મુંબઈના તોફાની દરિયામાં ન્હાવા પડેલા યુવાનો સાથે સર્જાઈ દુર્ઘટના! વાવાઝોડાનું એલર્ટ હોવા છતાં છોકરાઓ અડધો કિમી દરિયાની અંદર ગયા અને ડૂબ્યાં!


  • Published By :
  • Published Date : 2023-06-13 11:10:01

માણસની એક પ્રકૃતિ હોય છે કે જે વસ્તુ કરવાની ના પાડી હોય તે વસ્તુ પહેલા તે કરે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે મુબંઈના જુહુ બીચના દરિયાઈ વિસ્તારમાં ન્હાવા ગયેલા 6 જેટલા છોકરાઓ પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી બે જેટલા લોકોને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે જ્યારે ચાર લોકો હજી સુધી લાપતા છે. જે છોકરાઓની શોધખોળ કરવામાં આવી રહી છે તેમની ઉંમર 12થી 15 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને લઈ મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉંચા મોજા ઉછળવાને કારણે બચાવની કામગીરી કરી રહેલી ટીમને મુશ્કેલી પડી રહી છે.         



ન્હાવા માટે યુવાનોએ જોખમમાં મૂક્યો પોતાનો જીવ!

બિપોરજોયને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ વાવાઝોડાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ભલે સૌથી વધારે ગુજરાત પર થવાની છે પરંતુ મુંબઈના દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યાં છે. ઉંચા મોજા ઉછળવાને કારણે જુહુ બીચ પાસે દરિયાઈ મોજામાં પાંચથી 6 યુવાનો તણાઈ ગયા અને ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર રેસ્ક્યુની ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા લોકો હજી પણ ગુમ છે. મળતી માહિતી અનુસાર છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર ન્હાવા ગયા હતા જે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેસ્ક્યુ ટીમને પણ ઉંચા મોજા ઉછળવાને કારણે તકલીફ પડી રહી છે. 


બિપોરજોયને પગલે દરિયાકાંઠે ન જવા અપાઈ છે સૂચના!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે દરિયાકાંઠે ન જવું.પરંતુ થોડા ક્ષણની મજા માણવા અનેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. નોંધનીય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોયને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પણ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં શાંત લાગતો દરિયો અચાનક રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકોને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારે આપણી અવરચંડાઈને કારણે આપણે જ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.