મુંબઈના તોફાની દરિયામાં ન્હાવા પડેલા યુવાનો સાથે સર્જાઈ દુર્ઘટના! વાવાઝોડાનું એલર્ટ હોવા છતાં છોકરાઓ અડધો કિમી દરિયાની અંદર ગયા અને ડૂબ્યાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-13 11:10:01

માણસની એક પ્રકૃતિ હોય છે કે જે વસ્તુ કરવાની ના પાડી હોય તે વસ્તુ પહેલા તે કરે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે મુબંઈના જુહુ બીચના દરિયાઈ વિસ્તારમાં ન્હાવા ગયેલા 6 જેટલા છોકરાઓ પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી બે જેટલા લોકોને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે જ્યારે ચાર લોકો હજી સુધી લાપતા છે. જે છોકરાઓની શોધખોળ કરવામાં આવી રહી છે તેમની ઉંમર 12થી 15 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને લઈ મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉંચા મોજા ઉછળવાને કારણે બચાવની કામગીરી કરી રહેલી ટીમને મુશ્કેલી પડી રહી છે.         



ન્હાવા માટે યુવાનોએ જોખમમાં મૂક્યો પોતાનો જીવ!

બિપોરજોયને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ વાવાઝોડાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ભલે સૌથી વધારે ગુજરાત પર થવાની છે પરંતુ મુંબઈના દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યાં છે. ઉંચા મોજા ઉછળવાને કારણે જુહુ બીચ પાસે દરિયાઈ મોજામાં પાંચથી 6 યુવાનો તણાઈ ગયા અને ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર રેસ્ક્યુની ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા લોકો હજી પણ ગુમ છે. મળતી માહિતી અનુસાર છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર ન્હાવા ગયા હતા જે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેસ્ક્યુ ટીમને પણ ઉંચા મોજા ઉછળવાને કારણે તકલીફ પડી રહી છે. 


બિપોરજોયને પગલે દરિયાકાંઠે ન જવા અપાઈ છે સૂચના!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે દરિયાકાંઠે ન જવું.પરંતુ થોડા ક્ષણની મજા માણવા અનેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. નોંધનીય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોયને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પણ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં શાંત લાગતો દરિયો અચાનક રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકોને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારે આપણી અવરચંડાઈને કારણે આપણે જ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.         



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.