હવે સત્યપાલ મલિકની થશે પૂછપરછ, રૂ.300 કરોડ રૂપિયાની લાંચ મામલે CBI કરશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:59:28

CBIએ જમ્મુ-કશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને તેમના દાવાની પૂછપરછના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  તેમને જમ્મુ-કશ્મિરના તેમના કાર્યકાળ દરમિયાન બે ફાઈલોને નિપટાવવા માટે રૂ. 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.


સત્યપાલ મલિકે શું કહ્યું?


સત્યપાલ મલિકે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું કે CBIએ મને સામે રજુ થવા માટે એટલા માટે કહ્યું છે કારણ કે તે કેટલીક વાતો સ્પષ્ટ કરવા માગે છે. તેમણે મૌખિક રીતે મને 27  કે 28 એપ્રીલે મારી અનુકુળકતાએ મારી સુવિધા પ્રમાણે આવવા કહ્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018 અને 30 ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કશ્મિરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઈલોને મંજુરી આપવા માટે તેમને રૂ. 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.


રામ માધવ પર લગાવ્યો હતો આરોપ


સત્યપાલ મલિકે તાજેતરમાં જ RSS અને ભાજપના નેતા રામ માધવ પર આરોપ લગાવ્યો હતો કે તેમના દ્વારા મલિકને મોટી રકમની લાંચની ઓફર કરવામાં આવી હતી. જો કે રામ માધવે આરોપો ફગાવી દીધા હતા અને તેમણે સત્યપાલ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સીબીઆઈએ આ મામલે સત્યપાલ મલિક સાથે પૂછપરછ કરી હતી.


સત્યપાલ મલિક સામે અગાઉ નોંધાઈ હતી FIR


ગયા વર્ષે એપ્રિલમાં, CBIએ સત્ય પાલ મલિક દ્વારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ.2,200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.