ઘઉં, દુધ બાદ હવે ખાંડના ભાવમાં પણ ભડકો, કિંમત બે અઠવાડિયામાં જ 6 ટકા વધી


  • Published By :
  • Published Date : 2023-04-11 18:06:42

મધમીઠી ચાના બંધાણીઓને ઝટકો લાગે તેવા સમાચારા આવ્યા છે. દેશમાં ખાંડના ભાવમાં માત્ર બે અઠવાડિયામાં જ 6 ટકા જેટલો વધારો થયો છે. ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ અંગે જણાવ્યું કે આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને જથ્થાબંધ બજારમાં ખાંડની માંગમાં વધારો થયો છે. હવે આ સ્થિતીમાં ખાંડની તીવ્ર અછતના કારણે કિંમતમાં વધારો થયો છે. ખાંડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ખાંડના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. 


શા માટે ખાંડનો ભાવ વધ્યો?


ખાંડના ભાવ વધવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે દેશના સૌથી મોટા શેરડી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં આ વખતે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. શેરડીના પાકના ઓછા ઉત્પાદન પાછળ ખરાબ હવામાન જવાબદાર છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર દેશના ખાંડ ઉત્પાદન પર પડી છે. નાણાકીય વર્ષ 2022-23માં મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી સપ્ટેમ્બર વચ્ચે ખાંડનું ઉત્પાદન 105 લાખ ટન થવાની ધારણા છે. બીજી તરફ ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં 137 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. આવી સ્થિતિમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર ભાવ પર જોવા મળશે.


ખાંડ ઉત્પાદક કંપનીઓનું માર્જિંન સુધરશે


દેશની અગ્રણી ખાંડ ઉત્પાદક કંપનીઓ શેરડીની અછતનો સામનો કરી રહી છે. જો કે ખાંડનો ભાવ વધતા ખાંડ ઉત્પાદક કંપનીઓ જેવી કે બલરામપુર ચીની, શ્રી રેણુકા સુગર્સ, દાલમિયા ભારત સુગર અને દ્વારિકેશ સુગર જેવી ખાંડ ઉત્પાદક કંપનીઓના માર્જિનમાં સુધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તે ખેડૂતોને યોગ્ય સમયે શેરડીની ચૂકવણી કરી શકશે. શેરડીના ઓછા ઉત્પાદનના કારણે સરકારની ખાંડની નિકાસની યોજના પર પણ પાણી ફરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ખાંડના ભાવે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.


કયા રાજ્યમાં કેટલો ભાવ વધારો


મીડિયા રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના ખાંડ ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા ખાંડ વર્ષ 2022-23 દરમિયાન રાજ્યમાં 10.5 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાનો સુધારેલ અંદાજ છે. અગાઉ રાજ્યમાં ખાંડનું કુલ ઉત્પાદન 13.7 મિલિયન ટન હોવાનો અંદાજ હતો. ખાંડના ભાવમાં તાજેતરમાં પ્રતિ ક્વિન્ટલ 50 થી 70 રૂપિયાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં M/30 ગ્રેડની ખાંડની એક્સ મિલ કિંમત 3480 થી 3500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે. બીજી તરફ કર્ણાટકમાં 3550 રૂપિયા, યુપીમાં 3635થી 3695 રૂપિયા, ગુજરાતમાં 3501થી 3541 રૂપિયા, તમિલનાડુમાં 3550થી 3600 રૂપિયા, મધ્યપ્રદેશમાં 3650થી 3600 રૂપિયા અને 3725થી 371 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. પંજાબમાં ક્વિન્ટલ. આમાં GSTનો સમાવેશ થતો નથી. હાજર ભાવની વાત કરીએ તો દિલ્હીમાં M30 ગ્રેડની ખાંડની કિંમત 3,969 રૂપિયા, કાનપુરમાં 3916.50 રૂપિયા, કોલ્હાપુરમાં 3727.50 રૂપિયા, કોલકાતામાં 4126.50 રૂપિયા અને મુઝફ્ફરનગરમાં 3885 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.