અયોધ્યા ખાતે કરાઈ શાલિગ્રામ પથ્થરની પૂજા, આ શિલામાંથી બનશે ભગવાન રામની પ્રતિમા


  • Published By :
  • Published Date : 2023-02-02 13:22:15

અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. રામ ભગવાનની પ્રતિમા શાલિગ્રામ પથ્થરથી બનાવામાં આવવાની છે.  ત્યારે નેપાળથી શાલીગ્રામ પથ્થર ભારત આવી પહોચ્યા છે. પૂજા વિધી કર્યા બાદ આ શાલિગ્રામ પથ્થરને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને સોંપવામાં આવી હતી. બુધવાર રાત્રે નેપાળના જનકપુરથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા આવ્યા હતા. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે શિલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

 


ઢોલ-નગારા સાથે કરાયું શિલાનું સ્વાગત  

ભગવાન રામ પર અનેક ભકતો આસ્થા રાખતા હોય છે. નેપાળથી 373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા કરી આ પથ્થર ભારત આવી પહોચ્યા છે. શાલિગ્રામ પથ્થરનું સ્વાગત કરવા સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકો હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે શિલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાલિગ્રામના સ્વાગત દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્ર સહિતના અનેક ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.          


પૂજા-વિધી કર્યા બાદ નેપાળથી રવાના થયા હતા પથ્થર 

ભારી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શીલાને રામસેવક પુરમ ખાતે મુકવામાં આવ્યા હતા. તે બાદ વૈદિક રીતે પથ્થરની પૂજા અર્ચના કરવામાં આવી અને આરતી પણ કરવામાં આવી હતી.આ પથ્થરોને નેપાળની પવિત્ર ગંડકી નદીમાંથી કાઠવામાં આવે છે. નેપાળમાં આ શિલાની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ ભારત આવવા માટે યાત્રા શરૂ કરવામાં આવી હતી. બિહારના રસ્તે થઈ યુપીના કુશીનગર અને ગોરખપુર થઈ બુધવારે અયોધ્યા પહોંચ્યા હતા.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.