રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય, જુઓ પછી શું થયું કે તેમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-03-30 17:05:40

કહેવાય છે કે રોડ રસ્તા સારા હોય તો તે રાજ્યની અથવા તો દેશની પ્રગતિ ખૂબ જલ્દી થાય છે. અર્થવ્યવસ્થાને વેગ આપવામાં રસ્તાનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આજ કાલ એવા રસ્તાઓ જોવા મળે છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે રોડ પર રહેલી કપચી નીકળી ગઈ અને માત્ર રેતી રહી ગઈ.


રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેમાં આપણને સ્પર્શતા મુદ્દાઓ પણ ઉઠાવાતા હોય છે. ગુજરાતમાં રસ્તાને લઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. હલકી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ થવાને કારણે રસ્તા પર ખાડા અથવા તો કપચી બહુ ઓછા સમયમાં નીકળી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરી રહ્યા છે.



પગથી રસ્તા પર પથરાયેલી કપચી ધારાસભ્યએ હટાવી દીધી!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાનો હોય છે. જખનિયા વિસ્તારમાં એક રોડ બનવાનો હતો. રોડ બની ગયો હતો જેને લઈ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામ રોડનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્યના જે પ્રતિક્રિયા આપી તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેદી રામે રોડનું નિરીક્ષણ દરમિયાન જ રસ્તાને પગથી ઉખાડી દીધો. રોડની હાલત એવી હતી કે કપચી તરત નીકળી ગઈ અને નીચે માટી દેખાવા લાગી. જેને લઈ વિધાયક ગુસ્સે થઈ ગયા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ કમેન્ટ પણ કરી હતી. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.