મોંઘવારી આસમાને, રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 6.52%એ પહોંચ્યો, 3 મહિનાનો સૌથી ઉંચો સ્તર


  • Published By :
  • Published Date : 2023-02-13 20:53:19

અસહ્ય મોંઘવારીથી પિડાતા લોકોને હમણા રાહત મળે તેવી કોઈ શક્યતા જોવા મળતા નથી. જાન્યુઆરી મહિનામાં મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જાન્યુઆરીમાં ત્રિમાસિક મોંઘવારી તેના ઉંચા સ્તર 6.52એ પહોંચી ગઈ છે. આ આંક ડિસેમ્બર મહિનામાં 5.72 ટકા અને જાન્યુઆરી 2022માં 6.01 ટકા હતી. ખાદ્ય પદાર્થોનો દર જાન્યુઆરીમાં  5.94 ટકા રહી જે ડિસેમ્બરમાં 4.19 ટકા હતી. આ પહેલા રિટેલ મોંઘવારી ઓક્ટોબર મહિનામાં તેના સર્વોચ્ચ સ્તર  6.77 ટકા પર હતી. 


RBIને સરકારે  4 ટકાનો લક્ષ્યાંક આપ્યો છે


દેશમાં મોંઘવારી વધવાના અનેક કારણો છે, એડવર્સ બેઝ ઈફેક્ટના કારણે હેડવિંડ ઈન્ફ્લેશન ઉપરની તરફ જતો  જોવા મળી રહ્યો છે. રિટેલ મોંઘવારીમાં હજુ પણ જોઈ તો તેવો સુધારો જોવા મળતો નથી, અને ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે રિઝર્વ બેંકને દેશમાં રિટેલ મોંઘવારીનો દર 4 ટકા જેટલો રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેની ઉપર કે નીચા 2 ટકાને ટોલરેંસ લેવલ પણ આપ્યું છે. એટલે કે RBIએ દર વર્ષે મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનો રહે છે. હવે આજે સોમવારે જાહેર કરાયેલા રિટેલ ઈન્ફ્લેશનના લેટેસ્ટ આંકડા તેના અનુમાનથી ઘણો ઉંચો રહ્યો છે.


RBI વ્યાજ દરો વધારશે


વધતી મોંઘવારીએ સામાન્ય માણસની સાથે RBIની પણ ચિંતા વધારી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોને હમણા વધતા વ્યાજ દરથી કોઈ રાહત મળશે નહીં. RBI હવે વ્યાજદરો વધારવા મામલે વધુ આક્રમક વલણ અપનાવશે. RBI એપ્રીલ મહિનામાં પણ વ્યાજ દરોમાં વધુ 25 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.