સંસદમાં ઉઠ્યો અદાણીનો મુદ્દો, હંગામો થતા લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-02-03 12:07:50

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો ચોથો દિવસ છે. પરંતુ આ સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી હંગામેદાર રહ્યું છે. 11 વાગ્યે આ કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ સત્ર શરૂ થયું તેના થોડા સમય બાદ જ સંસદની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 

Image

લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત 

અદાણી ગ્રુપને લઈ સંસદમાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો. સત્રના ત્રીજા દિવસે પણ આ મુદ્દાને લઈ હોબાળો થયો હતો તો સત્રના ચોથા દિવસે પણ આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માગ કરવામાં આવી છે.આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી. જેને લઈ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી તો તેમજ રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મલ્લિકાર્જૂન ખડગેએ બોલાવી હતી વિપક્ષી દળોના નેતાઓની બેઠક

તે સિવાય સંસદમાં મોંઘવારી, બેરોજગારી બીબીસી ડોક્યુમેન્ટરી, ભારત-ચીન વિવાદ જેવા બીજા મુદ્દાઓ પણ ઉઠ્યા હતા. સરકારને ઘેરવા મલ્લિકાર્જૂન ખડગે વિપક્ષી દળોની બેઠક પણ કરી હતી. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દ્રષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ વિશે ગ્રુહમાં ચર્ચા થવી જોઈએ.                   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.