પુણ્ય કમાવા કાળઝાળ ગરમીમાં પશ્ચિમ બંગાળના ધારાસભ્યએ આપ્યા બ્લેન્કેટ! ટીએમસીના ધારાસભ્યએ બ્લેન્કેટ વહેચવા પાછળનું જણાવ્યું આ કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:53:21

કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હિટવેવને લઈ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે ઉપરાંત હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચાવ કરવો તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. તમને લાગતું હશે કે આ સમાચાર દેશમાં વધતી ગરમીને લઈને હશે પરંતુ આ સમાચાર એ નથી. કાળઝાળ ગરમી વચ્ચે પશ્ચિમ બંગાળના ધારાસભ્ય બલેન્કેટનું દાન કરવા નીકળ્યા છે. ગરીબોને ભર ઉનાળે ધારાસભ્ય દ્વારા બ્લેન્કેટ આપવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યનો ફોટો થયો વાયરલ!  

પુણ્ય કમાવા માટે અનેક વખત નેતાઓ તેમજ ધારાસભ્યો ગરીબોને અનેક વસ્તુઓનું દાન કરતા હોય છે. પરંતુ દાન એવી વસ્તુનું થવું જોઈએ જે ઉપયોગી હોય. સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ધારાસભ્ય ભરઉનાળે ગરીબોને બ્લેન્કેટનું દાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કરીમપુર વિસ્તારનો છે. 


બ્લેન્કેટ આપવાનું ધારાસભ્યએ આ આપ્યું કારણ? 

એક તરફ જ્યારે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનના પારામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ટીએમસીના ધારાસભ્યને બ્લેન્કેટ દાન કરવાની ઈચ્છા થઈ? આ અંગે પોતાનો ધારાસભ્યે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે જેમને નિંદા કરવાની આદત હોય છે તેઓ દરેક વાતમાં વિવાદ શોધે છે. તેમણે તર્ક આપતા કહ્યું કે આવનાર દિવસોમાં ઈદ આવવાની છે. આ પ્રસંગે તેમણે લોકોને કપડાં આપ્યા. આ દરમિયાન કપડાંની સાથે અનેક બ્લેન્કેટ પણ વ્હેચવામાં આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે ભલે આ હાલ કામ ન આવે બાદમાં તે બ્લેન્કેટ લોકોને કામમાં આવશે જ, આવું જ વિચારીને ગરમીઓમાં તેમણે બ્લેન્કેટ વ્હેચ્યા છે.  




તસવીર અંગે લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ તસવીર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી આ ફોટા પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો તેમની દૂરગામી વિચારવાની શક્તિને લઈ કમેન્ટ કરતા લખ્યું કે તેમની વિચાર શક્તિ કેટલી દૂરમગામી છે કે ઠંડીમાં કાપતા લોકોનો વિચાર હમણાંથી કરવા લાગ્યા. તો કોઈએ લખ્યું કે તેમને મંકી કેપ અને ફ્રી રૂમ હિટર પણ મળવા જોઈએ. ત્યારે આ ફોટા વિશે તમારું શું માનવું છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.