કુસ્તીબાજોના વ્હારે આવી સુપ્રીમ કોર્ટ! બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપમાં કેસ કરાશે દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:17:00

છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. બ્રિજભૂષણસિંહ પર એક સગીર કુસ્તીબાજ સહિત 7 મહિલા કુસ્તીબાજોએ શારીરિક શોષણના આરોપો મુક્યા છે. દિલ્હી પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર દાખલ નહોતી કરી.  જે પછી આ કુસ્તીબાજો દિલ્હીના જંતરમંતર પર  ધરણા-પ્રદર્શન પર બેઠા હતા..  અને સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી.. કુસ્તીબાજો વતી સુપ્રીમ કોર્ટમાં આ કેસ સીનિયર વકીલ કપિલ સિબ્બલે લડ્યો હતો.

        

આગામી સુનાવણી 17મેના રોજ હાથ ધરાશે!

સુનાવણી દરમિયાન કુસ્તીબાજો વતી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે કહ્યું દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપવા કહ્યું. આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ થવાની છે.  


અનેક ખેલાડીઓએ આપી છે આ મામલે પ્રતિક્રિયા!

મહત્વનું છે કે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવી રહ્યા છે. બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળી રહ્યો છે. નીરજ ચોપરા: આપણા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે, એ જોઈને દુઃખ થાય છે. તેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ. તે સિવાય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે એક મહિલા તરીકે આ ખેલાડીઓને આ રીતે જોવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે આપણા દેશ માટે સન્માન અપાવે છે, ત્યારે આપણે બધા ઉજવણી કરીએ છીએ. હવે આ મુશ્કેલ સમયમાં બધાએ તેમનો સાથ આપવો જોઈએ. આશા છે કે આજે નહીં તો કાલે તેમને ન્યાય મળશે.


ઈરફાન પઠાણે પણ આપી પ્રતિક્રિયા!

ભારતીય ટીમના ક્રિકેટર ઈરફાન પઠાણએ કહ્યું કે ભારતીય એથ્લેટ્સ હંમેશા આપણા ગૌરવ છે, માત્ર ત્યારે જ નહીં જ્યારે તેઓ અમને મેડલ અપાવે છે. તે સિવાય હરભજન સિંહે કહ્યું સાક્ષી, વિનેશ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે દેશના ગૌરવને રસ્તા પર વિરોધ કરી રહેલા જોઈને મને દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે તેમને ન્યાય મળે. 


હરિયાણા રેસલિંગ એસોસિયેશન તરફથી આવી પ્રતિક્રિયા! 

તો બીજી તરફ  હરિયાણા રેસલિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું- વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી. ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણાં પર બેસી શકે નહીં.


બ્રિજભૂષણ શરણ સિંહનો સામે આવ્યો વીડિયો!

કુસ્તીબાજોની હડતાળ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેઓ એક કવિતા વાંચી રહ્યા છે.  પોતાની દૃઢતા અને સંઘર્ષની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, જે દિવસે મારો સંઘર્ષ સમાપ્ત થશે એ દિવસે મારું મૃત્યુ નજીક આવશે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.