Tiktokએ ભારતમાં તમામ સ્ટાફની કરી છટણી, શા માટે કરાઈ હકાલપટ્ટી?


  • Published By :
  • Published Date : 2023-02-10 13:00:34

વૈશ્વિક મંદીનો સામનો કરી રહેલી જાયન્ટ કંપનીઓ પણ છટણીઓ કરી રહી છે. હવે આ કંપનીઓમાં શોર્ટ વીડિયો એપ Tiktok પણ જોડાઈ છે. કંપનીએ ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સોમવારે કંપનીએ એક કોલ બાદ કર્મચારીઓને પિંક સ્લીપ આપી હતી.જો કે કંપની આ કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપશે. Tiktok ઈન્ડિયાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે 28 ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં, તેને બીજી તક શોધવા માટે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


Tiktokએ શા માટે કરી હકાલપટ્ટી


ભારત સરકારે સુરક્ષા કારણોસર 2020માં ટિકટોક સહિત 300 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને ફરીથી લોન્ચ કરવામાં આવી ન હતી. કંપનીનું કહેવું છે કે દેશમાં તેના લોન્ચ થવાની કોઈ શક્યતા નથી,ચાઈનીઝ એપને ભારતમાં પ્રતિબંધિત કર્યા પછી, આખા ભારતના મોટાભાગના કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલના માર્કેટ માટે કામ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં કંપની ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય કર્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.