લોકસભા ચૂંટણી પહેલા જનસંપર્ક વધારવા રાહુલ ગાંધીનો પ્રયાસ! દિલ્હીના બંગાળી માર્કેટ તેમજ ચાંદની ચોકના બજારમાં લીધી પાણીપુરી અને શરબતની મજા


  • Published By :
  • Published Date : 2023-04-19 09:09:54

રાહુલ ગાંધી ઘણા સમયથી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ લોકો સાથે રહી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત સામાન્ય પ્રજાની વચ્ચે રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ મંગળવાર સાંજે દિલ્હીના બંગાળી માર્કેટની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બંગાળી માર્કેટમાં જઈ રાહુલ ગાંધીએ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તે સિવાય ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ત્યાં તેમણે મહોબ્બતનું શરબત નામનું તરબૂચનું શરબત પીધું હતું.  

राहुल बड़े दिनों बाद सफेद टीशर्ट से इतर ब्लू टीशर्ट में नजर आए। तस्वीर में राहुल गोलगप्पे के स्टॉल पर।


मार्केट में राहुल अपने बॉडीगार्ड्स से घिरे रहे, लेकिन लोगों से बेहद करीब से मिले।

चांदनी चौक के प्रसिद्ध मोहब्बत का शर्बत नाम की दुकान पर तरबूज का शर्बत पीने पहुंचे राहुल।

राहुल अक्सर दिल्ली के बाजारों में खान-पान की चीजों का लुत्फ उठाने के लिए जाते हैं।


રાહુલ ગાંધીએ પાણીપુરી તેમજ ચાટનો લીધો આસ્વાદ!

દિલ્હીના બંગાળી માર્કેટમાં તેમણે પાણીપુરી તેમજ ચાટની મજા માણી હતી. તે પછી દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ચાંદની ચોકમાં તેમણે શરબત પીધું હતું. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. લોકોથી ઘેરાયલા રાહુલ ગાંધી નજરે પડ્યા હતા. મહત્વનું છે રાહુલ ગાંધીને જોવા લોકો તેમની આસપાસ ઉમટી પડ્યા હતા.    


કર્ણાટકમાં કરી હતી ચૂંટણીને લઈ બે રેલી 

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેમજ નેતાઓ ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગયા છે. પાર્ટી દ્વારા તેમજ નેતાઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પણ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે ઉપરાંત જનસભાઓ સંબોધી રહ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા બે રેલીઓ કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પાણીપુરીની મજા માણવા દિલ્હીના બંગાળી માર્કેટ પહોંચ્યા હતા. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.