જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBI, 7 મહિનામાં બીજી વખત પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-28 14:07:08

જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચતા હડકંપ મચી ગયો છે. કથિત વીમા કૌંભાંડની તપાસ માટે આજે શુક્રવારે સત્યપાલ મલિકના પૂર્વ રાજ્યપાલ મલિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટીમ તેમના દાવા અંગે તેમનું સ્પષ્ટીકરણ લેવા પહોંચી છે. 


7 મહિનામાં આ બીજીવાર પૂછપરછ


સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11.45 વાગ્યે દિલ્હી સ્થિત સોમ વિહાર વિસ્તારમાં આવેલા સત્યપાલ મલિકના ઘર પર CBIની ટીમ અચાનક જ પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મલિક હજુ સુધી આરોપી કે શંકાસ્પદ નથી. સાત મહિનામાં આ બીજીવાર છે જ્યારે વિવિધ રાજ્યોના રાજ્યપાલ રહી ચુકેલા મલિક સાથે CBIની ટીમે પૂછપરછ કરી હતી


સમગ્ર મામલો શું છે?


CBIએ એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મિરમાં કિરૂ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ઈન્સ્યુરન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારને લઈને એક વર્ષ પહેલા બે FIR નોંધાઈ હતી. CBIએ આ કેસની લાંબા સમયથી તપાસ કરી રહી છે. ત્યાંજ આ કેસમાં ત્રણેય આરોપીઓ પર ષડયંત્ર અને સાંઠગાઠથી હોદ્દા અને અન્ય ચીજોનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ આ મામલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ટ્રિનિટી રી-ઈન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને લોક સેવકોને આ કેસમાં આરોપી બનાવ્યા છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.