રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય, જુઓ પછી શું થયું કે તેમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-03-30 17:05:40

કહેવાય છે કે રોડ રસ્તા સારા હોય તો તે રાજ્યની અથવા તો દેશની પ્રગતિ ખૂબ જલ્દી થાય છે. અર્થવ્યવસ્થાને વેગ આપવામાં રસ્તાનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આજ કાલ એવા રસ્તાઓ જોવા મળે છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે રોડ પર રહેલી કપચી નીકળી ગઈ અને માત્ર રેતી રહી ગઈ.


રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેમાં આપણને સ્પર્શતા મુદ્દાઓ પણ ઉઠાવાતા હોય છે. ગુજરાતમાં રસ્તાને લઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. હલકી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ થવાને કારણે રસ્તા પર ખાડા અથવા તો કપચી બહુ ઓછા સમયમાં નીકળી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરી રહ્યા છે.



પગથી રસ્તા પર પથરાયેલી કપચી ધારાસભ્યએ હટાવી દીધી!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાનો હોય છે. જખનિયા વિસ્તારમાં એક રોડ બનવાનો હતો. રોડ બની ગયો હતો જેને લઈ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામ રોડનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્યના જે પ્રતિક્રિયા આપી તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેદી રામે રોડનું નિરીક્ષણ દરમિયાન જ રસ્તાને પગથી ઉખાડી દીધો. રોડની હાલત એવી હતી કે કપચી તરત નીકળી ગઈ અને નીચે માટી દેખાવા લાગી. જેને લઈ વિધાયક ગુસ્સે થઈ ગયા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ કમેન્ટ પણ કરી હતી. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.