સોશિયલ મીડિયા પર ચાલતું ભાજપ અને કોંગ્રેસનું ટ્વિટર વોર! કોંગ્રેસે પીએમની તસવીર શેર કરી તો ભાજપે રાહુલ ગાંધીની તસવીર શેર કરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 11:32:11

ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ એક બીજા પર અનેક વખત શાબ્દિક પ્રહાર કરતા જોવા મળતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર નિશાન સાધતા હોય છે. પરંતુ હવે તો સોશિયલ મીડિયા પર પણ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો ભાજપ દ્વારા કોંગ્રેસને લઈ કોઈ પોસ્ટ કરવામાં આવી હોય તો તેનો જવાબ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. એક ફોટો છે પીએમ મોદીનો અને બીજો ફોટો છે રાહુલ ગાંધીનો. કોંગ્રેસ તેમજ ભાજપના ઓફિશિયલ પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં  આવ્યા છે.

અદાણી સાથેના ફોટો કોંગ્રેસે કર્યા શેર!

અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ ઘણી વખત આક્રામક દેખાઈ છે. હિંડનબર્ગના રિપોર્ટને લઈ સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પોતે આ મામલે સવાલ પૂછ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદીની એક તસવીર શેર કરવામાં આવી છે. તસવીરમાં દીવાલો પર અદાણીની તસવીરો રાખવામાં આવી છે. અનેક તસવીરોમાં પીએમ મોદી પણ દેખાય છે. ત્યારે આ ફોટાને શેર કરતા કોંગ્રેસે લખ્યું 'મારી દુનિયા'.


કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે જવાબ આપ્યો. ભાજપ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી દેખાય છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કંઈક વિચારતા હોય તેવું લાગે છે. તેમની પાછળ અનેક ફોટા રાખવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી છે, તેમના સિવાય જવાબરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમજ સોનિયા ગાંધી દેખાઈ રહ્યા છે. ભાજપે પણ ફોટો શેર કરતા લખ્યું 'તેમની દુનિયા!'


ટ્વિટર વોર પર તમારૂ શું કહેવું છે? 

સોશિયલ મીડિયામાં બંને ફોટા વાયરલ થઈ રહ્યા છે. અનેક યુઝરોએ આની પર પ્રતિક્રિયાઓ પણ આપી છે. ત્યારે ટ્ટિટર પર ચાલતા આવા વોર પર તમારૂ શું કહેવું છે?  




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.