રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય, જુઓ પછી શું થયું કે તેમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-30 17:05:40

કહેવાય છે કે રોડ રસ્તા સારા હોય તો તે રાજ્યની અથવા તો દેશની પ્રગતિ ખૂબ જલ્દી થાય છે. અર્થવ્યવસ્થાને વેગ આપવામાં રસ્તાનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આજ કાલ એવા રસ્તાઓ જોવા મળે છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે રોડ પર રહેલી કપચી નીકળી ગઈ અને માત્ર રેતી રહી ગઈ.


રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેમાં આપણને સ્પર્શતા મુદ્દાઓ પણ ઉઠાવાતા હોય છે. ગુજરાતમાં રસ્તાને લઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. હલકી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ થવાને કારણે રસ્તા પર ખાડા અથવા તો કપચી બહુ ઓછા સમયમાં નીકળી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરી રહ્યા છે.



પગથી રસ્તા પર પથરાયેલી કપચી ધારાસભ્યએ હટાવી દીધી!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાનો હોય છે. જખનિયા વિસ્તારમાં એક રોડ બનવાનો હતો. રોડ બની ગયો હતો જેને લઈ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામ રોડનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્યના જે પ્રતિક્રિયા આપી તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેદી રામે રોડનું નિરીક્ષણ દરમિયાન જ રસ્તાને પગથી ઉખાડી દીધો. રોડની હાલત એવી હતી કે કપચી તરત નીકળી ગઈ અને નીચે માટી દેખાવા લાગી. જેને લઈ વિધાયક ગુસ્સે થઈ ગયા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ કમેન્ટ પણ કરી હતી. 




ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.