આજે છે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી, તેમના જીવન પરથી શીખવા જેવી વાતો


  • Published By :
  • Published Date : 2023-01-12 14:38:07

12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી. એક એવું વ્યક્તિત્વ જેમણે નાની ઉંમરે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. સ્વામી વિવેદાનંદના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ભુવનેશ્વરીદેવીએ તેમને પ્રારંભિક શિક્ષણ આપ્યું અને રામાયણ, મહાભારત જેવા ગ્રંથોથી અને બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષાથી તેમને અવગત કરાયા. સાત વર્ષની નાની ઉંમરે મુગ્ધબોધ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું. 


નરેન્દ્રમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ       

નરેન્દ્રનાથને નાની ઉંમરથી આધ્યાત્મિક કાર્યોમાં રસ હતો. તેઓ જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને તેઓ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. રામકૃષ્ણ પરંમહંસે દુનિયાથી વિદાય લીધી તે બાદ સ્વામી વિવેકાનંદ દેશભરમાં ભ્રમણ કરવા લાગ્યા. તેઓ પહેલા ઉત્તરભારતના તીર્થોમાં ફર્યા અને તે બાદ હિમાલયમાં પરિભ્રમણ કર્યું. તે બાદ કન્યાકુમારી પહોંચ્યા.સ્વામી વિવેકાનંદના જીવન માંથી શીખવા જેવી વાતો- 


આત્મવિશ્વાસ તેમજ ધ્યેય રાખવા પર ધ્યાન કરતા હતા કેન્દ્રીત

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરો. કાર્ય કરવામાં ઉપરાંત પોતાના પર આત્મવિશ્વાસ રાખવા પર તેઓ ખૂબ માનતા હતા. તેઓ કહેતા હતા કે આત્મવિશ્વાસથી માણસ અસાધારણ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્વાસ ઉપરાંત ધ્યેય નિર્ધારિત હોય તો જીવન સાર્થક ગણાય. જો લક્ષ્ય નિર્ધારિત ન હોય તો માણસના જીવનનો અર્થ રહેતો નથી. તેઓ કહેતા હતા કે જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગમતી, હસતીબોલતી લાશ છે.


તેમનું ભાષણ આજે પણ લોકોના દિલમાં 

વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધી કરવા વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદ શિકાગો પહોંચ્યા હતા. ત્યાં આપેલા વ્યક્તવ્ય આજે પણ લોકોને સ્મરણ છે. સભામાં ટૂંકુ વ્યાખ્યાન આપ્યું હતું જેમાં તેમણે શરૂઆત જ બહેનો અને ભાઈઓ થી કરી હતી. ભારત અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને ગર્વ છે કે હું એક એવા દેશનું પ્રતિનિધિ કરું છું જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.