અદાણીની વ્હારે આવ્યા આ લોકો? જાણો લિસ્ટમાં કોના કોના નામોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-02-01 09:38:09

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અબજો રૂપિયાની ખોટ અદાણી ગ્રુપને થઈ હતી. પરંતુ ખરાબ પરિસ્થિતિની વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા લાવવામાં આવેલી FPO એટલે કે ફોલો-ઓન-પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો. 

Adani Enterprises FPO

FPOને છેલ્લા દિવસે સારો પ્રતિસાદ 

મળતી માહિતી અનુસાર આમાં સૌથી વધારે રસ એનઆઈઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. સોમવાર સુધી એટલે કે 30 જાન્યુઆરી સુધી આ એફપીઓમાં માત્ર 3 ટકા સબ્સક્રાઈબર થયા હતા. રિપોર્ટના આધારે અબુ ધાબીની કંપનીએ 40 કરોડ ડોલર એટલે કે અંદાજીત 3200 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ અંગેની જાણકારી કંપની દ્વારા સોમવારે આપવામાં આવી હતી. તે ઉપરાંત એનઆઈઆઈને 3.13 કરોડ શેરોની બોલી મળી હતી. 


આ લોકો અદાણીને કરી શકે છે મદદ!! 

સૌથી મોટુ યોગદાન અલ્ટ્રા હાઈ નેટ ઈન્ડિવિઝુયલ ફેમિલીનું છે. એક રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીની મદદે અંબાણી ગ્રુપ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા તેમજ પંકજ પટેલ જેવા નામોનો સમાવેશ થાય છે. કર્મચારિયોના જણાવ્યા અનુસાર એમના માટે માર્ક કરવામાં આવેલા શેરમાં 53 ટકા બોલી લગાવામાં આવી હતી. ડેટા પરથી જાણી શકાય છે કે QIBના કૈટેગરીના કુલ શેરમાં 126 ટકા બોલી લગાવી હતી. 


શું હોય છે એફપીઓ?

ફોલો ઓન પબ્લિક ઓફર એક એવી પ્રકિયા છે જેમાં પહેલા પહેલેથી લિસ્ટેડ કંપની પોતાના હાલના નિવેશકો અથવા તો શેરહોલ્ડર માટે નવા શેર બહાર પાડે છે. અદાણી એન્ટરપ્રાઈઝના ફોલો એન પબ્લિક ઓફરને છેલ્લા દિવસે સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ કરવામાં આવી લેવાયો હતો.           




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.