્કેટની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બંગાળી માર્કેટમાં જઈ રાહુલ ગાંધીએ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તે સિવાય ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ત્યાં તેમણે મહોબ્બતનું શરબત નામનું તરબૂચનું શરબત પીધું હતું.  

राहुल बड़े दिनों बाद सफेद टीशर्ट से इतर ब्लू टीशर्ट में नजर आए। तस्वीर में राहुल गोलगप्पे के स्टॉल पर।


मार्केट में राहुल अपने बॉडीगार्ड्स से घिरे रहे, लेकिन लोगों से बेहद करीब से मिले।

चांदनी चौक के प्रसिद्ध मोहब्बत का शर्बत नाम की दुकान पर तरबूज का शर्बत पीने पहुंचे राहुल।

राहुल अक्सर दिल्ली के बाजारों में खान-पान की चीजों का लुत्फ उठाने के लिए जाते हैं।


રાહુલ ગાંધીએ પાણીપુરી તેમજ ચાટનો લીધો આસ્વાદ!

દિલ્હીના બંગાળી માર્કેટમાં તેમણે પાણીપુરી તેમજ ચાટની મજા માણી હતી. તે પછી દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ચાંદની ચોકમાં તેમણે શરબત પીધું હતું. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. લોકોથી ઘેરાયલા રાહુલ ગાંધી નજરે પડ્યા હતા. મહત્વનું છે રાહુલ ગાંધીને જોવા લોકો તેમની આસપાસ ઉમટી પડ્યા હતા.    


કર્ણાટકમાં કરી હતી ચૂંટણીને લઈ બે રેલી 

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેમજ નેતાઓ ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગયા છે. પાર્ટી દ્વારા તેમજ નેતાઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પણ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે ઉપરાંત જનસભાઓ સંબોધી રહ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા બે રેલીઓ કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પાણીપુરીની મજા માણવા દિલ્હીના બંગાળી માર્કેટ પહોંચ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.