સંસદમાં ઉઠ્યો અદાણીનો મુદ્દો, હંગામો થતા લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-02-03 12:07:50

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો ચોથો દિવસ છે. પરંતુ આ સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી હંગામેદાર રહ્યું છે. 11 વાગ્યે આ કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ સત્ર શરૂ થયું તેના થોડા સમય બાદ જ સંસદની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 

Image

લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત 

અદાણી ગ્રુપને લઈ સંસદમાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો. સત્રના ત્રીજા દિવસે પણ આ મુદ્દાને લઈ હોબાળો થયો હતો તો સત્રના ચોથા દિવસે પણ આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માગ કરવામાં આવી છે.આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી. જેને લઈ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી તો તેમજ રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મલ્લિકાર્જૂન ખડગેએ બોલાવી હતી વિપક્ષી દળોના નેતાઓની બેઠક

તે સિવાય સંસદમાં મોંઘવારી, બેરોજગારી બીબીસી ડોક્યુમેન્ટરી, ભારત-ચીન વિવાદ જેવા બીજા મુદ્દાઓ પણ ઉઠ્યા હતા. સરકારને ઘેરવા મલ્લિકાર્જૂન ખડગે વિપક્ષી દળોની બેઠક પણ કરી હતી. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દ્રષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ વિશે ગ્રુહમાં ચર્ચા થવી જોઈએ.                   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.