જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBI, 7 મહિનામાં બીજી વખત પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-28 14:07:08

જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચતા હડકંપ મચી ગયો છે. કથિત વીમા કૌંભાંડની તપાસ માટે આજે શુક્રવારે સત્યપાલ મલિકના પૂર્વ રાજ્યપાલ મલિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટીમ તેમના દાવા અંગે તેમનું સ્પષ્ટીકરણ લેવા પહોંચી છે. 


7 મહિનામાં આ બીજીવાર પૂછપરછ


સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11.45 વાગ્યે દિલ્હી સ્થિત સોમ વિહાર વિસ્તારમાં આવેલા સત્યપાલ મલિકના ઘર પર CBIની ટીમ અચાનક જ પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મલિક હજુ સુધી આરોપી કે શંકાસ્પદ નથી. સાત મહિનામાં આ બીજીવાર છે જ્યારે વિવિધ રાજ્યોના રાજ્યપાલ રહી ચુકેલા મલિક સાથે CBIની ટીમે પૂછપરછ કરી હતી


સમગ્ર મામલો શું છે?


CBIએ એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મિરમાં કિરૂ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ઈન્સ્યુરન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારને લઈને એક વર્ષ પહેલા બે FIR નોંધાઈ હતી. CBIએ આ કેસની લાંબા સમયથી તપાસ કરી રહી છે. ત્યાંજ આ કેસમાં ત્રણેય આરોપીઓ પર ષડયંત્ર અને સાંઠગાઠથી હોદ્દા અને અન્ય ચીજોનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ આ મામલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ટ્રિનિટી રી-ઈન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને લોક સેવકોને આ કેસમાં આરોપી બનાવ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.