રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને ફરી એક વખત નડ્યો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા ગાય ઉપરાંત શૌચ કરી રહેલા વ્યક્તિનું પણ થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-04-20 16:56:09

વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા અનેક વખત ગાયોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. આ વખતે પણ ગાય વંદે ભારત ટ્રેનના રસ્તા પર આવી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું, પરંતુ આ અકસ્માતમાં એક નહીં પરંતુ બે મોત થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. ટ્રેનની ટક્કર વાગતા ગાય લગભગ 30 મીટર સુધી ઉછળી હતી. ત્યારે ગાયની અડફેટે આવતા શૌચ કરી રહેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 


30 મીટર ગાય ઉછળી અને શૌચ કરી રહેલા વૃદ્ધ પર આવી પડી! 

આપણે ત્યાં ભલે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરવામાં આવતી હોય તો પણ આપણે ત્યાં અનેક લોકો શૌચ ક્રિયા કરવા માટે રેલવે ટ્રેકની જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ જ આદતને કારણે એક વૃદ્ધની મોત થઈ ગઈ છે. તમને થતું હશે કે વંદે ભારત ટ્રેનના અકસ્માતની વાત વચ્ચે શા માટે સ્વચ્છ ભારતની વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ. પરંતુ આ કેસ પણ વંદે ભારત ટ્રેનના અકસ્માત સાથે જોડાયેલો છે. ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત થયું છે. અને 30 મીટર દૂર સુધી ગાય ઉછળી હતી. ગાય ઉછળવાને કારણે શૌચ કરી રહેલા વૃદ્ધનું પણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જે વૃદ્ધનું મોત થયું છે તેમનું નામ શિવદયાલ શર્મા છે.                  



વડાપ્રધાન ટ્રેનને થોડા સમય પહેલા જ પીએમ મોદીએ બતાવી હતી લીલી ઝંડી!

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પરંતુ વંદે ભારત ટ્રેનના અનેક વખત અકસ્માતો સર્જાયા છે. મુખ્યત્વે ગાય ટ્રેક પર આવી જતા ટ્રેન અકસ્માતનો ભોગ બની જતી હોય છે. ટ્રેનની સાથે સાથે ગાય પણ મોતને ભેટતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય અડફેટે આવી જતાં ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. દિલ્હીથી અજમેર જતી વંદે ભારત ટ્રેન મંગળવારે રાતના આઠ વાગ્યે કાલીમોરી ફાટકેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગાય અડફેટે આવી ગઈ હતી. અને ગાયને કારણે એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડતા રહેશે? 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.