સોશિયલ મીડિયા પર ચાલતું ભાજપ અને કોંગ્રેસનું ટ્વિટર વોર! કોંગ્રેસે પીએમની તસવીર શેર કરી તો ભાજપે રાહુલ ગાંધીની તસવીર શેર કરી!


  • Published By :
  • Published Date : 2023-05-17 11:32:11

ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ એક બીજા પર અનેક વખત શાબ્દિક પ્રહાર કરતા જોવા મળતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર નિશાન સાધતા હોય છે. પરંતુ હવે તો સોશિયલ મીડિયા પર પણ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો ભાજપ દ્વારા કોંગ્રેસને લઈ કોઈ પોસ્ટ કરવામાં આવી હોય તો તેનો જવાબ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. એક ફોટો છે પીએમ મોદીનો અને બીજો ફોટો છે રાહુલ ગાંધીનો. કોંગ્રેસ તેમજ ભાજપના ઓફિશિયલ પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં  આવ્યા છે.

અદાણી સાથેના ફોટો કોંગ્રેસે કર્યા શેર!

અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ ઘણી વખત આક્રામક દેખાઈ છે. હિંડનબર્ગના રિપોર્ટને લઈ સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પોતે આ મામલે સવાલ પૂછ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદીની એક તસવીર શેર કરવામાં આવી છે. તસવીરમાં દીવાલો પર અદાણીની તસવીરો રાખવામાં આવી છે. અનેક તસવીરોમાં પીએમ મોદી પણ દેખાય છે. ત્યારે આ ફોટાને શેર કરતા કોંગ્રેસે લખ્યું 'મારી દુનિયા'.


કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે જવાબ આપ્યો. ભાજપ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી દેખાય છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કંઈક વિચારતા હોય તેવું લાગે છે. તેમની પાછળ અનેક ફોટા રાખવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી છે, તેમના સિવાય જવાબરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમજ સોનિયા ગાંધી દેખાઈ રહ્યા છે. ભાજપે પણ ફોટો શેર કરતા લખ્યું 'તેમની દુનિયા!'


ટ્વિટર વોર પર તમારૂ શું કહેવું છે? 

સોશિયલ મીડિયામાં બંને ફોટા વાયરલ થઈ રહ્યા છે. અનેક યુઝરોએ આની પર પ્રતિક્રિયાઓ પણ આપી છે. ત્યારે ટ્ટિટર પર ચાલતા આવા વોર પર તમારૂ શું કહેવું છે?  




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.