વોડાફોન આઈડિયામાં ભારત સરકાર સૌથી મોટી શેરધારક, સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-08 14:56:45

સતત ખોટ કરતી કંપની વોડાફોન આઈડિયા (Vi)માં ભારત સરકાર સૌથી મોટી શેરધારક બનશે. ટેલિકોમ કંપનીએ કહ્યું છે કે વોડાફોન આઈડિયામાં સરકાર 33.44 ટકા હિસ્સો હશે. કંપનીએ જણાવ્યું હતું કે તેના બોર્ડે મંગળવારે શેરની ફાળવણીને મંજૂરી આપી છે. બાકી સ્પેક્ટ્રમ ચૂકવણી પર વ્યાજ અને બાકી AGRને NPVના શેરમાં રૂપાંતરિત થવાને કારણે આ શેર સરકાર પાસે આવશે. બ્રોકરેજ CLSAનો અંદાજ છે કે Viના સહ-પ્રમોટર્સ યુકેની વોડાફોન પીએલસી અને ભારતના આદિત્ય બિરલા ગ્રૂપ અનુક્રમે Viમાં 31.7% અને 18.2% હિસ્સો ધરાવશે. સરકારને શેરની ફાળવણી પછી, તેમની સંયુક્ત હોલ્ડિંગ લગભગ 50% હશે. હાલમાં, Vodafone UK અને ABGની Vi માં અનુક્રમે 47.61% અને 27.38% ની ભાગીદારી છે.


બોર્ડે આપી મંજૂરી


વોડાફોન આઈડિયાએ મંગળવારે સાંજે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "બોર્ડે આજે તેની મીટિંગમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 16,133,184,899 ઇક્વિટી શેરની રૂ. 10ની ઇશ્યૂ કિંમતે ફાળવણીને મંજૂરી આપી છે. આ શેરો કુલ રૂ. 161,331,848,990 એડજસ્ટ કરવાના બદલામાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટને આપવામાં આવશે. આ ફાળવણી બાદ કંપનીમાં સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા થઈ જશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.