સચિન પાયલોટના ધરણાંને વસુંધરા રાજેએ લાઈવ જોયું? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટે મચાવ્યો હંગામો!


  • Published By :
  • Published Date : 2023-04-12 09:56:48

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ જયપુરના શહીદ સ્મારક સ્થળ પર એક દિવસના ધરણા પર બેઠા હતા. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલી અદાવત સામે આવી હતી. પરંતુ ચર્ચામાં તો રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે પણ રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ હાલ થઈ રહી છે. સચિન પાયલોટ જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે તેનું લાઈવ સ્ટીમિંગ ફેસબુક પર ચાલી રહ્યું હતું. એક સ્ક્રીનશોટના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વસુંધરા રાજે પણ સચિન પાયલોટના ધરણા લાઈવ જોઈ રહ્યા હતા. જોકે જમાવટ આ સ્ક્રીનશોર્ટની પુષ્ટિ નથી કરતું.


ફેસબુક પર ધરણાંનું થઈ રહ્યું હતું લાઈવ સ્ટ્રીમિંગ! 

રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ડે. સીએમ સચિન પાયલોટે પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બાયો ચઢાવી છે. કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. જયપુરના શહીદ સ્મારક સ્થળ પર ધરણા ધર્યા હતા. આ ધરણા માટે કોંગ્રેસે સમર્થન આપ્યું ન હતું. હાઈકમાન્ડ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે ઉપરાંત પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા. આ ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર કરવામાં આવી રહ્યું હતું. 


વસુંધરા રાજે જોઈ રહ્યા હતા ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ!  

એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલોટના ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જોઈ રહ્યા હતા. રાજે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર પણ આ લાઈવ જોઈ રહ્યા હતા. આ વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટની પુષ્ટિ જમાવટ કરતું નથી. 


પ્રેસ કોન્ફરન્સમાં ધરણાં અંગેની પાયલોટે આપી હતી માહિતી!

જે સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે તેમાં વસુંધરા રાજેનું વેરિફાઈડ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વાત એટલા માટે ચર્ચાનો વિષય બની રહી છે કારણ કે સચિન પાયલોટને કોંગ્રેસનું સમર્થન નથી મળી રહ્યું. હાઈકમાન્ડ સચિન પાયલોટથી દૂરી બનાવા માગે છે. 9 એપ્રિલના રોજ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી ધરણાં અંગેની જાહેરાત કરી હતી. 


હાઈકમાન્ડની ચેતવણી બાદ પણ સચિને કર્યા હતા ધરણાં!

વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત રીતે થયેલા ઘોટાળાઓ અંગે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનો દાવો છે કે આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકમાન્ડની ચેતાવણી બાદ પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા ત્યારે આવનાર સમયમાં રાજનીતિનો કયો નવો રંગ જોવા મળે છે તે જોવું રહ્યું.                    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.