રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને ફરી એક વખત નડ્યો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા ગાય ઉપરાંત શૌચ કરી રહેલા વ્યક્તિનું પણ થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-04-20 16:56:09

વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા અનેક વખત ગાયોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. આ વખતે પણ ગાય વંદે ભારત ટ્રેનના રસ્તા પર આવી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું, પરંતુ આ અકસ્માતમાં એક નહીં પરંતુ બે મોત થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. ટ્રેનની ટક્કર વાગતા ગાય લગભગ 30 મીટર સુધી ઉછળી હતી. ત્યારે ગાયની અડફેટે આવતા શૌચ કરી રહેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 


30 મીટર ગાય ઉછળી અને શૌચ કરી રહેલા વૃદ્ધ પર આવી પડી! 

આપણે ત્યાં ભલે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરવામાં આવતી હોય તો પણ આપણે ત્યાં અનેક લોકો શૌચ ક્રિયા કરવા માટે રેલવે ટ્રેકની જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ જ આદતને કારણે એક વૃદ્ધની મોત થઈ ગઈ છે. તમને થતું હશે કે વંદે ભારત ટ્રેનના અકસ્માતની વાત વચ્ચે શા માટે સ્વચ્છ ભારતની વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ. પરંતુ આ કેસ પણ વંદે ભારત ટ્રેનના અકસ્માત સાથે જોડાયેલો છે. ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત થયું છે. અને 30 મીટર દૂર સુધી ગાય ઉછળી હતી. ગાય ઉછળવાને કારણે શૌચ કરી રહેલા વૃદ્ધનું પણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જે વૃદ્ધનું મોત થયું છે તેમનું નામ શિવદયાલ શર્મા છે.                  



વડાપ્રધાન ટ્રેનને થોડા સમય પહેલા જ પીએમ મોદીએ બતાવી હતી લીલી ઝંડી!

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પરંતુ વંદે ભારત ટ્રેનના અનેક વખત અકસ્માતો સર્જાયા છે. મુખ્યત્વે ગાય ટ્રેક પર આવી જતા ટ્રેન અકસ્માતનો ભોગ બની જતી હોય છે. ટ્રેનની સાથે સાથે ગાય પણ મોતને ભેટતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય અડફેટે આવી જતાં ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. દિલ્હીથી અજમેર જતી વંદે ભારત ટ્રેન મંગળવારે રાતના આઠ વાગ્યે કાલીમોરી ફાટકેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગાય અડફેટે આવી ગઈ હતી. અને ગાયને કારણે એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડતા રહેશે? 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.