'ભારતમાં ટ્વિટરને બંધ કરવાની ધમકી મળી હતી' ભારત સરકાર પર ટ્વિટરના પૂર્વ CEOએ લગાવ્યો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-13 11:45:32

ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક તો અનેક વખત ચર્ચામાં આવતા રહે છે. પોતાના નિર્ણયોને કારણે તે હંમેશા હેડલાઈન્સમાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને લઈ ચર્ચા થઈ રહી છે. ભારત સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિકર અકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આપી હતી. સાથે એવો પણ દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. આ દાવાનો જવાબ કેન્દ્રીયમંત્રીએ આપ્યો છે અને કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે.  



ભારત સરકારે ટ્વિટરને બંધ કરવાની આપી હતી ધમકી!

ઘણા વર્ષો પહેલા ભારતમાં ખેડૂત આંદોલન થયું હતું. ભારત સરકારના નિર્ણયનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ વાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે. યુટ્યુબ ચેનલના ઈન્ટરવ્યું દરમિયાન તેમણે ભારત સરકારનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો કે ભારત સરકારે ખેડૂત આંદોલન વખતે ટ્વિટરને બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે 'સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે, આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.      


કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ!

આ દાવાનો જવાબ કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે. જવાબ આપતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે, ટ્વિટર અને તેની ટીમ ડોર્સીના કાર્યકાળ દરમિયાન સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી. 2020થી 2022 સુધી અનેક વખત નિયમો તોડવામાં આવ્યા છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.