કુસ્તીબાજોના વ્હારે આવી સુપ્રીમ કોર્ટ! બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપમાં કેસ કરાશે દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:17:00

છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. બ્રિજભૂષણસિંહ પર એક સગીર કુસ્તીબાજ સહિત 7 મહિલા કુસ્તીબાજોએ શારીરિક શોષણના આરોપો મુક્યા છે. દિલ્હી પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર દાખલ નહોતી કરી.  જે પછી આ કુસ્તીબાજો દિલ્હીના જંતરમંતર પર  ધરણા-પ્રદર્શન પર બેઠા હતા..  અને સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી.. કુસ્તીબાજો વતી સુપ્રીમ કોર્ટમાં આ કેસ સીનિયર વકીલ કપિલ સિબ્બલે લડ્યો હતો.

        

આગામી સુનાવણી 17મેના રોજ હાથ ધરાશે!

સુનાવણી દરમિયાન કુસ્તીબાજો વતી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે કહ્યું દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપવા કહ્યું. આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ થવાની છે.  


અનેક ખેલાડીઓએ આપી છે આ મામલે પ્રતિક્રિયા!

મહત્વનું છે કે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવી રહ્યા છે. બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળી રહ્યો છે. નીરજ ચોપરા: આપણા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે, એ જોઈને દુઃખ થાય છે. તેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ. તે સિવાય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે એક મહિલા તરીકે આ ખેલાડીઓને આ રીતે જોવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે આપણા દેશ માટે સન્માન અપાવે છે, ત્યારે આપણે બધા ઉજવણી કરીએ છીએ. હવે આ મુશ્કેલ સમયમાં બધાએ તેમનો સાથ આપવો જોઈએ. આશા છે કે આજે નહીં તો કાલે તેમને ન્યાય મળશે.


ઈરફાન પઠાણે પણ આપી પ્રતિક્રિયા!

ભારતીય ટીમના ક્રિકેટર ઈરફાન પઠાણએ કહ્યું કે ભારતીય એથ્લેટ્સ હંમેશા આપણા ગૌરવ છે, માત્ર ત્યારે જ નહીં જ્યારે તેઓ અમને મેડલ અપાવે છે. તે સિવાય હરભજન સિંહે કહ્યું સાક્ષી, વિનેશ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે દેશના ગૌરવને રસ્તા પર વિરોધ કરી રહેલા જોઈને મને દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે તેમને ન્યાય મળે. 


હરિયાણા રેસલિંગ એસોસિયેશન તરફથી આવી પ્રતિક્રિયા! 

તો બીજી તરફ  હરિયાણા રેસલિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું- વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી. ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણાં પર બેસી શકે નહીં.


બ્રિજભૂષણ શરણ સિંહનો સામે આવ્યો વીડિયો!

કુસ્તીબાજોની હડતાળ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેઓ એક કવિતા વાંચી રહ્યા છે.  પોતાની દૃઢતા અને સંઘર્ષની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, જે દિવસે મારો સંઘર્ષ સમાપ્ત થશે એ દિવસે મારું મૃત્યુ નજીક આવશે



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.