પેન્શન માટે ગરમીમાં ચાલતી વૃદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ! નિર્મલા સીતારમણે વીડિયો ટ્વિટ કરી લખ્યું - માનવતા બતાવો


  • Published By :
  • Published Date : 2023-04-21 16:23:51

આપણામાંથી એવા અનેક લોકો હશે જેણે અનેક વખત કામ કરાવા માટે બેંકોના ધક્કા ખાધા હશે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ધક્કા ખાધા બાદ પણ કામ પૂર્ણ થતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા તૂટેલી ખુર્શીના સહારે ચાલતા ચાલતા બેંકમાં પેન્શન લેવા જઈ રહી છે. વીડિયોને ટ્વિટ કરતા નાણામંત્રીએ બેન્ક માટે લખ્યું કે થોડી તો માનવતા બતાવો.

  

સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો થયો હતો વાયરલ!

સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવું અઘરૂં છે. એ પછી સરકારી બેંક હોય કે પછી કોઈ સરકારી ઓફિસ હોય ત્યાં જતાં લોકો ઘણી વખત નિરાશાનો ભોગ બનતા હોય છે. અનેક ધક્કા ખાધા બાદ પણ અનેક વખત કામ પૂર્ણ નથી થતાં. એમાં પણ જે વૃદ્ધો હોય છે તેમને પેન્શન માટે અનેક ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તૂટી ખુરશીનો સહારો લઈ ઓડિશાની 70 વર્ષીય મહિલા પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જઈ રહી છે. આ મહિલાનું નામ સૂર્યા હરિજન હોવાનું સામે આવ્યું છે અને તેમનો પુત્ર બીજા રાજ્યમાં મજૂરી કામ કરે છે. 

वित्त मंत्री निर्मला सीतारमण ने वीडियो शेयर कर बैंक से सवाल किया।


નિર્મલા સીતારમણે વૃદ્ધાનો વીડિયો શેર કરી કહ્યું માનવતા બતાવવી પડશે    

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાતની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. વીડિયો ટ્વિટ કરી તેમણે બેંકના અધિકારીને ઝાટકી કાઢ્યા છે. નિર્મલા સીતારમણે લખ્યું કે તમારે માનવતા બતાવી પડશે. નાણામંત્રીના ટ્વિટર પર લખ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે બેંકના મેનેજર આની પર જવાબ આપી રહ્યા છે. પરંતુ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અને એસબીઆઈ આ મામલે માનવતા દેખાડી કોઈ કદમ ઉઠાવે. શું તમારી પાસે બેંક મિત્ર નથી? આની પર એસબીઆઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો 

 

નાણામંત્રીના ટ્વિટરનો આપ્યો જવાબ!

એસબીઆઈએ જવાબ આપતા લખ્યું કે આ વીડિયો જોઈ અમને પણ દુખ થયું. વૃદ્ધ મહિલા દર મહિને પોતાના ગામમાં સ્થિત સીએસપી પોઈન્ટથી પેન્શન કાઢે છે. વૃદ્ધ હોવાને કારણે તેમની ફિંગર પ્રીન્ટ મેચ નથી થતીં. તે પોતાના સંબંધી સાથે ઝારીગાંવ સ્થિત અમારી બ્રાન્ચમાં ગયા હતા. મેનેજરે તેમને તરત જ પૈસા નિકાળીને આપી દીધા હતા. વધુમાં મેનેજરે કહ્યું કે હવેથી દર મહિને મહિલાના ઘરે પેન્શન પહોંચી જશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.