પેન્શન માટે ગરમીમાં ચાલતી વૃદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ! નિર્મલા સીતારમણે વીડિયો ટ્વિટ કરી લખ્યું - માનવતા બતાવો


  • Published By :
  • Published Date : 2023-04-21 16:23:51

આપણામાંથી એવા અનેક લોકો હશે જેણે અનેક વખત કામ કરાવા માટે બેંકોના ધક્કા ખાધા હશે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ધક્કા ખાધા બાદ પણ કામ પૂર્ણ થતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા તૂટેલી ખુર્શીના સહારે ચાલતા ચાલતા બેંકમાં પેન્શન લેવા જઈ રહી છે. વીડિયોને ટ્વિટ કરતા નાણામંત્રીએ બેન્ક માટે લખ્યું કે થોડી તો માનવતા બતાવો.

  

સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો થયો હતો વાયરલ!

સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવું અઘરૂં છે. એ પછી સરકારી બેંક હોય કે પછી કોઈ સરકારી ઓફિસ હોય ત્યાં જતાં લોકો ઘણી વખત નિરાશાનો ભોગ બનતા હોય છે. અનેક ધક્કા ખાધા બાદ પણ અનેક વખત કામ પૂર્ણ નથી થતાં. એમાં પણ જે વૃદ્ધો હોય છે તેમને પેન્શન માટે અનેક ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તૂટી ખુરશીનો સહારો લઈ ઓડિશાની 70 વર્ષીય મહિલા પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જઈ રહી છે. આ મહિલાનું નામ સૂર્યા હરિજન હોવાનું સામે આવ્યું છે અને તેમનો પુત્ર બીજા રાજ્યમાં મજૂરી કામ કરે છે. 

वित्त मंत्री निर्मला सीतारमण ने वीडियो शेयर कर बैंक से सवाल किया।


નિર્મલા સીતારમણે વૃદ્ધાનો વીડિયો શેર કરી કહ્યું માનવતા બતાવવી પડશે    

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાતની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. વીડિયો ટ્વિટ કરી તેમણે બેંકના અધિકારીને ઝાટકી કાઢ્યા છે. નિર્મલા સીતારમણે લખ્યું કે તમારે માનવતા બતાવી પડશે. નાણામંત્રીના ટ્વિટર પર લખ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે બેંકના મેનેજર આની પર જવાબ આપી રહ્યા છે. પરંતુ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અને એસબીઆઈ આ મામલે માનવતા દેખાડી કોઈ કદમ ઉઠાવે. શું તમારી પાસે બેંક મિત્ર નથી? આની પર એસબીઆઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો 

 

નાણામંત્રીના ટ્વિટરનો આપ્યો જવાબ!

એસબીઆઈએ જવાબ આપતા લખ્યું કે આ વીડિયો જોઈ અમને પણ દુખ થયું. વૃદ્ધ મહિલા દર મહિને પોતાના ગામમાં સ્થિત સીએસપી પોઈન્ટથી પેન્શન કાઢે છે. વૃદ્ધ હોવાને કારણે તેમની ફિંગર પ્રીન્ટ મેચ નથી થતીં. તે પોતાના સંબંધી સાથે ઝારીગાંવ સ્થિત અમારી બ્રાન્ચમાં ગયા હતા. મેનેજરે તેમને તરત જ પૈસા નિકાળીને આપી દીધા હતા. વધુમાં મેનેજરે કહ્યું કે હવેથી દર મહિને મહિલાના ઘરે પેન્શન પહોંચી જશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.