લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનું પહેલું ટીઝર આવ્યું સામે! ભાજપે લખ્યું મુજે ચલતે જાના હૈ....


  • Published By :
  • Published Date : 2023-03-15 09:15:06

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ  તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપ પણ 2024માં થનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો, યોજનાઓ તેમજ સરકાર પર કરવામાં આવેલા પ્રહારોને લઈ એક એનિમેડેટ વીડિયો શેર કર્યો છે.

   

પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું!

એક તરફ જ્યાં વિપક્ષમાં એકતાની કમી દેખાઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપે 2024 લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો, યોજનાઓની માહિતી આપવામાં આવી છે. વીડિયોને જોતા લાગે છે કે  2024 ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત વીડિયોમાં અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ પર પણ કટાક્ષ કર્યા છે. ત્યારે દેશ 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. કેપ્શન એવું આપવામાં આવ્યું છે મુજે ચલતે જાના હૈ...


આવનાર દિવસોમાં આવી શકે છે રસપ્રદ વળાંક! 

હજી લોકસભાની ચૂંટણીને અનેક મહિનાઓ બાકી છે. રાજકીય પાર્ટીઓએ હજી સુધી એક્ટીવ થઈ પ્રચારમાં નથી ઉતરી. આવનાર મહિનાઓમાં રાજનીતિમાં અનેક વળાંક આવી શકે છે. પ્રચાર દરમિયાન એક બીજા પર શાબ્દિક પ્રહાર પણ કરવામાં આવી શકે છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણી રસપ્રદ રહી શકે છે તેવું લાગી રહ્યું છે.     

    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.