લોકસભા ચૂંટણી પહેલા જનસંપર્ક વધારવા રાહુલ ગાંધીનો પ્રયાસ! દિલ્હીના બંગાળી માર્કેટ તેમજ ચાંદની ચોકના બજારમાં લીધી પાણીપુરી અને શરબતની મજા


  • Published By :
  • Published Date : 2023-04-19 09:09:54

રાહુલ ગાંધી ઘણા સમયથી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ લોકો સાથે રહી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત સામાન્ય પ્રજાની વચ્ચે રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ મંગળવાર સાંજે દિલ્હીના બંગાળી માર્કેટની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બંગાળી માર્કેટમાં જઈ રાહુલ ગાંધીએ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તે સિવાય ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ત્યાં તેમણે મહોબ્બતનું શરબત નામનું તરબૂચનું શરબત પીધું હતું.  

राहुल बड़े दिनों बाद सफेद टीशर्ट से इतर ब्लू टीशर्ट में नजर आए। तस्वीर में राहुल गोलगप्पे के स्टॉल पर।


मार्केट में राहुल अपने बॉडीगार्ड्स से घिरे रहे, लेकिन लोगों से बेहद करीब से मिले।

चांदनी चौक के प्रसिद्ध मोहब्बत का शर्बत नाम की दुकान पर तरबूज का शर्बत पीने पहुंचे राहुल।

राहुल अक्सर दिल्ली के बाजारों में खान-पान की चीजों का लुत्फ उठाने के लिए जाते हैं।


રાહુલ ગાંધીએ પાણીપુરી તેમજ ચાટનો લીધો આસ્વાદ!

દિલ્હીના બંગાળી માર્કેટમાં તેમણે પાણીપુરી તેમજ ચાટની મજા માણી હતી. તે પછી દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ચાંદની ચોકમાં તેમણે શરબત પીધું હતું. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. લોકોથી ઘેરાયલા રાહુલ ગાંધી નજરે પડ્યા હતા. મહત્વનું છે રાહુલ ગાંધીને જોવા લોકો તેમની આસપાસ ઉમટી પડ્યા હતા.    


કર્ણાટકમાં કરી હતી ચૂંટણીને લઈ બે રેલી 

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેમજ નેતાઓ ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગયા છે. પાર્ટી દ્વારા તેમજ નેતાઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પણ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે ઉપરાંત જનસભાઓ સંબોધી રહ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા બે રેલીઓ કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પાણીપુરીની મજા માણવા દિલ્હીના બંગાળી માર્કેટ પહોંચ્યા હતા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.