ભારતના અનેક રાજ્યોની ધ્રુજી ધરા! જાણો કયા કયા રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા?


  • Published By :
  • Published Date : 2023-06-13 16:57:04

એક તરફ દેશના વિવિધ રાજ્યો પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર બપોરે આ રાજ્યોની ધરા ધ્રુજી હતી. જમ્મુ કાશ્મીરનું ડોડા ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું અને તેની ઉંડાઈ જમીનની 6 કિલોમીટર અંદર નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલ જેટલી નોંધાઈ હતી. ભારત સિવાય ચીન તેમજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે ઘણા સમયથી ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે.


આ રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! 

છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે દિલ્હી-NCR,જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અહેસાસ થયો હતો. મંગળવાર બપોરે આ ધરતીકંપનો અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કાશ્મીર સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ ધરતીકંપનો અનુભવ થયો હતો. અચાનક ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા.મહત્વનું છે કે ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. તે સિવાય હિમાચલ પ્રદેશની ધરા પણ ધ્રુજી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.