સચિન પાયલોટના ધરણાંને વસુંધરા રાજેએ લાઈવ જોયું? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટે મચાવ્યો હંગામો!


  • Published By :
  • Published Date : 2023-04-12 09:56:48

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ જયપુરના શહીદ સ્મારક સ્થળ પર એક દિવસના ધરણા પર બેઠા હતા. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલી અદાવત સામે આવી હતી. પરંતુ ચર્ચામાં તો રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે પણ રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ હાલ થઈ રહી છે. સચિન પાયલોટ જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે તેનું લાઈવ સ્ટીમિંગ ફેસબુક પર ચાલી રહ્યું હતું. એક સ્ક્રીનશોટના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વસુંધરા રાજે પણ સચિન પાયલોટના ધરણા લાઈવ જોઈ રહ્યા હતા. જોકે જમાવટ આ સ્ક્રીનશોર્ટની પુષ્ટિ નથી કરતું.


ફેસબુક પર ધરણાંનું થઈ રહ્યું હતું લાઈવ સ્ટ્રીમિંગ! 

રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ડે. સીએમ સચિન પાયલોટે પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બાયો ચઢાવી છે. કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. જયપુરના શહીદ સ્મારક સ્થળ પર ધરણા ધર્યા હતા. આ ધરણા માટે કોંગ્રેસે સમર્થન આપ્યું ન હતું. હાઈકમાન્ડ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે ઉપરાંત પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા. આ ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર કરવામાં આવી રહ્યું હતું. 


વસુંધરા રાજે જોઈ રહ્યા હતા ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ!  

એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલોટના ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જોઈ રહ્યા હતા. રાજે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર પણ આ લાઈવ જોઈ રહ્યા હતા. આ વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટની પુષ્ટિ જમાવટ કરતું નથી. 


પ્રેસ કોન્ફરન્સમાં ધરણાં અંગેની પાયલોટે આપી હતી માહિતી!

જે સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે તેમાં વસુંધરા રાજેનું વેરિફાઈડ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વાત એટલા માટે ચર્ચાનો વિષય બની રહી છે કારણ કે સચિન પાયલોટને કોંગ્રેસનું સમર્થન નથી મળી રહ્યું. હાઈકમાન્ડ સચિન પાયલોટથી દૂરી બનાવા માગે છે. 9 એપ્રિલના રોજ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી ધરણાં અંગેની જાહેરાત કરી હતી. 


હાઈકમાન્ડની ચેતવણી બાદ પણ સચિને કર્યા હતા ધરણાં!

વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત રીતે થયેલા ઘોટાળાઓ અંગે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનો દાવો છે કે આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકમાન્ડની ચેતાવણી બાદ પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા ત્યારે આવનાર સમયમાં રાજનીતિનો કયો નવો રંગ જોવા મળે છે તે જોવું રહ્યું.                    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.