આજે છે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી, તેમના જીવન પરથી શીખવા જેવી વાતો


  • Published By :
  • Published Date : 2023-01-12 14:38:07

12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી. એક એવું વ્યક્તિત્વ જેમણે નાની ઉંમરે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. સ્વામી વિવેદાનંદના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ભુવનેશ્વરીદેવીએ તેમને પ્રારંભિક શિક્ષણ આપ્યું અને રામાયણ, મહાભારત જેવા ગ્રંથોથી અને બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષાથી તેમને અવગત કરાયા. સાત વર્ષની નાની ઉંમરે મુગ્ધબોધ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું. 


નરેન્દ્રમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ       

નરેન્દ્રનાથને નાની ઉંમરથી આધ્યાત્મિક કાર્યોમાં રસ હતો. તેઓ જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને તેઓ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. રામકૃષ્ણ પરંમહંસે દુનિયાથી વિદાય લીધી તે બાદ સ્વામી વિવેકાનંદ દેશભરમાં ભ્રમણ કરવા લાગ્યા. તેઓ પહેલા ઉત્તરભારતના તીર્થોમાં ફર્યા અને તે બાદ હિમાલયમાં પરિભ્રમણ કર્યું. તે બાદ કન્યાકુમારી પહોંચ્યા.સ્વામી વિવેકાનંદના જીવન માંથી શીખવા જેવી વાતો- 


આત્મવિશ્વાસ તેમજ ધ્યેય રાખવા પર ધ્યાન કરતા હતા કેન્દ્રીત

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરો. કાર્ય કરવામાં ઉપરાંત પોતાના પર આત્મવિશ્વાસ રાખવા પર તેઓ ખૂબ માનતા હતા. તેઓ કહેતા હતા કે આત્મવિશ્વાસથી માણસ અસાધારણ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્વાસ ઉપરાંત ધ્યેય નિર્ધારિત હોય તો જીવન સાર્થક ગણાય. જો લક્ષ્ય નિર્ધારિત ન હોય તો માણસના જીવનનો અર્થ રહેતો નથી. તેઓ કહેતા હતા કે જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગમતી, હસતીબોલતી લાશ છે.


તેમનું ભાષણ આજે પણ લોકોના દિલમાં 

વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધી કરવા વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદ શિકાગો પહોંચ્યા હતા. ત્યાં આપેલા વ્યક્તવ્ય આજે પણ લોકોને સ્મરણ છે. સભામાં ટૂંકુ વ્યાખ્યાન આપ્યું હતું જેમાં તેમણે શરૂઆત જ બહેનો અને ભાઈઓ થી કરી હતી. ભારત અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને ગર્વ છે કે હું એક એવા દેશનું પ્રતિનિધિ કરું છું જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.