રામનવમીના એક દિવસ બાદ પશ્ચિમ બંગાળના હાવડામાં ફરી હિંસા ભડકી, હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી


  • Published By :
  • Published Date : 2023-03-31 15:30:14

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમી નિમિત્તે શોભા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે કોમ સામસામે આવી જતાં ઉગ્ર પથ્થરમારો અને આગચંપી થઈ હતી. આજે ફરી હાવડામાં હિંસાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી અને હાવડાના શિવપુરમાં પથ્થરમારો થયો હતો. આ પહેલા ગુરુવારે ફાટી નીકળેલી હિંસામાં બે સમુદાયો સામસામે આવી ગયા હતા. જે બાદ ઉગ્ર પથ્થરમારો થયો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.


મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો


હાવડા હંગામા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે કોઈ સરઘસ પર પ્રતિબંધ મૂક્યો નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે રમત સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ માહિતી આપી કે હાવડા હિંસા કેસમાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસા ભડકાવનારા હિંદુ નથી, તેઓ બહારથી લાવવામાં આવ્યા છે. ભાજપ બંગાળને અશાંત કરવા માંગે છે. લઘુમતી સમુદાયના લોકો રમઝાનમાં વ્યસ્ત હોવાથી હિંસામાં સામેલ નથી.


'મુસ્લિમો રમઝાનમાં ખોટું કામ કરતા નથી'


મમતા બેનર્જીએ કહ્યું કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને મુસ્લિમો આ મહિનામાં કોઈ ખોટું કામ કરતા નથી. તેમણે કહ્યું કે મારી આંખ અને કાન ખુલ્લા છે. હું બધું સૂંઘી શકું છું. મુસ્લિમ વિસ્તારોમાંથી સરઘસ કાઢતી વખતે મેં તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ રામ નવમીની રેલી કાઢશે તો હિંસા થઈ શકે છે. કોને પૂછીને તેમણે શોભા યાત્રાનો રૂટ બદલ્યો? જેથી કરીને સમુદાયને નિશાન બનાવી શકાય.

અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પર દેશના અનેક ભાગોમાં હિંસા જોવા મળી હતી. હાવડા ઉપરાંત ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના સંભાજીનગર અને જલગાંવમાં પણ હિંસા ભડકી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.