'ભારતમાં ટ્વિટરને બંધ કરવાની ધમકી મળી હતી' ભારત સરકાર પર ટ્વિટરના પૂર્વ CEOએ લગાવ્યો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-13 11:45:32

ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક તો અનેક વખત ચર્ચામાં આવતા રહે છે. પોતાના નિર્ણયોને કારણે તે હંમેશા હેડલાઈન્સમાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને લઈ ચર્ચા થઈ રહી છે. ભારત સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિકર અકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આપી હતી. સાથે એવો પણ દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. આ દાવાનો જવાબ કેન્દ્રીયમંત્રીએ આપ્યો છે અને કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે.  



ભારત સરકારે ટ્વિટરને બંધ કરવાની આપી હતી ધમકી!

ઘણા વર્ષો પહેલા ભારતમાં ખેડૂત આંદોલન થયું હતું. ભારત સરકારના નિર્ણયનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ વાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે. યુટ્યુબ ચેનલના ઈન્ટરવ્યું દરમિયાન તેમણે ભારત સરકારનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો કે ભારત સરકારે ખેડૂત આંદોલન વખતે ટ્વિટરને બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે 'સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે, આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.      


કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ!

આ દાવાનો જવાબ કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે. જવાબ આપતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ડોર્સીના દાવા ખોટા છે, ટ્વિટર અને તેની ટીમ ડોર્સીના કાર્યકાળ દરમિયાન સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી. 2020થી 2022 સુધી અનેક વખત નિયમો તોડવામાં આવ્યા છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.