વિરાટ અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા, દયાનંદ આશ્રમમાં આયોજીત યજ્ઞમાં ભાગ લેશે અને ભંડારો કરશે


  • Published By :
  • Published Date : 2023-01-31 20:19:37

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી મહાપુરુષોના આશીર્વાદ લેવા સંતો અને મહાત્માઓની નગરી ઋષિકેશ પહોંચી ગયો છે. તેની સાથે  પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ છે. તેઓ સોમવારે ઋષિકેશ પહોંચ્યા હતા.


દયાનંદ આશ્રમની લીધી મુલાકાત 


વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી સાથે ધાર્મિક યાત્રા પર છે. કોહલી અને અનુષ્કા ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી બાદ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા વિરામ દરમિયાન ઋષિકેશ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમની મુલાકાત લીધી હતી. વિરાટ-અનુષ્કાએ આશ્રમમાં પહોંચ્યા બાદ બંનેએ બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના દર્શન કર્યા હતા. બંનેએ ગુરુની સમાધિ પર ફૂલ ચઢાવીને ધ્યાન પણ કર્યું હતું.


ગંગા આરતી કરી  


વિરાટ-અનુષ્કા ગંગા ઘાટ પહોંચ્યા અને સંતો અને પંડિતો સાથે ગંગા આરતી કરી અને મા ગંગાના આશીર્વાદ લીધા. તેમની સાથે તેમના યોગ ટ્રેનર પણ આશ્રમમાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મંગળવારે પણ ઋષિકેશમાં જ રહેશે. આ દરમિયાન તેઓ આશ્રમમાં યોજાનારા હવન-યજ્ઞમાં ભાગ લેશે. આ પછી તેમના તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવશે અને લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.


આશ્રમનું સાદુ ભોજન લીધું


વિરાટ કોહલી અને અનુષ્કાએ દયાનંદ આશ્રમના પ્રમુખ સ્વામી સાક્ષાતકૃતા નંદ મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે રાત્રી રોકાણ પણ આશ્રમમાં જ કર્યું હતું. વિરાટ કોહલી,અનુષ્કા અને તેમનીએ આશ્રમના રસોડામાં તૈયાર કરેલું સાદુ ભોજન લીધું હતું. આશ્રમના સાધુ-સંતો સાથે બેસીને તેમણે રોટલી, શાક, ખીચડી અને કઢીનું ભોજન કર્યું હતું. આ ઉપરાંત આશ્રમમાં ચાલતા નિયમિત યોગ ક્લાસમાં પણ વિરાટ અને અનુષ્કા જોડાયા હતા.


ફેન્સને વીડિયો બનાવતા રોક્યો


દયાનંદ આશ્રમમાં વિરાટ કોહલીએ ફેન્સ સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. જો કે આ દરમિયાન એક ચાહક વીડિયો બનાવતો હતો. વિરાટે તેને આવું કરતા રોક્યો હતો. તેણે  યાદ  દેવડાવ્યું કે આ ધાર્મિક સ્થળ છે. વિરાટે કહ્યું કે "ભાઈ આ આશ્રમ છે, વીડિયો ન બનાવીશ" 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.