આજે છે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી, તેમના જીવન પરથી શીખવા જેવી વાતો


  • Published By :
  • Published Date : 2023-01-12 14:38:07

12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી. એક એવું વ્યક્તિત્વ જેમણે નાની ઉંમરે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. સ્વામી વિવેદાનંદના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ભુવનેશ્વરીદેવીએ તેમને પ્રારંભિક શિક્ષણ આપ્યું અને રામાયણ, મહાભારત જેવા ગ્રંથોથી અને બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષાથી તેમને અવગત કરાયા. સાત વર્ષની નાની ઉંમરે મુગ્ધબોધ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું. 


નરેન્દ્રમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ       

નરેન્દ્રનાથને નાની ઉંમરથી આધ્યાત્મિક કાર્યોમાં રસ હતો. તેઓ જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને તેઓ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. રામકૃષ્ણ પરંમહંસે દુનિયાથી વિદાય લીધી તે બાદ સ્વામી વિવેકાનંદ દેશભરમાં ભ્રમણ કરવા લાગ્યા. તેઓ પહેલા ઉત્તરભારતના તીર્થોમાં ફર્યા અને તે બાદ હિમાલયમાં પરિભ્રમણ કર્યું. તે બાદ કન્યાકુમારી પહોંચ્યા.સ્વામી વિવેકાનંદના જીવન માંથી શીખવા જેવી વાતો- 


આત્મવિશ્વાસ તેમજ ધ્યેય રાખવા પર ધ્યાન કરતા હતા કેન્દ્રીત

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરો. કાર્ય કરવામાં ઉપરાંત પોતાના પર આત્મવિશ્વાસ રાખવા પર તેઓ ખૂબ માનતા હતા. તેઓ કહેતા હતા કે આત્મવિશ્વાસથી માણસ અસાધારણ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્વાસ ઉપરાંત ધ્યેય નિર્ધારિત હોય તો જીવન સાર્થક ગણાય. જો લક્ષ્ય નિર્ધારિત ન હોય તો માણસના જીવનનો અર્થ રહેતો નથી. તેઓ કહેતા હતા કે જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગમતી, હસતીબોલતી લાશ છે.


તેમનું ભાષણ આજે પણ લોકોના દિલમાં 

વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધી કરવા વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદ શિકાગો પહોંચ્યા હતા. ત્યાં આપેલા વ્યક્તવ્ય આજે પણ લોકોને સ્મરણ છે. સભામાં ટૂંકુ વ્યાખ્યાન આપ્યું હતું જેમાં તેમણે શરૂઆત જ બહેનો અને ભાઈઓ થી કરી હતી. ભારત અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને ગર્વ છે કે હું એક એવા દેશનું પ્રતિનિધિ કરું છું જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.