સોમવાર સુધી લોકસભા તેમજ રાજ્યસભા કરાઈ સ્થગિત, ભારે હોબાળો થતા લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-17 12:46:59

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત ભાજપ અને કોંગ્રેસ સાંસદોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ ભારતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ માગ કરી રહી છે કે રાહુલ ગાંધી માફી માગે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. સત્રમાં અનેક વખત ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને આવી ગયા છે ત્યારે ભારે હોબાળાને કારણે બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

        

નાગરિકોને સ્પર્શતા સવાલો ક્યારે ઉઠશે સંસદમાં?

અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થતી હોય છે. દેશવાસીઓને આશા હોય છે કે સત્રમાં લોકોના હિત માટે નિર્ણય લેવાય. લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી, વધતા અપરાધો સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવે પરંતુ જ્યારે સત્ર પાંચમા દિવસે પણ હોબાળાને કારણે સત્ર સ્થગિત કરવામાં આવે તો નાગરિકોના પૈસાનું પાણી કરી રહ્યા છે.  





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.