'ભારતમાં ટ્વિટરને બંધ કરવાની ધમકી મળી હતી' ભારત સરકાર પર ટ્વિટરના પૂર્વ CEOએ લગાવ્યો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-13 11:45:32

ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક તો અનેક વખત ચર્ચામાં આવતા રહે છે. પોતાના નિર્ણયોને કારણે તે હંમેશા હેડલાઈન્સમાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને લઈ ચર્ચા થઈ રહી છે. ભારત સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિકર અકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આપી હતી. સાથે એવો પણ દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. આ દાવાનો જવાબ કેન્દ્રીયમંત્રીએ આપ્યો છે અને કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે.  



ભારત સરકારે ટ્વિટરને બંધ કરવાની આપી હતી ધમકી!

ઘણા વર્ષો પહેલા ભારતમાં ખેડૂત આંદોલન થયું હતું. ભારત સરકારના નિર્ણયનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ વાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે. યુટ્યુબ ચેનલના ઈન્ટરવ્યું દરમિયાન તેમણે ભારત સરકારનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો કે ભારત સરકારે ખેડૂત આંદોલન વખતે ટ્વિટરને બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે 'સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે, આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.      


કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ!

આ દાવાનો જવાબ કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે. જવાબ આપતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે, ટ્વિટર અને તેની ટીમ ડોર્સીના કાર્યકાળ દરમિયાન સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી. 2020થી 2022 સુધી અનેક વખત નિયમો તોડવામાં આવ્યા છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.