પુણ્ય કમાવા કાળઝાળ ગરમીમાં પશ્ચિમ બંગાળના ધારાસભ્યએ આપ્યા બ્લેન્કેટ! ટીએમસીના ધારાસભ્યએ બ્લેન્કેટ વહેચવા પાછળનું જણાવ્યું આ કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:53:21

કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હિટવેવને લઈ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે ઉપરાંત હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચાવ કરવો તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. તમને લાગતું હશે કે આ સમાચાર દેશમાં વધતી ગરમીને લઈને હશે પરંતુ આ સમાચાર એ નથી. કાળઝાળ ગરમી વચ્ચે પશ્ચિમ બંગાળના ધારાસભ્ય બલેન્કેટનું દાન કરવા નીકળ્યા છે. ગરીબોને ભર ઉનાળે ધારાસભ્ય દ્વારા બ્લેન્કેટ આપવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યનો ફોટો થયો વાયરલ!  

પુણ્ય કમાવા માટે અનેક વખત નેતાઓ તેમજ ધારાસભ્યો ગરીબોને અનેક વસ્તુઓનું દાન કરતા હોય છે. પરંતુ દાન એવી વસ્તુનું થવું જોઈએ જે ઉપયોગી હોય. સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ધારાસભ્ય ભરઉનાળે ગરીબોને બ્લેન્કેટનું દાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કરીમપુર વિસ્તારનો છે. 


બ્લેન્કેટ આપવાનું ધારાસભ્યએ આ આપ્યું કારણ? 

એક તરફ જ્યારે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનના પારામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ટીએમસીના ધારાસભ્યને બ્લેન્કેટ દાન કરવાની ઈચ્છા થઈ? આ અંગે પોતાનો ધારાસભ્યે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે જેમને નિંદા કરવાની આદત હોય છે તેઓ દરેક વાતમાં વિવાદ શોધે છે. તેમણે તર્ક આપતા કહ્યું કે આવનાર દિવસોમાં ઈદ આવવાની છે. આ પ્રસંગે તેમણે લોકોને કપડાં આપ્યા. આ દરમિયાન કપડાંની સાથે અનેક બ્લેન્કેટ પણ વ્હેચવામાં આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે ભલે આ હાલ કામ ન આવે બાદમાં તે બ્લેન્કેટ લોકોને કામમાં આવશે જ, આવું જ વિચારીને ગરમીઓમાં તેમણે બ્લેન્કેટ વ્હેચ્યા છે.  




તસવીર અંગે લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ તસવીર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી આ ફોટા પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો તેમની દૂરગામી વિચારવાની શક્તિને લઈ કમેન્ટ કરતા લખ્યું કે તેમની વિચાર શક્તિ કેટલી દૂરમગામી છે કે ઠંડીમાં કાપતા લોકોનો વિચાર હમણાંથી કરવા લાગ્યા. તો કોઈએ લખ્યું કે તેમને મંકી કેપ અને ફ્રી રૂમ હિટર પણ મળવા જોઈએ. ત્યારે આ ફોટા વિશે તમારું શું માનવું છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.