જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBI, 7 મહિનામાં બીજી વખત પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-28 14:07:08

જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચતા હડકંપ મચી ગયો છે. કથિત વીમા કૌંભાંડની તપાસ માટે આજે શુક્રવારે સત્યપાલ મલિકના પૂર્વ રાજ્યપાલ મલિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટીમ તેમના દાવા અંગે તેમનું સ્પષ્ટીકરણ લેવા પહોંચી છે. 


7 મહિનામાં આ બીજીવાર પૂછપરછ


સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11.45 વાગ્યે દિલ્હી સ્થિત સોમ વિહાર વિસ્તારમાં આવેલા સત્યપાલ મલિકના ઘર પર CBIની ટીમ અચાનક જ પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મલિક હજુ સુધી આરોપી કે શંકાસ્પદ નથી. સાત મહિનામાં આ બીજીવાર છે જ્યારે વિવિધ રાજ્યોના રાજ્યપાલ રહી ચુકેલા મલિક સાથે CBIની ટીમે પૂછપરછ કરી હતી


સમગ્ર મામલો શું છે?


CBIએ એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મિરમાં કિરૂ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ઈન્સ્યુરન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારને લઈને એક વર્ષ પહેલા બે FIR નોંધાઈ હતી. CBIએ આ કેસની લાંબા સમયથી તપાસ કરી રહી છે. ત્યાંજ આ કેસમાં ત્રણેય આરોપીઓ પર ષડયંત્ર અને સાંઠગાઠથી હોદ્દા અને અન્ય ચીજોનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ આ મામલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ટ્રિનિટી રી-ઈન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને લોક સેવકોને આ કેસમાં આરોપી બનાવ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.