વોડાફોન આઈડિયામાં ભારત સરકાર સૌથી મોટી શેરધારક, સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-08 14:56:45

સતત ખોટ કરતી કંપની વોડાફોન આઈડિયા (Vi)માં ભારત સરકાર સૌથી મોટી શેરધારક બનશે. ટેલિકોમ કંપનીએ કહ્યું છે કે વોડાફોન આઈડિયામાં સરકાર 33.44 ટકા હિસ્સો હશે. કંપનીએ જણાવ્યું હતું કે તેના બોર્ડે મંગળવારે શેરની ફાળવણીને મંજૂરી આપી છે. બાકી સ્પેક્ટ્રમ ચૂકવણી પર વ્યાજ અને બાકી AGRને NPVના શેરમાં રૂપાંતરિત થવાને કારણે આ શેર સરકાર પાસે આવશે. બ્રોકરેજ CLSAનો અંદાજ છે કે Viના સહ-પ્રમોટર્સ યુકેની વોડાફોન પીએલસી અને ભારતના આદિત્ય બિરલા ગ્રૂપ અનુક્રમે Viમાં 31.7% અને 18.2% હિસ્સો ધરાવશે. સરકારને શેરની ફાળવણી પછી, તેમની સંયુક્ત હોલ્ડિંગ લગભગ 50% હશે. હાલમાં, Vodafone UK અને ABGની Vi માં અનુક્રમે 47.61% અને 27.38% ની ભાગીદારી છે.


બોર્ડે આપી મંજૂરી


વોડાફોન આઈડિયાએ મંગળવારે સાંજે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "બોર્ડે આજે તેની મીટિંગમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 16,133,184,899 ઇક્વિટી શેરની રૂ. 10ની ઇશ્યૂ કિંમતે ફાળવણીને મંજૂરી આપી છે. આ શેરો કુલ રૂ. 161,331,848,990 એડજસ્ટ કરવાના બદલામાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટને આપવામાં આવશે. આ ફાળવણી બાદ કંપનીમાં સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા થઈ જશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.