લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનું પહેલું ટીઝર આવ્યું સામે! ભાજપે લખ્યું મુજે ચલતે જાના હૈ....


  • Published By :
  • Published Date : 2023-03-15 09:15:06

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ  તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપ પણ 2024માં થનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો, યોજનાઓ તેમજ સરકાર પર કરવામાં આવેલા પ્રહારોને લઈ એક એનિમેડેટ વીડિયો શેર કર્યો છે.

   

પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું!

એક તરફ જ્યાં વિપક્ષમાં એકતાની કમી દેખાઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપે 2024 લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો, યોજનાઓની માહિતી આપવામાં આવી છે. વીડિયોને જોતા લાગે છે કે  2024 ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત વીડિયોમાં અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ પર પણ કટાક્ષ કર્યા છે. ત્યારે દેશ 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. કેપ્શન એવું આપવામાં આવ્યું છે મુજે ચલતે જાના હૈ...


આવનાર દિવસોમાં આવી શકે છે રસપ્રદ વળાંક! 

હજી લોકસભાની ચૂંટણીને અનેક મહિનાઓ બાકી છે. રાજકીય પાર્ટીઓએ હજી સુધી એક્ટીવ થઈ પ્રચારમાં નથી ઉતરી. આવનાર મહિનાઓમાં રાજનીતિમાં અનેક વળાંક આવી શકે છે. પ્રચાર દરમિયાન એક બીજા પર શાબ્દિક પ્રહાર પણ કરવામાં આવી શકે છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણી રસપ્રદ રહી શકે છે તેવું લાગી રહ્યું છે.     

    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.