રાહુલ ગાંધી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ! માનહાનિ કેસને લઈ સુરતની સેશન્સ કોર્ટ સંભળાવી શકે ચૂકાદો, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-20 09:13:35

ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ત્યારે સુરતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  ગયા ગુરૂવારે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી અને આજે આ મામલે ચૂકાદો કોર્ટ આપવાની છે. કોર્ટે પોતોના ચૂકાદો સુરક્ષિત કરી દીધો છે.        

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે કર્યા હતા દોષિત જાહેર 

2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગયા મહિને સુરતની કોર્ટ દ્વારા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. 


આજે આ મામલે સેશન્સ કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો! 

રાહુલ ગાંધીને તરત જામીન પણ મળી ગયા હતા. તે બાદ એક વખત રાહુલ ગાંધી આ કેસની સુનાવણી દરમિયાન સુરત પણ આવ્યા હતા. આ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા ગુરૂવારે સુરતની સેશન્સ કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી . અને પોતાનો નિર્ણય કોર્ટે સુરક્ષિત કરી દીધો હતો. ત્યારે રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજા યથવાત રહેશે કે આ નિર્ણય પર રોક લાગશે તેનો નિર્ણય આજે થશે.    


શું સાંસદ પદ પાછું મળી શકે છે રાહુલ ગાંધીને? 

ત્યારે પ્રશ્ન એ થાય કે શું રાહુલ ગાંધીને પોતાની સાંસદ તરીકેની સદસ્યતા પાછી મળી શકે છે? જો કાયદાના નિષ્ણાંતોનું માનીએ તો જો રાહુલ ગાંધીના સમર્થનમાં આ કેસમાં ચૂકાદો આવે છે તો રાહુલ ગાંધીને તેમની સદસ્યતા પાછી મળી શકે છે. જો રાહુલ ગાંધીની અરજીને કોર્ટ મંજૂર કરે છે તો દોષિત ઠરાવ રદ્દ કરવામાં આવે છે તો સાંસદ પદ પાછું મળવાની સંભાવનાઓ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે સંસદ પદ ગયા બાદ રાહુલ ગાંધીએ પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી. ત્યાં રેલી કરી હતી ઉપરાંત જનસભાને પણ સંબોધિત કરી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.