અદાણીની વ્હારે આવ્યા આ લોકો? જાણો લિસ્ટમાં કોના કોના નામોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-02-01 09:38:09

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અબજો રૂપિયાની ખોટ અદાણી ગ્રુપને થઈ હતી. પરંતુ ખરાબ પરિસ્થિતિની વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા લાવવામાં આવેલી FPO એટલે કે ફોલો-ઓન-પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો. 

Adani Enterprises FPO

FPOને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ 

મળતી માહિતી અનુસાર આમાં સૌથી વધારે રસ એનઆઈઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. સોમવાર સુધી એટલે કે 30 જાન્યુઆરી સુધી આ એફપીઓમાં માત્ર 3 ટકા સબ્સક્રાઈબર થયા હતા. રિપોર્ટના આધારે અબુ ધાબીની કંપનીએ 40 કરોડ ડોલર એટલે કે અંદાજીત 3200 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ અંગેની જાણકારી કંપની દ્વારા સોમવારે આપવામાં આવી હતી. તે ઉપરાંત એનઆઈઆઈને 3.13 કરોડ શેરોની બોલી મળી હતી. 


આ લોકો અદાણીને કરી શકે છે મદદ!! 

સૌથી મોટુ યોગદાન અલ્ટ્રા હાઈ નેટ ઈન્ડિવિઝુયલ ફેમિલીનું છે. એક રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીની મદદે અંબાણી ગ્રુપ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા તેમજ પંકજ પટેલ જેવા નામોનો સમાવેશ થાય છે. કર્મચારિયોના જણાવ્યા અનુસાર એમના માટે માર્ક કરવામાં આવેલા શેરમાં 53 ટકા બોલી લગાવામાં આવી હતી. ડેટા પરથી જાણી શકાય છે કે QIBના કૈટેગરીના કુલ શેરમાં 126 ટકા બોલી લગાવી હતી. 


શું હોય છે એફપીઓ?

ફોલો ઓન પબ્લિક ઓફર એક એવી પ્રકિયા છે જેમાં પહેલા પહેલેથી લિસ્ટેડ કંપની પોતાના હાલના નિવેશકો અથવા તો શેરહોલ્ડર માટે નવા શેર બહાર પાડે છે. અદાણી એન્ટરપ્રાઈઝના ફોલો એન પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ કરવામાં આવી લેવાયો હતો.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.