અયોધ્યા ખાતે કરાઈ શાલિગ્રામ પથ્થરની પૂજા, આ શિલામાંથી બનશે ભગવાન રામની પ્રતિમા


  • Published By :
  • Published Date : 2023-02-02 13:22:15

અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. રામ ભગવાનની પ્રતિમા શાલિગ્રામ પથ્થરથી બનાવામાં આવવાની છે.  ત્યારે નેપાળથી શાલીગ્રામ પથ્થર ભારત આવી પહોચ્યા છે. પૂજા વિધી કર્યા બાદ આ શાલિગ્રામ પથ્થરને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને સોંપવામાં આવી હતી. બુધવાર રાત્રે નેપાળના જનકપુરથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા આવ્યા હતા. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે શિલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

 


ઢોલ-નગારા સાથે કરાયું શિલાનું સ્વાગત  

ભગવાન રામ પર અનેક ભકતો આસ્થા રાખતા હોય છે. નેપાળથી 373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા કરી આ પથ્થર ભારત આવી પહોચ્યા છે. શાલિગ્રામ પથ્થરનું સ્વાગત કરવા સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકો હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે શિલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાલિગ્રામના સ્વાગત દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્ર સહિતના અનેક ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.          


પૂજા-વિધી કર્યા બાદ નેપાળથી રવાના થયા હતા પથ્થર 

ભારી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શીલાને રામસેવક પુરમ ખાતે મુકવામાં આવ્યા હતા. તે બાદ વૈદિક રીતે પથ્થરની પૂજા અર્ચના કરવામાં આવી અને આરતી પણ કરવામાં આવી હતી.આ પથ્થરોને નેપાળની પવિત્ર ગંડકી નદીમાંથી કાઠવામાં આવે છે. નેપાળમાં આ શિલાની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ ભારત આવવા માટે યાત્રા શરૂ કરવામાં આવી હતી. બિહારના રસ્તે થઈ યુપીના કુશીનગર અને ગોરખપુર થઈ બુધવારે અયોધ્યા પહોંચ્યા હતા.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.