કુસ્તીબાજોના વ્હારે આવી સુપ્રીમ કોર્ટ! બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપમાં કેસ કરાશે દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:17:00

છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. બ્રિજભૂષણસિંહ પર એક સગીર કુસ્તીબાજ સહિત 7 મહિલા કુસ્તીબાજોએ શારીરિક શોષણના આરોપો મુક્યા છે. દિલ્હી પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર દાખલ નહોતી કરી.  જે પછી આ કુસ્તીબાજો દિલ્હીના જંતરમંતર પર  ધરણા-પ્રદર્શન પર બેઠા હતા..  અને સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી.. કુસ્તીબાજો વતી સુપ્રીમ કોર્ટમાં આ કેસ સીનિયર વકીલ કપિલ સિબ્બલે લડ્યો હતો.

        

આગામી સુનાવણી 17મેના રોજ હાથ ધરાશે!

સુનાવણી દરમિયાન કુસ્તીબાજો વતી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે કહ્યું દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપવા કહ્યું. આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ થવાની છે.  


અનેક ખેલાડીઓએ આપી છે આ મામલે પ્રતિક્રિયા!

મહત્વનું છે કે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવી રહ્યા છે. બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળી રહ્યો છે. નીરજ ચોપરા: આપણા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે, એ જોઈને દુઃખ થાય છે. તેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ. તે સિવાય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે એક મહિલા તરીકે આ ખેલાડીઓને આ રીતે જોવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે આપણા દેશ માટે સન્માન અપાવે છે, ત્યારે આપણે બધા ઉજવણી કરીએ છીએ. હવે આ મુશ્કેલ સમયમાં બધાએ તેમનો સાથ આપવો જોઈએ. આશા છે કે આજે નહીં તો કાલે તેમને ન્યાય મળશે.


ઈરફાન પઠાણે પણ આપી પ્રતિક્રિયા!

ભારતીય ટીમના ક્રિકેટર ઈરફાન પઠાણએ કહ્યું કે ભારતીય એથ્લેટ્સ હંમેશા આપણા ગૌરવ છે, માત્ર ત્યારે જ નહીં જ્યારે તેઓ અમને મેડલ અપાવે છે. તે સિવાય હરભજન સિંહે કહ્યું સાક્ષી, વિનેશ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે દેશના ગૌરવને રસ્તા પર વિરોધ કરી રહેલા જોઈને મને દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે તેમને ન્યાય મળે. 


હરિયાણા રેસલિંગ એસોસિયેશન તરફથી આવી પ્રતિક્રિયા! 

તો બીજી તરફ  હરિયાણા રેસલિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું- વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી. ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણાં પર બેસી શકે નહીં.


બ્રિજભૂષણ શરણ સિંહનો સામે આવ્યો વીડિયો!

કુસ્તીબાજોની હડતાળ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેઓ એક કવિતા વાંચી રહ્યા છે.  પોતાની દૃઢતા અને સંઘર્ષની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, જે દિવસે મારો સંઘર્ષ સમાપ્ત થશે એ દિવસે મારું મૃત્યુ નજીક આવશે



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.