PM મોદીને 'ગુજરાતના કસાઈ' કહેનારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આગામી મે મહિનામાં ભારત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-20 16:23:06

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો 4-5 મે દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તે ગોવામાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે આ અંગે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બિલાવલની સાથે અધિકારીઓનું એક ડેલિગેશન પણ ભારતના પ્રવાસે આવશે. 


PM મોદી પર કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા હડકંપ મચી ગયો હતો. બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા,  તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો દરમિયાન બે હજારથી પણ વધુ મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. મોદીને સજા આપવાના બદલે, તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.  


ભારતમાં યોજાશે SCOની બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક શક્તિશાળી રિઝનલ ફોરમ છે. આ બેઠકમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઈરાનની સાથે જ મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. SCOનું અધ્યક્ષ પદ હાલ ભારત પાસે છે, અને ભારતની અધ્યક્ષતામાં આ જ વર્ષે SCOની મિટિંગો યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.