ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો, UNFPAના રિપોર્ટમાં કરાયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-04-19 15:25:21

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. 'ધ સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન 2023'(UNFPA)ના રિપોર્ટ મુજબ ભારતની વસ્તી 142.86 કરોડ થઈ ગઈ છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. આ રીતે હવે ભારતમાં હવે ચીન કરતાં 20 લાખ વધુ લોકો છે


દેશની વસ્તી 165 કરોડ સુધી પહોંચી શકે છે


યુનાઈટેડ નેશન્સ (UNFPA)ના નવા રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 25 ટકા લોકો  0-14 વર્ષના વય વર્ગમાં આવે છે. જ્યારે  18 ટકા 10 થી19, 26 ટકા10 થી 24, 68 ટકા 15 થી 64 વય વર્ગમાં અને 65 વર્ષથી ઉપરનીવય વર્ગમાં માત્ર 7 ટકા લોકો જ આવે છે. જ્યારે વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે ભારતની સંખ્યા છેલ્લા ત્રણ દાયકામાં વધરતી રહેશે. આ જ કારણે દેશની વસ્તી 165 કરોડ જેટલી વધી શકે છે. 


ચીનની વસ્તી છ દાયકામાં પ્રથમ વખત ઘટી


અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. આ પછી ચીનની વસ્તીમાં માત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. સરકારી ડેટા અનુસાર, ભારતની વાર્ષિક વસ્તી વૃદ્ધિ અગાઉના 10 વર્ષમાં 1.7 ટકાની સરખામણીએ 2011થી સરેરાશ 1.2 ટકા રહી છે. સંયુક્ત રાષ્ટ્રના વસ્તી ડેટા રેકોર્ડમાં આ પ્રથમ વખત છે કે 1950 પછી ભારતની વસ્તી ચીન કરતા વધુ નોંધવામાં આવી છે, હકીકતમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં બીજા વિશ્વ યુદ્ધના અંત પછી કરવામાં આવી હતી અને 1950માં સંયુક્ત રાષ્ટ્રની વસ્તી ડેટા એકત્ર કરીને આપવાનું શરૂ કર્યું.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.