અદાણીની વ્હારે આવ્યા આ લોકો? જાણો લિસ્ટમાં કોના કોના નામોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-02-01 09:38:09

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અબજો રૂપિયાની ખોટ અદાણી ગ્રુપને થઈ હતી. પરંતુ ખરાબ પરિસ્થિતિની વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા લાવવામાં આવેલી FPO એટલે કે ફોલો-ઓન-પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો. 

Adani Enterprises FPO

FPOને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ 

મળતી માહિતી અનુસાર આમાં સૌથી વધારે રસ એનઆઈઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. સોમવાર સુધી એટલે કે 30 જાન્યુઆરી સુધી આ એફપીઓમાં માત્ર 3 ટકા સબ્સક્રાઈબર થયા હતા. રિપોર્ટના આધારે અબુ ધાબીની કંપનીએ 40 કરોડ ડોલર એટલે કે અંદાજીત 3200 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ અંગેની જાણકારી કંપની દ્વારા સોમવારે આપવામાં આવી હતી. તે ઉપરાંત એનઆઈઆઈને 3.13 કરોડ શેરોની બોલી મળી હતી. 


આ લોકો અદાણીને કરી શકે છે મદદ!! 

સૌથી મોટુ યોગદાન અલ્ટ્રા હાઈ નેટ ઈન્ડિવિઝુયલ ફેમિલીનું છે. એક રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીની મદદે અંબાણી ગ્રુપ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા તેમજ પંકજ પટેલ જેવા નામોનો સમાવેશ થાય છે. કર્મચારિયોના જણાવ્યા અનુસાર એમના માટે માર્ક કરવામાં આવેલા શેરમાં 53 ટકા બોલી લગાવામાં આવી હતી. ડેટા પરથી જાણી શકાય છે કે QIBના કૈટેગરીના કુલ શેરમાં 126 ટકા બોલી લગાવી હતી. 


શું હોય છે એફપીઓ?

ફોલો ઓન પબ્લિક ઓફર એક એવી પ્રકિયા છે જેમાં પહેલા પહેલેથી લિસ્ટેડ કંપની પોતાના હાલના નિવેશકો અથવા તો શેરહોલ્ડર માટે નવા શેર બહાર પાડે છે. અદાણી એન્ટરપ્રાઈઝના ફોલો એન પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ કરવામાં આવી લેવાયો હતો.           




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.