સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી, ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-14 14:41:32

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશ તથા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી એકદમ ઝડપથી વધી રહી છે. બુધવારે પાણીની આવક 1.25 લાખ કયુસેક થઇ જતાં ડેમની સપાટી 124.89 મીટર સુધી પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નર્મદા ડેમની જળ સપાટીમાં હજુ પણ  વધારો થવાની શક્યતા છે.


ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમના વીજ ઉત્પાદન મથકના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતાં જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. પણ હાલમાં મધ્યપ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધી જતાં ઓમકારેશ્વર ડેમના 3ના બદલે પાંચ ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે. આ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ થઇ રહયો છે જેનાથી સરદાર સરોવરમાં આવતાં પાણીનો જથ્થો એકદમ વધીને 1.25 લાખ કયુસેક થઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણી ની આવક 77,955 ક્યુસેક છે.


પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ


નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે જયારે કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરી કેનાલમાં પાણી છોડાઇ રહયું છે. ડેમની સપાટી 124.06 મીટર છે જયારે 1.25 લાખ કયુસેક પાણીની આવક સામે 35,959 કયુસેક પાણીની જાવક છે. પાણીની આવક સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ 30 દરવાજા લગાવવામાં આવ્યાં છે. દરવાજા સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.