લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનું પહેલું ટીઝર આવ્યું સામે! ભાજપે લખ્યું મુજે ચલતે જાના હૈ....


  • Published By :
  • Published Date : 2023-03-15 09:15:06

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ  તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપ પણ 2024માં થનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો, યોજનાઓ તેમજ સરકાર પર કરવામાં આવેલા પ્રહારોને લઈ એક એનિમેડેટ વીડિયો શેર કર્યો છે.

   

પ્રચારનું પહેલું ટીઝર સામે આવ્યું!

એક તરફ જ્યાં વિપક્ષમાં એકતાની કમી દેખાઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપે 2024 લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો, યોજનાઓની માહિતી આપવામાં આવી છે. વીડિયોને જોતા લાગે છે કે  2024 ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત વીડિયોમાં અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ પર પણ કટાક્ષ કર્યા છે. ત્યારે દેશ 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. કેપ્શન એવું આપવામાં આવ્યું છે મુજે ચલતે જાના હૈ...


આવનાર દિવસોમાં આવી શકે છે રસપ્રદ વળાંક! 

હજી લોકસભાની ચૂંટણીને અનેક મહિનાઓ બાકી છે. રાજકીય પાર્ટીઓએ હજી સુધી એક્ટીવ થઈ પ્રચારમાં નથી ઉતરી. આવનાર મહિનાઓમાં રાજનીતિમાં અનેક વળાંક આવી શકે છે. પ્રચાર દરમિયાન એક બીજા પર શાબ્દિક પ્રહાર પણ કરવામાં આવી શકે છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણી રસપ્રદ રહી શકે છે તેવું લાગી રહ્યું છે.     

    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.