રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, સચિન પાયલોટ તેમની જ પાર્ટીની સરકાર સામે ધરણા પર બેસશે


  • Published By :
  • Published Date : 2023-04-09 13:35:37

રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ મચી છે, કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતા મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સચિન પાયલટે તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. આજે રવિવારે 9 એપ્રિલના દિવસે તેમણે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી અશોક ગહલોત પર રોષ વ્યક્ત કરી સવાલોનો મારો ચલાવ્યો હતો. 


ગહલોત સરકાર સામે ઉપવાસ પર ઉતરશે


રાજસ્થાનમાં અગાઉની વસુંધરા રાજેની સરકારના ભ્રષ્ટાચારને લઈ ગહલોત સરકારે કોઈ કાર્યવાહી ન કરી તેના વિરોધમાં 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ શહીદ સ્મારક પર એક દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે કહ્યું કે અમે અનેક વખત પત્ર લખી વસુંધરા સરકારમાં ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 


CM ગહલોત સામે શું આરોપ લગાવ્યા?


કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પોતાની જ પાર્ટીની સરકારને કઠેડામાં મૂકી દીધી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે અશોક ગેહલોત જી, મેં અને અન્ય નેતાઓએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લઈશું. કમનસીબી છે કે સત્તામાં આવ્યાના સાડા 4 વર્ષ પછી પણ અગાઉની સરકારે આચરેલા ભ્રષ્ટાચાર સામે ગેહલોતે  કોઈ કાર્યવાહી કરી નથી. પાયલોટે કહ્યું કે અમારી કરણી અને કથનીમાં કોઈ ફરક ન હોવો જોઈએ. જો શબ્દો અને કાર્યોમાં ફરક હોય તો જનતાને લાગશે કે ઉપરના સ્તરે કોઈ સાઠગાંઠ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.