વોડાફોન આઈડિયામાં ભારત સરકાર સૌથી મોટી શેરધારક, સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-08 14:56:45

સતત ખોટ કરતી કંપની વોડાફોન આઈડિયા (Vi)માં ભારત સરકાર સૌથી મોટી શેરધારક બનશે. ટેલિકોમ કંપનીએ કહ્યું છે કે વોડાફોન આઈડિયામાં સરકાર 33.44 ટકા હિસ્સો હશે. કંપનીએ જણાવ્યું હતું કે તેના બોર્ડે મંગળવારે શેરની ફાળવણીને મંજૂરી આપી છે. બાકી સ્પેક્ટ્રમ ચૂકવણી પર વ્યાજ અને બાકી AGRને NPVના શેરમાં રૂપાંતરિત થવાને કારણે આ શેર સરકાર પાસે આવશે. બ્રોકરેજ CLSAનો અંદાજ છે કે Viના સહ-પ્રમોટર્સ યુકેની વોડાફોન પીએલસી અને ભારતના આદિત્ય બિરલા ગ્રૂપ અનુક્રમે Viમાં 31.7% અને 18.2% હિસ્સો ધરાવશે. સરકારને શેરની ફાળવણી પછી, તેમની સંયુક્ત હોલ્ડિંગ લગભગ 50% હશે. હાલમાં, Vodafone UK અને ABGની Vi માં અનુક્રમે 47.61% અને 27.38% ની ભાગીદારી છે.


બોર્ડે આપી મંજૂરી


વોડાફોન આઈડિયાએ મંગળવારે સાંજે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "બોર્ડે આજે તેની મીટિંગમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 16,133,184,899 ઇક્વિટી શેરની રૂ. 10ની ઇશ્યૂ કિંમતે ફાળવણીને મંજૂરી આપી છે. આ શેરો કુલ રૂ. 161,331,848,990 એડજસ્ટ કરવાના બદલામાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટને આપવામાં આવશે. આ ફાળવણી બાદ કંપનીમાં સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા થઈ જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.