સંસદમાં ઉઠ્યો અદાણીનો મુદ્દો, હંગામો થતા લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-02-03 12:07:50

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો ચોથો દિવસ છે. પરંતુ આ સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી હંગામેદાર રહ્યું છે. 11 વાગ્યે આ કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ સત્ર શરૂ થયું તેના થોડા સમય બાદ જ સંસદની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 

Image

લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત 

અદાણી ગ્રુપને લઈ સંસદમાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો. સત્રના ત્રીજા દિવસે પણ આ મુદ્દાને લઈ હોબાળો થયો હતો તો સત્રના ચોથા દિવસે પણ આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માગ કરવામાં આવી છે.આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી. જેને લઈ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી તો તેમજ રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મલ્લિકાર્જૂન ખડગેએ બોલાવી હતી વિપક્ષી દળોના નેતાઓની બેઠક

તે સિવાય સંસદમાં મોંઘવારી, બેરોજગારી બીબીસી ડોક્યુમેન્ટરી, ભારત-ચીન વિવાદ જેવા બીજા મુદ્દાઓ પણ ઉઠ્યા હતા. સરકારને ઘેરવા મલ્લિકાર્જૂન ખડગે વિપક્ષી દળોની બેઠક પણ કરી હતી. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દ્રષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ વિશે ગ્રુહમાં ચર્ચા થવી જોઈએ.                   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.