રાહુલ ગાંધી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ! માનહાનિ કેસને લઈ સુરતની સેશન્સ કોર્ટ સંભળાવી શકે ચૂકાદો, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-20 09:13:35

ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ત્યારે સુરતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  ગયા ગુરૂવારે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી અને આજે આ મામલે ચૂકાદો કોર્ટ આપવાની છે. કોર્ટે પોતોના ચૂકાદો સુરક્ષિત કરી દીધો છે.        

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે કર્યા હતા દોષિત જાહેર 

2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગયા મહિને સુરતની કોર્ટ દ્વારા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. 


આજે આ મામલે સેશન્સ કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો! 

રાહુલ ગાંધીને તરત જામીન પણ મળી ગયા હતા. તે બાદ એક વખત રાહુલ ગાંધી આ કેસની સુનાવણી દરમિયાન સુરત પણ આવ્યા હતા. આ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા ગુરૂવારે સુરતની સેશન્સ કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી . અને પોતાનો નિર્ણય કોર્ટે સુરક્ષિત કરી દીધો હતો. ત્યારે રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજા યથવાત રહેશે કે આ નિર્ણય પર રોક લાગશે તેનો નિર્ણય આજે થશે.    


શું સાંસદ પદ પાછું મળી શકે છે રાહુલ ગાંધીને? 

ત્યારે પ્રશ્ન એ થાય કે શું રાહુલ ગાંધીને પોતાની સાંસદ તરીકેની સદસ્યતા પાછી મળી શકે છે? જો કાયદાના નિષ્ણાંતોનું માનીએ તો જો રાહુલ ગાંધીના સમર્થનમાં આ કેસમાં ચૂકાદો આવે છે તો રાહુલ ગાંધીને તેમની સદસ્યતા પાછી મળી શકે છે. જો રાહુલ ગાંધીની અરજીને કોર્ટ મંજૂર કરે છે તો દોષિત ઠરાવ રદ્દ કરવામાં આવે છે તો સાંસદ પદ પાછું મળવાની સંભાવનાઓ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે સંસદ પદ ગયા બાદ રાહુલ ગાંધીએ પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી. ત્યાં રેલી કરી હતી ઉપરાંત જનસભાને પણ સંબોધિત કરી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.