ભારતના અનેક રાજ્યોની ધ્રુજી ધરા! જાણો કયા કયા રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા?


  • Published By :
  • Published Date : 2023-06-13 16:57:04

એક તરફ દેશના વિવિધ રાજ્યો પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર બપોરે આ રાજ્યોની ધરા ધ્રુજી હતી. જમ્મુ કાશ્મીરનું ડોડા ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું અને તેની ઉંડાઈ જમીનની 6 કિલોમીટર અંદર નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલ જેટલી નોંધાઈ હતી. ભારત સિવાય ચીન તેમજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે ઘણા સમયથી ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે.


આ રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! 

છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે દિલ્હી-NCR,જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અહેસાસ થયો હતો. મંગળવાર બપોરે આ ધરતીકંપનો અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કાશ્મીર સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ ધરતીકંપનો અનુભવ થયો હતો. અચાનક ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા.મહત્વનું છે કે ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. તે સિવાય હિમાચલ પ્રદેશની ધરા પણ ધ્રુજી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.