સોશિયલ મીડિયા પર ચાલતું ભાજપ અને કોંગ્રેસનું ટ્વિટર વોર! કોંગ્રેસે પીએમની તસવીર શેર કરી તો ભાજપે રાહુલ ગાંધીની તસવીર શેર કરી!


  • Published By :
  • Published Date : 2023-05-17 11:32:11

ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ એક બીજા પર અનેક વખત શાબ્દિક પ્રહાર કરતા જોવા મળતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર નિશાન સાધતા હોય છે. પરંતુ હવે તો સોશિયલ મીડિયા પર પણ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો ભાજપ દ્વારા કોંગ્રેસને લઈ કોઈ પોસ્ટ કરવામાં આવી હોય તો તેનો જવાબ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. એક ફોટો છે પીએમ મોદીનો અને બીજો ફોટો છે રાહુલ ગાંધીનો. કોંગ્રેસ તેમજ ભાજપના ઓફિશિયલ પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં  આવ્યા છે.

અદાણી સાથેના ફોટો કોંગ્રેસે કર્યા શેર!

અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ ઘણી વખત આક્રામક દેખાઈ છે. હિંડનબર્ગના રિપોર્ટને લઈ સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પોતે આ મામલે સવાલ પૂછ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદીની એક તસવીર શેર કરવામાં આવી છે. તસવીરમાં દીવાલો પર અદાણીની તસવીરો રાખવામાં આવી છે. અનેક તસવીરોમાં પીએમ મોદી પણ દેખાય છે. ત્યારે આ ફોટાને શેર કરતા કોંગ્રેસે લખ્યું 'મારી દુનિયા'.


કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે જવાબ આપ્યો. ભાજપ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી દેખાય છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કંઈક વિચારતા હોય તેવું લાગે છે. તેમની પાછળ અનેક ફોટા રાખવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી છે, તેમના સિવાય જવાબરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમજ સોનિયા ગાંધી દેખાઈ રહ્યા છે. ભાજપે પણ ફોટો શેર કરતા લખ્યું 'તેમની દુનિયા!'


ટ્વિટર વોર પર તમારૂ શું કહેવું છે? 

સોશિયલ મીડિયામાં બંને ફોટા વાયરલ થઈ રહ્યા છે. અનેક યુઝરોએ આની પર પ્રતિક્રિયાઓ પણ આપી છે. ત્યારે ટ્ટિટર પર ચાલતા આવા વોર પર તમારૂ શું કહેવું છે?  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.