વિરાટ અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા, દયાનંદ આશ્રમમાં આયોજીત યજ્ઞમાં ભાગ લેશે અને ભંડારો કરશે


  • Published By :
  • Published Date : 2023-01-31 20:19:37

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી મહાપુરુષોના આશીર્વાદ લેવા સંતો અને મહાત્માઓની નગરી ઋષિકેશ પહોંચી ગયો છે. તેની સાથે  પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ છે. તેઓ સોમવારે ઋષિકેશ પહોંચ્યા હતા.


દયાનંદ આશ્રમની લીધી મુલાકાત 


વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી સાથે ધાર્મિક યાત્રા પર છે. કોહલી અને અનુષ્કા ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી બાદ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા વિરામ દરમિયાન ઋષિકેશ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમની મુલાકાત લીધી હતી. વિરાટ-અનુષ્કાએ આશ્રમમાં પહોંચ્યા બાદ બંનેએ બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના દર્શન કર્યા હતા. બંનેએ ગુરુની સમાધિ પર ફૂલ ચઢાવીને ધ્યાન પણ કર્યું હતું.


ગંગા આરતી કરી  


વિરાટ-અનુષ્કા ગંગા ઘાટ પહોંચ્યા અને સંતો અને પંડિતો સાથે ગંગા આરતી કરી અને મા ગંગાના આશીર્વાદ લીધા. તેમની સાથે તેમના યોગ ટ્રેનર પણ આશ્રમમાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મંગળવારે પણ ઋષિકેશમાં જ રહેશે. આ દરમિયાન તેઓ આશ્રમમાં યોજાનારા હવન-યજ્ઞમાં ભાગ લેશે. આ પછી તેમના તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવશે અને લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.


આશ્રમનું સાદુ ભોજન લીધું


વિરાટ કોહલી અને અનુષ્કાએ દયાનંદ આશ્રમના પ્રમુખ સ્વામી સાક્ષાતકૃતા નંદ મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે રાત્રી રોકાણ પણ આશ્રમમાં જ કર્યું હતું. વિરાટ કોહલી,અનુષ્કા અને તેમનીએ આશ્રમના રસોડામાં તૈયાર કરેલું સાદુ ભોજન લીધું હતું. આશ્રમના સાધુ-સંતો સાથે બેસીને તેમણે રોટલી, શાક, ખીચડી અને કઢીનું ભોજન કર્યું હતું. આ ઉપરાંત આશ્રમમાં ચાલતા નિયમિત યોગ ક્લાસમાં પણ વિરાટ અને અનુષ્કા જોડાયા હતા.


ફેન્સને વીડિયો બનાવતા રોક્યો


દયાનંદ આશ્રમમાં વિરાટ કોહલીએ ફેન્સ સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. જો કે આ દરમિયાન એક ચાહક વીડિયો બનાવતો હતો. વિરાટે તેને આવું કરતા રોક્યો હતો. તેણે  યાદ  દેવડાવ્યું કે આ ધાર્મિક સ્થળ છે. વિરાટે કહ્યું કે "ભાઈ આ આશ્રમ છે, વીડિયો ન બનાવીશ" 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.