ભારતના અનેક રાજ્યોની ધ્રુજી ધરા! જાણો કયા કયા રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-13 16:57:04

એક તરફ દેશના વિવિધ રાજ્યો પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર બપોરે આ રાજ્યોની ધરા ધ્રુજી હતી. જમ્મુ કાશ્મીરનું ડોડા ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું અને તેની ઉંડાઈ જમીનની 6 કિલોમીટર અંદર નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલ જેટલી નોંધાઈ હતી. ભારત સિવાય ચીન તેમજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે ઘણા સમયથી ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે.


આ રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! 

છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે દિલ્હી-NCR,જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અહેસાસ થયો હતો. મંગળવાર બપોરે આ ધરતીકંપનો અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કાશ્મીર સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ ધરતીકંપનો અનુભવ થયો હતો. અચાનક ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા.મહત્વનું છે કે ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. તે સિવાય હિમાચલ પ્રદેશની ધરા પણ ધ્રુજી હતી. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.