કુસ્તીબાજોના વ્હારે આવી સુપ્રીમ કોર્ટ! બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપમાં કેસ કરાશે દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:17:00

છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. બ્રિજભૂષણસિંહ પર એક સગીર કુસ્તીબાજ સહિત 7 મહિલા કુસ્તીબાજોએ શારીરિક શોષણના આરોપો મુક્યા છે. દિલ્હી પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર દાખલ નહોતી કરી.  જે પછી આ કુસ્તીબાજો દિલ્હીના જંતરમંતર પર  ધરણા-પ્રદર્શન પર બેઠા હતા..  અને સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી.. કુસ્તીબાજો વતી સુપ્રીમ કોર્ટમાં આ કેસ સીનિયર વકીલ કપિલ સિબ્બલે લડ્યો હતો.

        

આગામી સુનાવણી 17મેના રોજ હાથ ધરાશે!

સુનાવણી દરમિયાન કુસ્તીબાજો વતી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે કહ્યું દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપવા કહ્યું. આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ થવાની છે.  


અનેક ખેલાડીઓએ આપી છે આ મામલે પ્રતિક્રિયા!

મહત્વનું છે કે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવી રહ્યા છે. બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળી રહ્યો છે. નીરજ ચોપરા: આપણા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે, એ જોઈને દુઃખ થાય છે. તેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ. તે સિવાય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે એક મહિલા તરીકે આ ખેલાડીઓને આ રીતે જોવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે આપણા દેશ માટે સન્માન અપાવે છે, ત્યારે આપણે બધા ઉજવણી કરીએ છીએ. હવે આ મુશ્કેલ સમયમાં બધાએ તેમનો સાથ આપવો જોઈએ. આશા છે કે આજે નહીં તો કાલે તેમને ન્યાય મળશે.


ઈરફાન પઠાણે પણ આપી પ્રતિક્રિયા!

ભારતીય ટીમના ક્રિકેટર ઈરફાન પઠાણએ કહ્યું કે ભારતીય એથ્લેટ્સ હંમેશા આપણા ગૌરવ છે, માત્ર ત્યારે જ નહીં જ્યારે તેઓ અમને મેડલ અપાવે છે. તે સિવાય હરભજન સિંહે કહ્યું સાક્ષી, વિનેશ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે દેશના ગૌરવને રસ્તા પર વિરોધ કરી રહેલા જોઈને મને દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે તેમને ન્યાય મળે. 


હરિયાણા રેસલિંગ એસોસિયેશન તરફથી આવી પ્રતિક્રિયા! 

તો બીજી તરફ  હરિયાણા રેસલિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું- વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી. ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણાં પર બેસી શકે નહીં.


બ્રિજભૂષણ શરણ સિંહનો સામે આવ્યો વીડિયો!

કુસ્તીબાજોની હડતાળ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેઓ એક કવિતા વાંચી રહ્યા છે.  પોતાની દૃઢતા અને સંઘર્ષની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, જે દિવસે મારો સંઘર્ષ સમાપ્ત થશે એ દિવસે મારું મૃત્યુ નજીક આવશે



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.