રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને ફરી એક વખત નડ્યો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા ગાય ઉપરાંત શૌચ કરી રહેલા વ્યક્તિનું પણ થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-04-20 16:56:09

વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા અનેક વખત ગાયોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. આ વખતે પણ ગાય વંદે ભારત ટ્રેનના રસ્તા પર આવી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું, પરંતુ આ અકસ્માતમાં એક નહીં પરંતુ બે મોત થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. ટ્રેનની ટક્કર વાગતા ગાય લગભગ 30 મીટર સુધી ઉછળી હતી. ત્યારે ગાયની અડફેટે આવતા શૌચ કરી રહેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 


30 મીટર ગાય ઉછળી અને શૌચ કરી રહેલા વૃદ્ધ પર આવી પડી! 

આપણે ત્યાં ભલે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરવામાં આવતી હોય તો પણ આપણે ત્યાં અનેક લોકો શૌચ ક્રિયા કરવા માટે રેલવે ટ્રેકની જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ જ આદતને કારણે એક વૃદ્ધની મોત થઈ ગઈ છે. તમને થતું હશે કે વંદે ભારત ટ્રેનના અકસ્માતની વાત વચ્ચે શા માટે સ્વચ્છ ભારતની વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ. પરંતુ આ કેસ પણ વંદે ભારત ટ્રેનના અકસ્માત સાથે જોડાયેલો છે. ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત થયું છે. અને 30 મીટર દૂર સુધી ગાય ઉછળી હતી. ગાય ઉછળવાને કારણે શૌચ કરી રહેલા વૃદ્ધનું પણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જે વૃદ્ધનું મોત થયું છે તેમનું નામ શિવદયાલ શર્મા છે.                  



વડાપ્રધાન ટ્રેનને થોડા સમય પહેલા જ પીએમ મોદીએ બતાવી હતી લીલી ઝંડી!

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પરંતુ વંદે ભારત ટ્રેનના અનેક વખત અકસ્માતો સર્જાયા છે. મુખ્યત્વે ગાય ટ્રેક પર આવી જતા ટ્રેન અકસ્માતનો ભોગ બની જતી હોય છે. ટ્રેનની સાથે સાથે ગાય પણ મોતને ભેટતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય અડફેટે આવી જતાં ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. દિલ્હીથી અજમેર જતી વંદે ભારત ટ્રેન મંગળવારે રાતના આઠ વાગ્યે કાલીમોરી ફાટકેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગાય અડફેટે આવી ગઈ હતી. અને ગાયને કારણે એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડતા રહેશે? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.