સોમવાર સુધી લોકસભા તેમજ રાજ્યસભા કરાઈ સ્થગિત, ભારે હોબાળો થતા લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-17 12:46:59

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત ભાજપ અને કોંગ્રેસ સાંસદોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ ભારતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ માગ કરી રહી છે કે રાહુલ ગાંધી માફી માગે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. સત્રમાં અનેક વખત ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને આવી ગયા છે ત્યારે ભારે હોબાળાને કારણે બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

        

નાગરિકોને સ્પર્શતા સવાલો ક્યારે ઉઠશે સંસદમાં?

અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થતી હોય છે. દેશવાસીઓને આશા હોય છે કે સત્રમાં લોકોના હિત માટે નિર્ણય લેવાય. લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી, વધતા અપરાધો સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવે પરંતુ જ્યારે સત્ર પાંચમા દિવસે પણ હોબાળાને કારણે સત્ર સ્થગિત કરવામાં આવે તો નાગરિકોના પૈસાનું પાણી કરી રહ્યા છે.  





રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.