અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરતી અરજી સુપ્રીમે સ્વિકારી, કાલે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-09 13:14:46

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ રિપોર્ટની તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અદાલતે કેન્દ્ર સરકારને આ માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ.


અરજીકર્તાએ કોર્ટમાં શું દલીલ કરી?


અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ ગુરુવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની તાકીદની યાદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બેંચને કહ્યું કે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી 10 ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની છે. તેમણે બેન્ચને એક અલગ અરજી સાથે શુક્રવારે તેમની અરજીની સુનાવણી કરવા વિનંતી કરી. બેંચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. ગયા સપ્તાહની શરૂઆતમાં, એડવોકેટ એમએલ શર્માએ અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શોર્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત અને અમેરિકામાં તેના સહયોગીઓ વિરુદ્ધ નિર્દોષ રોકાણકારોનું શોષણ કરવા અને અદાણી ગ્રુપના મૂલ્યને કથિત રીતે નીચે લાવવાના આરોપ હેઠળ કેસ ચલાવવાની માગ કરી હતી. 


મામલો શું છે?
 

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં અદાણી જૂથ પર છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેક્સન અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે માહિતી જાહેર કરવા સંબંધિત તમામ કાયદા અને નીતિઓનું પાલન કરે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.