સોમવાર સુધી લોકસભા તેમજ રાજ્યસભા કરાઈ સ્થગિત, ભારે હોબાળો થતા લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-17 12:46:59

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત ભાજપ અને કોંગ્રેસ સાંસદોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ ભારતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ માગ કરી રહી છે કે રાહુલ ગાંધી માફી માગે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. સત્રમાં અનેક વખત ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને આવી ગયા છે ત્યારે ભારે હોબાળાને કારણે બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

        

નાગરિકોને સ્પર્શતા સવાલો ક્યારે ઉઠશે સંસદમાં?

અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થતી હોય છે. દેશવાસીઓને આશા હોય છે કે સત્રમાં લોકોના હિત માટે નિર્ણય લેવાય. લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી, વધતા અપરાધો સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવે પરંતુ જ્યારે સત્ર પાંચમા દિવસે પણ હોબાળાને કારણે સત્ર સ્થગિત કરવામાં આવે તો નાગરિકોના પૈસાનું પાણી કરી રહ્યા છે.  





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.