પેન્શન માટે ગરમીમાં ચાલતી વૃદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ! નિર્મલા સીતારમણે વીડિયો ટ્વિટ કરી લખ્યું - માનવતા બતાવો


  • Published By :
  • Published Date : 2023-04-21 16:23:51

આપણામાંથી એવા અનેક લોકો હશે જેણે અનેક વખત કામ કરાવા માટે બેંકોના ધક્કા ખાધા હશે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ધક્કા ખાધા બાદ પણ કામ પૂર્ણ થતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા તૂટેલી ખુર્શીના સહારે ચાલતા ચાલતા બેંકમાં પેન્શન લેવા જઈ રહી છે. વીડિયોને ટ્વિટ કરતા નાણામંત્રીએ બેન્ક માટે લખ્યું કે થોડી તો માનવતા બતાવો.

  

સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો થયો હતો વાયરલ!

સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવું અઘરૂં છે. એ પછી સરકારી બેંક હોય કે પછી કોઈ સરકારી ઓફિસ હોય ત્યાં જતાં લોકો ઘણી વખત નિરાશાનો ભોગ બનતા હોય છે. અનેક ધક્કા ખાધા બાદ પણ અનેક વખત કામ પૂર્ણ નથી થતાં. એમાં પણ જે વૃદ્ધો હોય છે તેમને પેન્શન માટે અનેક ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તૂટી ખુરશીનો સહારો લઈ ઓડિશાની 70 વર્ષીય મહિલા પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જઈ રહી છે. આ મહિલાનું નામ સૂર્યા હરિજન હોવાનું સામે આવ્યું છે અને તેમનો પુત્ર બીજા રાજ્યમાં મજૂરી કામ કરે છે. 

वित्त मंत्री निर्मला सीतारमण ने वीडियो शेयर कर बैंक से सवाल किया।


નિર્મલા સીતારમણે વૃદ્ધાનો વીડિયો શેર કરી કહ્યું માનવતા બતાવવી પડશે    

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાતની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. વીડિયો ટ્વિટ કરી તેમણે બેંકના અધિકારીને ઝાટકી કાઢ્યા છે. નિર્મલા સીતારમણે લખ્યું કે તમારે માનવતા બતાવી પડશે. નાણામંત્રીના ટ્વિટર પર લખ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે બેંકના મેનેજર આની પર જવાબ આપી રહ્યા છે. પરંતુ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અને એસબીઆઈ આ મામલે માનવતા દેખાડી કોઈ કદમ ઉઠાવે. શું તમારી પાસે બેંક મિત્ર નથી? આની પર એસબીઆઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો 

 

નાણામંત્રીના ટ્વિટરનો આપ્યો જવાબ!

એસબીઆઈએ જવાબ આપતા લખ્યું કે આ વીડિયો જોઈ અમને પણ દુખ થયું. વૃદ્ધ મહિલા દર મહિને પોતાના ગામમાં સ્થિત સીએસપી પોઈન્ટથી પેન્શન કાઢે છે. વૃદ્ધ હોવાને કારણે તેમની ફિંગર પ્રીન્ટ મેચ નથી થતીં. તે પોતાના સંબંધી સાથે ઝારીગાંવ સ્થિત અમારી બ્રાન્ચમાં ગયા હતા. મેનેજરે તેમને તરત જ પૈસા નિકાળીને આપી દીધા હતા. વધુમાં મેનેજરે કહ્યું કે હવેથી દર મહિને મહિલાના ઘરે પેન્શન પહોંચી જશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.