હવે સત્યપાલ મલિકની થશે પૂછપરછ, રૂ.300 કરોડ રૂપિયાની લાંચ મામલે CBI કરશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:59:28

CBIએ જમ્મુ-કશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને તેમના દાવાની પૂછપરછના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  તેમને જમ્મુ-કશ્મિરના તેમના કાર્યકાળ દરમિયાન બે ફાઈલોને નિપટાવવા માટે રૂ. 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.


સત્યપાલ મલિકે શું કહ્યું?


સત્યપાલ મલિકે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું કે CBIએ મને સામે રજુ થવા માટે એટલા માટે કહ્યું છે કારણ કે તે કેટલીક વાતો સ્પષ્ટ કરવા માગે છે. તેમણે મૌખિક રીતે મને 27  કે 28 એપ્રીલે મારી અનુકુળકતાએ મારી સુવિધા પ્રમાણે આવવા કહ્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018 અને 30 ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કશ્મિરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઈલોને મંજુરી આપવા માટે તેમને રૂ. 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.


રામ માધવ પર લગાવ્યો હતો આરોપ


સત્યપાલ મલિકે તાજેતરમાં જ RSS અને ભાજપના નેતા રામ માધવ પર આરોપ લગાવ્યો હતો કે તેમના દ્વારા મલિકને મોટી રકમની લાંચની ઓફર કરવામાં આવી હતી. જો કે રામ માધવે આરોપો ફગાવી દીધા હતા અને તેમણે સત્યપાલ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સીબીઆઈએ આ મામલે સત્યપાલ મલિક સાથે પૂછપરછ કરી હતી.


સત્યપાલ મલિક સામે અગાઉ નોંધાઈ હતી FIR


ગયા વર્ષે એપ્રિલમાં, CBIએ સત્ય પાલ મલિક દ્વારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ.2,200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.