મુંબઈના તોફાની દરિયામાં ન્હાવા પડેલા યુવાનો સાથે સર્જાઈ દુર્ઘટના! વાવાઝોડાનું એલર્ટ હોવા છતાં છોકરાઓ અડધો કિમી દરિયાની અંદર ગયા અને ડૂબ્યાં!


  • Published By :
  • Published Date : 2023-06-13 11:10:01

માણસની એક પ્રકૃતિ હોય છે કે જે વસ્તુ કરવાની ના પાડી હોય તે વસ્તુ પહેલા તે કરે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે મુબંઈના જુહુ બીચના દરિયાઈ વિસ્તારમાં ન્હાવા ગયેલા 6 જેટલા છોકરાઓ પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી બે જેટલા લોકોને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે જ્યારે ચાર લોકો હજી સુધી લાપતા છે. જે છોકરાઓની શોધખોળ કરવામાં આવી રહી છે તેમની ઉંમર 12થી 15 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને લઈ મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉંચા મોજા ઉછળવાને કારણે બચાવની કામગીરી કરી રહેલી ટીમને મુશ્કેલી પડી રહી છે.         



ન્હાવા માટે યુવાનોએ જોખમમાં મૂક્યો પોતાનો જીવ!

બિપોરજોયને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ વાવાઝોડાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ભલે સૌથી વધારે ગુજરાત પર થવાની છે પરંતુ મુંબઈના દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યાં છે. ઉંચા મોજા ઉછળવાને કારણે જુહુ બીચ પાસે દરિયાઈ મોજામાં પાંચથી 6 યુવાનો તણાઈ ગયા અને ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર રેસ્ક્યુની ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા લોકો હજી પણ ગુમ છે. મળતી માહિતી અનુસાર છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર ન્હાવા ગયા હતા જે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેસ્ક્યુ ટીમને પણ ઉંચા મોજા ઉછળવાને કારણે તકલીફ પડી રહી છે. 


બિપોરજોયને પગલે દરિયાકાંઠે ન જવા અપાઈ છે સૂચના!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે દરિયાકાંઠે ન જવું.પરંતુ થોડા ક્ષણની મજા માણવા અનેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. નોંધનીય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોયને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પણ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં શાંત લાગતો દરિયો અચાનક રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકોને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારે આપણી અવરચંડાઈને કારણે આપણે જ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.         



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.