મોંઘવારી આસમાને, રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 6.52%એ પહોંચ્યો, 3 મહિનાનો સૌથી ઉંચો સ્તર


  • Published By :
  • Published Date : 2023-02-13 20:53:19

અસહ્ય મોંઘવારીથી પિડાતા લોકોને હમણા રાહત મળે તેવી કોઈ શક્યતા જોવા મળતા નથી. જાન્યુઆરી મહિનામાં મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જાન્યુઆરીમાં ત્રિમાસિક મોંઘવારી તેના ઉંચા સ્તર 6.52એ પહોંચી ગઈ છે. આ આંક ડિસેમ્બર મહિનામાં 5.72 ટકા અને જાન્યુઆરી 2022માં 6.01 ટકા હતી. ખાદ્ય પદાર્થોનો દર જાન્યુઆરીમાં  5.94 ટકા રહી જે ડિસેમ્બરમાં 4.19 ટકા હતી. આ પહેલા રિટેલ મોંઘવારી ઓક્ટોબર મહિનામાં તેના સર્વોચ્ચ સ્તર  6.77 ટકા પર હતી. 


RBIને સરકારે  4 ટકાનો લક્ષ્યાંક આપ્યો છે


દેશમાં મોંઘવારી વધવાના અનેક કારણો છે, એડવર્સ બેઝ ઈફેક્ટના કારણે હેડવિંડ ઈન્ફ્લેશન ઉપરની તરફ જતો  જોવા મળી રહ્યો છે. રિટેલ મોંઘવારીમાં હજુ પણ જોઈ તો તેવો સુધારો જોવા મળતો નથી, અને ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે રિઝર્વ બેંકને દેશમાં રિટેલ મોંઘવારીનો દર 4 ટકા જેટલો રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેની ઉપર કે નીચા 2 ટકાને ટોલરેંસ લેવલ પણ આપ્યું છે. એટલે કે RBIએ દર વર્ષે મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનો રહે છે. હવે આજે સોમવારે જાહેર કરાયેલા રિટેલ ઈન્ફ્લેશનના લેટેસ્ટ આંકડા તેના અનુમાનથી ઘણો ઉંચો રહ્યો છે.


RBI વ્યાજ દરો વધારશે


વધતી મોંઘવારીએ સામાન્ય માણસની સાથે RBIની પણ ચિંતા વધારી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોને હમણા વધતા વ્યાજ દરથી કોઈ રાહત મળશે નહીં. RBI હવે વ્યાજદરો વધારવા મામલે વધુ આક્રમક વલણ અપનાવશે. RBI એપ્રીલ મહિનામાં પણ વ્યાજ દરોમાં વધુ 25 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.