પેન્શન માટે ગરમીમાં ચાલતી વૃદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ! નિર્મલા સીતારમણે વીડિયો ટ્વિટ કરી લખ્યું - માનવતા બતાવો


  • Published By :
  • Published Date : 2023-04-21 16:23:51

આપણામાંથી એવા અનેક લોકો હશે જેણે અનેક વખત કામ કરાવા માટે બેંકોના ધક્કા ખાધા હશે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ધક્કા ખાધા બાદ પણ કામ પૂર્ણ થતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા તૂટેલી ખુર્શીના સહારે ચાલતા ચાલતા બેંકમાં પેન્શન લેવા જઈ રહી છે. વીડિયોને ટ્વિટ કરતા નાણામંત્રીએ બેન્ક માટે લખ્યું કે થોડી તો માનવતા બતાવો.

  

સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો થયો હતો વાયરલ!

સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવું અઘરૂં છે. એ પછી સરકારી બેંક હોય કે પછી કોઈ સરકારી ઓફિસ હોય ત્યાં જતાં લોકો ઘણી વખત નિરાશાનો ભોગ બનતા હોય છે. અનેક ધક્કા ખાધા બાદ પણ અનેક વખત કામ પૂર્ણ નથી થતાં. એમાં પણ જે વૃદ્ધો હોય છે તેમને પેન્શન માટે અનેક ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તૂટી ખુરશીનો સહારો લઈ ઓડિશાની 70 વર્ષીય મહિલા પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જઈ રહી છે. આ મહિલાનું નામ સૂર્યા હરિજન હોવાનું સામે આવ્યું છે અને તેમનો પુત્ર બીજા રાજ્યમાં મજૂરી કામ કરે છે. 

वित्त मंत्री निर्मला सीतारमण ने वीडियो शेयर कर बैंक से सवाल किया।


નિર્મલા સીતારમણે વૃદ્ધાનો વીડિયો શેર કરી કહ્યું માનવતા બતાવવી પડશે    

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાતની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. વીડિયો ટ્વિટ કરી તેમણે બેંકના અધિકારીને ઝાટકી કાઢ્યા છે. નિર્મલા સીતારમણે લખ્યું કે તમારે માનવતા બતાવી પડશે. નાણામંત્રીના ટ્વિટર પર લખ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે બેંકના મેનેજર આની પર જવાબ આપી રહ્યા છે. પરંતુ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અને એસબીઆઈ આ મામલે માનવતા દેખાડી કોઈ કદમ ઉઠાવે. શું તમારી પાસે બેંક મિત્ર નથી? આની પર એસબીઆઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો 

 

નાણામંત્રીના ટ્વિટરનો આપ્યો જવાબ!

એસબીઆઈએ જવાબ આપતા લખ્યું કે આ વીડિયો જોઈ અમને પણ દુખ થયું. વૃદ્ધ મહિલા દર મહિને પોતાના ગામમાં સ્થિત સીએસપી પોઈન્ટથી પેન્શન કાઢે છે. વૃદ્ધ હોવાને કારણે તેમની ફિંગર પ્રીન્ટ મેચ નથી થતીં. તે પોતાના સંબંધી સાથે ઝારીગાંવ સ્થિત અમારી બ્રાન્ચમાં ગયા હતા. મેનેજરે તેમને તરત જ પૈસા નિકાળીને આપી દીધા હતા. વધુમાં મેનેજરે કહ્યું કે હવેથી દર મહિને મહિલાના ઘરે પેન્શન પહોંચી જશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.