રાહુલ ગાંધી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ! માનહાનિ કેસને લઈ સુરતની સેશન્સ કોર્ટ સંભળાવી શકે ચૂકાદો, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-20 09:13:35

ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ત્યારે સુરતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  ગયા ગુરૂવારે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી અને આજે આ મામલે ચૂકાદો કોર્ટ આપવાની છે. કોર્ટે પોતોના ચૂકાદો સુરક્ષિત કરી દીધો છે.        

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે કર્યા હતા દોષિત જાહેર 

2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગયા મહિને સુરતની કોર્ટ દ્વારા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. 


આજે આ મામલે સેશન્સ કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો! 

રાહુલ ગાંધીને તરત જામીન પણ મળી ગયા હતા. તે બાદ એક વખત રાહુલ ગાંધી આ કેસની સુનાવણી દરમિયાન સુરત પણ આવ્યા હતા. આ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા ગુરૂવારે સુરતની સેશન્સ કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી . અને પોતાનો નિર્ણય કોર્ટે સુરક્ષિત કરી દીધો હતો. ત્યારે રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજા યથવાત રહેશે કે આ નિર્ણય પર રોક લાગશે તેનો નિર્ણય આજે થશે.    


શું સાંસદ પદ પાછું મળી શકે છે રાહુલ ગાંધીને? 

ત્યારે પ્રશ્ન એ થાય કે શું રાહુલ ગાંધીને પોતાની સાંસદ તરીકેની સદસ્યતા પાછી મળી શકે છે? જો કાયદાના નિષ્ણાંતોનું માનીએ તો જો રાહુલ ગાંધીના સમર્થનમાં આ કેસમાં ચૂકાદો આવે છે તો રાહુલ ગાંધીને તેમની સદસ્યતા પાછી મળી શકે છે. જો રાહુલ ગાંધીની અરજીને કોર્ટ મંજૂર કરે છે તો દોષિત ઠરાવ રદ્દ કરવામાં આવે છે તો સાંસદ પદ પાછું મળવાની સંભાવનાઓ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે સંસદ પદ ગયા બાદ રાહુલ ગાંધીએ પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી. ત્યાં રેલી કરી હતી ઉપરાંત જનસભાને પણ સંબોધિત કરી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.