સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી, ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-14 14:41:32

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશ તથા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી એકદમ ઝડપથી વધી રહી છે. બુધવારે પાણીની આવક 1.25 લાખ કયુસેક થઇ જતાં ડેમની સપાટી 124.89 મીટર સુધી પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નર્મદા ડેમની જળ સપાટીમાં હજુ પણ  વધારો થવાની શક્યતા છે.


ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમના વીજ ઉત્પાદન મથકના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતાં જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. પણ હાલમાં મધ્યપ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધી જતાં ઓમકારેશ્વર ડેમના 3ના બદલે પાંચ ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે. આ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ થઇ રહયો છે જેનાથી સરદાર સરોવરમાં આવતાં પાણીનો જથ્થો એકદમ વધીને 1.25 લાખ કયુસેક થઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણી ની આવક 77,955 ક્યુસેક છે.


પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ


નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે જયારે કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરી કેનાલમાં પાણી છોડાઇ રહયું છે. ડેમની સપાટી 124.06 મીટર છે જયારે 1.25 લાખ કયુસેક પાણીની આવક સામે 35,959 કયુસેક પાણીની જાવક છે. પાણીની આવક સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ 30 દરવાજા લગાવવામાં આવ્યાં છે. દરવાજા સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.



લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અનેક ભાષણોમાં આ લીડની વાત નથી થતી!

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?