Tiktokએ ભારતમાં તમામ સ્ટાફની કરી છટણી, શા માટે કરાઈ હકાલપટ્ટી?


  • Published By :
  • Published Date : 2023-02-10 13:00:34

વૈશ્વિક મંદીનો સામનો કરી રહેલી જાયન્ટ કંપનીઓ પણ છટણીઓ કરી રહી છે. હવે આ કંપનીઓમાં શોર્ટ વીડિયો એપ Tiktok પણ જોડાઈ છે. કંપનીએ ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સોમવારે કંપનીએ એક કોલ બાદ કર્મચારીઓને પિંક સ્લીપ આપી હતી.જો કે કંપની આ કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપશે. Tiktok ઈન્ડિયાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે 28 ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં, તેને બીજી તક શોધવા માટે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


Tiktokએ શા માટે કરી હકાલપટ્ટી


ભારત સરકારે સુરક્ષા કારણોસર 2020માં ટિકટોક સહિત 300 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને ફરીથી લોન્ચ કરવામાં આવી ન હતી. કંપનીનું કહેવું છે કે દેશમાં તેના લોન્ચ થવાની કોઈ શક્યતા નથી,ચાઈનીઝ એપને ભારતમાં પ્રતિબંધિત કર્યા પછી, આખા ભારતના મોટાભાગના કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલના માર્કેટ માટે કામ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં કંપની ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય કર્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.