મોંઘવારી આસમાને, રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 6.52%એ પહોંચ્યો, 3 મહિનાનો સૌથી ઉંચો સ્તર


  • Published By :
  • Published Date : 2023-02-13 20:53:19

અસહ્ય મોંઘવારીથી પિડાતા લોકોને હમણા રાહત મળે તેવી કોઈ શક્યતા જોવા મળતા નથી. જાન્યુઆરી મહિનામાં મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જાન્યુઆરીમાં ત્રિમાસિક મોંઘવારી તેના ઉંચા સ્તર 6.52એ પહોંચી ગઈ છે. આ આંક ડિસેમ્બર મહિનામાં 5.72 ટકા અને જાન્યુઆરી 2022માં 6.01 ટકા હતી. ખાદ્ય પદાર્થોનો દર જાન્યુઆરીમાં  5.94 ટકા રહી જે ડિસેમ્બરમાં 4.19 ટકા હતી. આ પહેલા રિટેલ મોંઘવારી ઓક્ટોબર મહિનામાં તેના સર્વોચ્ચ સ્તર  6.77 ટકા પર હતી. 


RBIને સરકારે  4 ટકાનો લક્ષ્યાંક આપ્યો છે


દેશમાં મોંઘવારી વધવાના અનેક કારણો છે, એડવર્સ બેઝ ઈફેક્ટના કારણે હેડવિંડ ઈન્ફ્લેશન ઉપરની તરફ જતો  જોવા મળી રહ્યો છે. રિટેલ મોંઘવારીમાં હજુ પણ જોઈ તો તેવો સુધારો જોવા મળતો નથી, અને ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે રિઝર્વ બેંકને દેશમાં રિટેલ મોંઘવારીનો દર 4 ટકા જેટલો રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેની ઉપર કે નીચા 2 ટકાને ટોલરેંસ લેવલ પણ આપ્યું છે. એટલે કે RBIએ દર વર્ષે મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનો રહે છે. હવે આજે સોમવારે જાહેર કરાયેલા રિટેલ ઈન્ફ્લેશનના લેટેસ્ટ આંકડા તેના અનુમાનથી ઘણો ઉંચો રહ્યો છે.


RBI વ્યાજ દરો વધારશે


વધતી મોંઘવારીએ સામાન્ય માણસની સાથે RBIની પણ ચિંતા વધારી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોને હમણા વધતા વ્યાજ દરથી કોઈ રાહત મળશે નહીં. RBI હવે વ્યાજદરો વધારવા મામલે વધુ આક્રમક વલણ અપનાવશે. RBI એપ્રીલ મહિનામાં પણ વ્યાજ દરોમાં વધુ 25 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.