સચિન પાયલોટના ધરણાંને વસુંધરા રાજેએ લાઈવ જોયું? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટે મચાવ્યો હંગામો!


  • Published By :
  • Published Date : 2023-04-12 09:56:48

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ જયપુરના શહીદ સ્મારક સ્થળ પર એક દિવસના ધરણા પર બેઠા હતા. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલી અદાવત સામે આવી હતી. પરંતુ ચર્ચામાં તો રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે પણ રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ હાલ થઈ રહી છે. સચિન પાયલોટ જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે તેનું લાઈવ સ્ટીમિંગ ફેસબુક પર ચાલી રહ્યું હતું. એક સ્ક્રીનશોટના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વસુંધરા રાજે પણ સચિન પાયલોટના ધરણા લાઈવ જોઈ રહ્યા હતા. જોકે જમાવટ આ સ્ક્રીનશોર્ટની પુષ્ટિ નથી કરતું.


ફેસબુક પર ધરણાંનું થઈ રહ્યું હતું લાઈવ સ્ટ્રીમિંગ! 

રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ડે. સીએમ સચિન પાયલોટે પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બાયો ચઢાવી છે. કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. જયપુરના શહીદ સ્મારક સ્થળ પર ધરણા ધર્યા હતા. આ ધરણા માટે કોંગ્રેસે સમર્થન આપ્યું ન હતું. હાઈકમાન્ડ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે ઉપરાંત પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા. આ ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર કરવામાં આવી રહ્યું હતું. 


વસુંધરા રાજે જોઈ રહ્યા હતા ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ!  

એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલોટના ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જોઈ રહ્યા હતા. રાજે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર પણ આ લાઈવ જોઈ રહ્યા હતા. આ વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટની પુષ્ટિ જમાવટ કરતું નથી. 


પ્રેસ કોન્ફરન્સમાં ધરણાં અંગેની પાયલોટે આપી હતી માહિતી!

જે સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે તેમાં વસુંધરા રાજેનું વેરિફાઈડ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વાત એટલા માટે ચર્ચાનો વિષય બની રહી છે કારણ કે સચિન પાયલોટને કોંગ્રેસનું સમર્થન નથી મળી રહ્યું. હાઈકમાન્ડ સચિન પાયલોટથી દૂરી બનાવા માગે છે. 9 એપ્રિલના રોજ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી ધરણાં અંગેની જાહેરાત કરી હતી. 


હાઈકમાન્ડની ચેતવણી બાદ પણ સચિને કર્યા હતા ધરણાં!

વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત રીતે થયેલા ઘોટાળાઓ અંગે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનો દાવો છે કે આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકમાન્ડની ચેતાવણી બાદ પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા ત્યારે આવનાર સમયમાં રાજનીતિનો કયો નવો રંગ જોવા મળે છે તે જોવું રહ્યું.                    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.