વિરાટ અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા, દયાનંદ આશ્રમમાં આયોજીત યજ્ઞમાં ભાગ લેશે અને ભંડારો કરશે


  • Published By :
  • Published Date : 2023-01-31 20:19:37

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી મહાપુરુષોના આશીર્વાદ લેવા સંતો અને મહાત્માઓની નગરી ઋષિકેશ પહોંચી ગયો છે. તેની સાથે  પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ છે. તેઓ સોમવારે ઋષિકેશ પહોંચ્યા હતા.


દયાનંદ આશ્રમની લીધી મુલાકાત 


વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી સાથે ધાર્મિક યાત્રા પર છે. કોહલી અને અનુષ્કા ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી બાદ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા વિરામ દરમિયાન ઋષિકેશ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમની મુલાકાત લીધી હતી. વિરાટ-અનુષ્કાએ આશ્રમમાં પહોંચ્યા બાદ બંનેએ બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના દર્શન કર્યા હતા. બંનેએ ગુરુની સમાધિ પર ફૂલ ચઢાવીને ધ્યાન પણ કર્યું હતું.


ગંગા આરતી કરી  


વિરાટ-અનુષ્કા ગંગા ઘાટ પહોંચ્યા અને સંતો અને પંડિતો સાથે ગંગા આરતી કરી અને મા ગંગાના આશીર્વાદ લીધા. તેમની સાથે તેમના યોગ ટ્રેનર પણ આશ્રમમાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મંગળવારે પણ ઋષિકેશમાં જ રહેશે. આ દરમિયાન તેઓ આશ્રમમાં યોજાનારા હવન-યજ્ઞમાં ભાગ લેશે. આ પછી તેમના તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવશે અને લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.


આશ્રમનું સાદુ ભોજન લીધું


વિરાટ કોહલી અને અનુષ્કાએ દયાનંદ આશ્રમના પ્રમુખ સ્વામી સાક્ષાતકૃતા નંદ મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે રાત્રી રોકાણ પણ આશ્રમમાં જ કર્યું હતું. વિરાટ કોહલી,અનુષ્કા અને તેમનીએ આશ્રમના રસોડામાં તૈયાર કરેલું સાદુ ભોજન લીધું હતું. આશ્રમના સાધુ-સંતો સાથે બેસીને તેમણે રોટલી, શાક, ખીચડી અને કઢીનું ભોજન કર્યું હતું. આ ઉપરાંત આશ્રમમાં ચાલતા નિયમિત યોગ ક્લાસમાં પણ વિરાટ અને અનુષ્કા જોડાયા હતા.


ફેન્સને વીડિયો બનાવતા રોક્યો


દયાનંદ આશ્રમમાં વિરાટ કોહલીએ ફેન્સ સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. જો કે આ દરમિયાન એક ચાહક વીડિયો બનાવતો હતો. વિરાટે તેને આવું કરતા રોક્યો હતો. તેણે  યાદ  દેવડાવ્યું કે આ ધાર્મિક સ્થળ છે. વિરાટે કહ્યું કે "ભાઈ આ આશ્રમ છે, વીડિયો ન બનાવીશ" 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.