સોશિયલ મીડિયા પર ચાલતું ભાજપ અને કોંગ્રેસનું ટ્વિટર વોર! કોંગ્રેસે પીએમની તસવીર શેર કરી તો ભાજપે રાહુલ ગાંધીની તસવીર શેર કરી!


  • Published By :
  • Published Date : 2023-05-17 11:32:11

ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ એક બીજા પર અનેક વખત શાબ્દિક પ્રહાર કરતા જોવા મળતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર નિશાન સાધતા હોય છે. પરંતુ હવે તો સોશિયલ મીડિયા પર પણ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો ભાજપ દ્વારા કોંગ્રેસને લઈ કોઈ પોસ્ટ કરવામાં આવી હોય તો તેનો જવાબ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. એક ફોટો છે પીએમ મોદીનો અને બીજો ફોટો છે રાહુલ ગાંધીનો. કોંગ્રેસ તેમજ ભાજપના ઓફિશિયલ પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં  આવ્યા છે.

અદાણી સાથેના ફોટો કોંગ્રેસે કર્યા શેર!

અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ ઘણી વખત આક્રામક દેખાઈ છે. હિંડનબર્ગના રિપોર્ટને લઈ સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પોતે આ મામલે સવાલ પૂછ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદીની એક તસવીર શેર કરવામાં આવી છે. તસવીરમાં દીવાલો પર અદાણીની તસવીરો રાખવામાં આવી છે. અનેક તસવીરોમાં પીએમ મોદી પણ દેખાય છે. ત્યારે આ ફોટાને શેર કરતા કોંગ્રેસે લખ્યું 'મારી દુનિયા'.


કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે જવાબ આપ્યો. ભાજપ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી દેખાય છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કંઈક વિચારતા હોય તેવું લાગે છે. તેમની પાછળ અનેક ફોટા રાખવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી છે, તેમના સિવાય જવાબરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમજ સોનિયા ગાંધી દેખાઈ રહ્યા છે. ભાજપે પણ ફોટો શેર કરતા લખ્યું 'તેમની દુનિયા!'


ટ્વિટર વોર પર તમારૂ શું કહેવું છે? 

સોશિયલ મીડિયામાં બંને ફોટા વાયરલ થઈ રહ્યા છે. અનેક યુઝરોએ આની પર પ્રતિક્રિયાઓ પણ આપી છે. ત્યારે ટ્ટિટર પર ચાલતા આવા વોર પર તમારૂ શું કહેવું છે?  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.