અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરતી અરજી સુપ્રીમે સ્વિકારી, કાલે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-09 13:14:46

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ રિપોર્ટની તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અદાલતે કેન્દ્ર સરકારને આ માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ.


અરજીકર્તાએ કોર્ટમાં શું દલીલ કરી?


અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ ગુરુવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની તાકીદની યાદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બેંચને કહ્યું કે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી 10 ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની છે. તેમણે બેન્ચને એક અલગ અરજી સાથે શુક્રવારે તેમની અરજીની સુનાવણી કરવા વિનંતી કરી. બેંચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. ગયા સપ્તાહની શરૂઆતમાં, એડવોકેટ એમએલ શર્માએ અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શોર્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત અને અમેરિકામાં તેના સહયોગીઓ વિરુદ્ધ નિર્દોષ રોકાણકારોનું શોષણ કરવા અને અદાણી ગ્રુપના મૂલ્યને કથિત રીતે નીચે લાવવાના આરોપ હેઠળ કેસ ચલાવવાની માગ કરી હતી. 


મામલો શું છે?
 

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં અદાણી જૂથ પર છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેક્સન અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે માહિતી જાહેર કરવા સંબંધિત તમામ કાયદા અને નીતિઓનું પાલન કરે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.