સોમવાર સુધી લોકસભા તેમજ રાજ્યસભા કરાઈ સ્થગિત, ભારે હોબાળો થતા લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-17 12:46:59

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત ભાજપ અને કોંગ્રેસ સાંસદોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ ભારતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ માગ કરી રહી છે કે રાહુલ ગાંધી માફી માગે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. સત્રમાં અનેક વખત ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને આવી ગયા છે ત્યારે ભારે હોબાળાને કારણે બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

        

નાગરિકોને સ્પર્શતા સવાલો ક્યારે ઉઠશે સંસદમાં?

અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થતી હોય છે. દેશવાસીઓને આશા હોય છે કે સત્રમાં લોકોના હિત માટે નિર્ણય લેવાય. લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી, વધતા અપરાધો સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવે પરંતુ જ્યારે સત્ર પાંચમા દિવસે પણ હોબાળાને કારણે સત્ર સ્થગિત કરવામાં આવે તો નાગરિકોના પૈસાનું પાણી કરી રહ્યા છે.  





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.