રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, સચિન પાયલોટ તેમની જ પાર્ટીની સરકાર સામે ધરણા પર બેસશે


  • Published By :
  • Published Date : 2023-04-09 13:35:37

રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ મચી છે, કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતા મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સચિન પાયલટે તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. આજે રવિવારે 9 એપ્રિલના દિવસે તેમણે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી અશોક ગહલોત પર રોષ વ્યક્ત કરી સવાલોનો મારો ચલાવ્યો હતો. 


ગહલોત સરકાર સામે ઉપવાસ પર ઉતરશે


રાજસ્થાનમાં અગાઉની વસુંધરા રાજેની સરકારના ભ્રષ્ટાચારને લઈ ગહલોત સરકારે કોઈ કાર્યવાહી ન કરી તેના વિરોધમાં 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ શહીદ સ્મારક પર એક દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે કહ્યું કે અમે અનેક વખત પત્ર લખી વસુંધરા સરકારમાં ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 


CM ગહલોત સામે શું આરોપ લગાવ્યા?


કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પોતાની જ પાર્ટીની સરકારને કઠેડામાં મૂકી દીધી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે અશોક ગેહલોત જી, મેં અને અન્ય નેતાઓએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લઈશું. કમનસીબી છે કે સત્તામાં આવ્યાના સાડા 4 વર્ષ પછી પણ અગાઉની સરકારે આચરેલા ભ્રષ્ટાચાર સામે ગેહલોતે  કોઈ કાર્યવાહી કરી નથી. પાયલોટે કહ્યું કે અમારી કરણી અને કથનીમાં કોઈ ફરક ન હોવો જોઈએ. જો શબ્દો અને કાર્યોમાં ફરક હોય તો જનતાને લાગશે કે ઉપરના સ્તરે કોઈ સાઠગાંઠ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.