રામનવમીના એક દિવસ બાદ પશ્ચિમ બંગાળના હાવડામાં ફરી હિંસા ભડકી, હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી


  • Published By :
  • Published Date : 2023-03-31 15:30:14

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમી નિમિત્તે શોભા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે કોમ સામસામે આવી જતાં ઉગ્ર પથ્થરમારો અને આગચંપી થઈ હતી. આજે ફરી હાવડામાં હિંસાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી અને હાવડાના શિવપુરમાં પથ્થરમારો થયો હતો. આ પહેલા ગુરુવારે ફાટી નીકળેલી હિંસામાં બે સમુદાયો સામસામે આવી ગયા હતા. જે બાદ ઉગ્ર પથ્થરમારો થયો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.


મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો


હાવડા હંગામા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે કોઈ સરઘસ પર પ્રતિબંધ મૂક્યો નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે રમત સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ માહિતી આપી કે હાવડા હિંસા કેસમાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસા ભડકાવનારા હિંદુ નથી, તેઓ બહારથી લાવવામાં આવ્યા છે. ભાજપ બંગાળને અશાંત કરવા માંગે છે. લઘુમતી સમુદાયના લોકો રમઝાનમાં વ્યસ્ત હોવાથી હિંસામાં સામેલ નથી.


'મુસ્લિમો રમઝાનમાં ખોટું કામ કરતા નથી'


મમતા બેનર્જીએ કહ્યું કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને મુસ્લિમો આ મહિનામાં કોઈ ખોટું કામ કરતા નથી. તેમણે કહ્યું કે મારી આંખ અને કાન ખુલ્લા છે. હું બધું સૂંઘી શકું છું. મુસ્લિમ વિસ્તારોમાંથી સરઘસ કાઢતી વખતે મેં તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ રામ નવમીની રેલી કાઢશે તો હિંસા થઈ શકે છે. કોને પૂછીને તેમણે શોભા યાત્રાનો રૂટ બદલ્યો? જેથી કરીને સમુદાયને નિશાન બનાવી શકાય.

અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પર દેશના અનેક ભાગોમાં હિંસા જોવા મળી હતી. હાવડા ઉપરાંત ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના સંભાજીનગર અને જલગાંવમાં પણ હિંસા ભડકી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.