હવે સત્યપાલ મલિકની થશે પૂછપરછ, રૂ.300 કરોડ રૂપિયાની લાંચ મામલે CBI કરશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:59:28

CBIએ જમ્મુ-કશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને તેમના દાવાની પૂછપરછના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  તેમને જમ્મુ-કશ્મિરના તેમના કાર્યકાળ દરમિયાન બે ફાઈલોને નિપટાવવા માટે રૂ. 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.


સત્યપાલ મલિકે શું કહ્યું?


સત્યપાલ મલિકે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું કે CBIએ મને સામે રજુ થવા માટે એટલા માટે કહ્યું છે કારણ કે તે કેટલીક વાતો સ્પષ્ટ કરવા માગે છે. તેમણે મૌખિક રીતે મને 27  કે 28 એપ્રીલે મારી અનુકુળકતાએ મારી સુવિધા પ્રમાણે આવવા કહ્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018 અને 30 ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કશ્મિરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઈલોને મંજુરી આપવા માટે તેમને રૂ. 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.


રામ માધવ પર લગાવ્યો હતો આરોપ


સત્યપાલ મલિકે તાજેતરમાં જ RSS અને ભાજપના નેતા રામ માધવ પર આરોપ લગાવ્યો હતો કે તેમના દ્વારા મલિકને મોટી રકમની લાંચની ઓફર કરવામાં આવી હતી. જો કે રામ માધવે આરોપો ફગાવી દીધા હતા અને તેમણે સત્યપાલ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સીબીઆઈએ આ મામલે સત્યપાલ મલિક સાથે પૂછપરછ કરી હતી.


સત્યપાલ મલિક સામે અગાઉ નોંધાઈ હતી FIR


ગયા વર્ષે એપ્રિલમાં, CBIએ સત્ય પાલ મલિક દ્વારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ.2,200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.