જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBI, 7 મહિનામાં બીજી વખત પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-28 14:07:08

જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચતા હડકંપ મચી ગયો છે. કથિત વીમા કૌંભાંડની તપાસ માટે આજે શુક્રવારે સત્યપાલ મલિકના પૂર્વ રાજ્યપાલ મલિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટીમ તેમના દાવા અંગે તેમનું સ્પષ્ટીકરણ લેવા પહોંચી છે. 


7 મહિનામાં આ બીજીવાર પૂછપરછ


સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11.45 વાગ્યે દિલ્હી સ્થિત સોમ વિહાર વિસ્તારમાં આવેલા સત્યપાલ મલિકના ઘર પર CBIની ટીમ અચાનક જ પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મલિક હજુ સુધી આરોપી કે શંકાસ્પદ નથી. સાત મહિનામાં આ બીજીવાર છે જ્યારે વિવિધ રાજ્યોના રાજ્યપાલ રહી ચુકેલા મલિક સાથે CBIની ટીમે પૂછપરછ કરી હતી


સમગ્ર મામલો શું છે?


CBIએ એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મિરમાં કિરૂ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ઈન્સ્યુરન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારને લઈને એક વર્ષ પહેલા બે FIR નોંધાઈ હતી. CBIએ આ કેસની લાંબા સમયથી તપાસ કરી રહી છે. ત્યાંજ આ કેસમાં ત્રણેય આરોપીઓ પર ષડયંત્ર અને સાંઠગાઠથી હોદ્દા અને અન્ય ચીજોનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ આ મામલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ટ્રિનિટી રી-ઈન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને લોક સેવકોને આ કેસમાં આરોપી બનાવ્યા છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.