રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય, જુઓ પછી શું થયું કે તેમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-03-30 17:05:40

કહેવાય છે કે રોડ રસ્તા સારા હોય તો તે રાજ્યની અથવા તો દેશની પ્રગતિ ખૂબ જલ્દી થાય છે. અર્થવ્યવસ્થાને વેગ આપવામાં રસ્તાનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આજ કાલ એવા રસ્તાઓ જોવા મળે છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે રોડ પર રહેલી કપચી નીકળી ગઈ અને માત્ર રેતી રહી ગઈ.


રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેમાં આપણને સ્પર્શતા મુદ્દાઓ પણ ઉઠાવાતા હોય છે. ગુજરાતમાં રસ્તાને લઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. હલકી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ થવાને કારણે રસ્તા પર ખાડા અથવા તો કપચી બહુ ઓછા સમયમાં નીકળી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરી રહ્યા છે.



પગથી રસ્તા પર પથરાયેલી કપચી ધારાસભ્યએ હટાવી દીધી!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાનો હોય છે. જખનિયા વિસ્તારમાં એક રોડ બનવાનો હતો. રોડ બની ગયો હતો જેને લઈ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામ રોડનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્યના જે પ્રતિક્રિયા આપી તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેદી રામે રોડનું નિરીક્ષણ દરમિયાન જ રસ્તાને પગથી ઉખાડી દીધો. રોડની હાલત એવી હતી કે કપચી તરત નીકળી ગઈ અને નીચે માટી દેખાવા લાગી. જેને લઈ વિધાયક ગુસ્સે થઈ ગયા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ કમેન્ટ પણ કરી હતી. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.