PM મોદીને 'ગુજરાતના કસાઈ' કહેનારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આગામી મે મહિનામાં ભારત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-20 16:23:06

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો 4-5 મે દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તે ગોવામાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે આ અંગે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બિલાવલની સાથે અધિકારીઓનું એક ડેલિગેશન પણ ભારતના પ્રવાસે આવશે. 


PM મોદી પર કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા હડકંપ મચી ગયો હતો. બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા,  તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો દરમિયાન બે હજારથી પણ વધુ મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. મોદીને સજા આપવાના બદલે, તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.  


ભારતમાં યોજાશે SCOની બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક શક્તિશાળી રિઝનલ ફોરમ છે. આ બેઠકમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઈરાનની સાથે જ મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. SCOનું અધ્યક્ષ પદ હાલ ભારત પાસે છે, અને ભારતની અધ્યક્ષતામાં આ જ વર્ષે SCOની મિટિંગો યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.