લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનું પહેલું ટીઝર આવ્યું સામે! ભાજપે લખ્યું મુજે ચલતે જાના હૈ....


  • Published By :
  • Published Date : 2023-03-15 09:15:06

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ  તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપ પણ 2024માં થનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો, યોજનાઓ તેમજ સરકાર પર કરવામાં આવેલા પ્રહારોને લઈ એક એનિમેડેટ વીડિયો શેર કર્યો છે.

   

પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું!

એક તરફ જ્યાં વિપક્ષમાં એકતાની કમી દેખાઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપે 2024 લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો, યોજનાઓની માહિતી આપવામાં આવી છે. વીડિયોને જોતા લાગે છે કે  2024 ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત વીડિયોમાં અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ પર પણ કટાક્ષ કર્યા છે. ત્યારે દેશ 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. કેપ્શન એવું આપવામાં આવ્યું છે મુજે ચલતે જાના હૈ...


આવનાર દિવસોમાં આવી શકે છે રસપ્રદ વળાંક! 

હજી લોકસભાની ચૂંટણીને અનેક મહિનાઓ બાકી છે. રાજકીય પાર્ટીઓએ હજી સુધી એક્ટીવ થઈ પ્રચારમાં નથી ઉતરી. આવનાર મહિનાઓમાં રાજનીતિમાં અનેક વળાંક આવી શકે છે. પ્રચાર દરમિયાન એક બીજા પર શાબ્દિક પ્રહાર પણ કરવામાં આવી શકે છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણી રસપ્રદ રહી શકે છે તેવું લાગી રહ્યું છે.     

    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.