અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરતી અરજી સુપ્રીમે સ્વિકારી, કાલે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-09 13:14:46

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ રિપોર્ટની તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અદાલતે કેન્દ્ર સરકારને આ માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ.


અરજીકર્તાએ કોર્ટમાં શું દલીલ કરી?


અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ ગુરુવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની તાકીદની યાદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બેંચને કહ્યું કે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી 10 ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની છે. તેમણે બેન્ચને એક અલગ અરજી સાથે શુક્રવારે તેમની અરજીની સુનાવણી કરવા વિનંતી કરી. બેંચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. ગયા સપ્તાહની શરૂઆતમાં, એડવોકેટ એમએલ શર્માએ અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શોર્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત અને અમેરિકામાં તેના સહયોગીઓ વિરુદ્ધ નિર્દોષ રોકાણકારોનું શોષણ કરવા અને અદાણી ગ્રુપના મૂલ્યને કથિત રીતે નીચે લાવવાના આરોપ હેઠળ કેસ ચલાવવાની માગ કરી હતી. 


મામલો શું છે?
 

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં અદાણી જૂથ પર છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેક્સન અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે માહિતી જાહેર કરવા સંબંધિત તમામ કાયદા અને નીતિઓનું પાલન કરે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.