પુણ્ય કમાવા કાળઝાળ ગરમીમાં પશ્ચિમ બંગાળના ધારાસભ્યએ આપ્યા બ્લેન્કેટ! ટીએમસીના ધારાસભ્યએ બ્લેન્કેટ વહેચવા પાછળનું જણાવ્યું આ કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:53:21

કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હિટવેવને લઈ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે ઉપરાંત હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચાવ કરવો તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. તમને લાગતું હશે કે આ સમાચાર દેશમાં વધતી ગરમીને લઈને હશે પરંતુ આ સમાચાર એ નથી. કાળઝાળ ગરમી વચ્ચે પશ્ચિમ બંગાળના ધારાસભ્ય બલેન્કેટનું દાન કરવા નીકળ્યા છે. ગરીબોને ભર ઉનાળે ધારાસભ્ય દ્વારા બ્લેન્કેટ આપવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યનો ફોટો થયો વાયરલ!  

પુણ્ય કમાવા માટે અનેક વખત નેતાઓ તેમજ ધારાસભ્યો ગરીબોને અનેક વસ્તુઓનું દાન કરતા હોય છે. પરંતુ દાન એવી વસ્તુનું થવું જોઈએ જે ઉપયોગી હોય. સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ધારાસભ્ય ભરઉનાળે ગરીબોને બ્લેન્કેટનું દાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કરીમપુર વિસ્તારનો છે. 


બ્લેન્કેટ આપવાનું ધારાસભ્યએ આ આપ્યું કારણ? 

એક તરફ જ્યારે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનના પારામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ટીએમસીના ધારાસભ્યને બ્લેન્કેટ દાન કરવાની ઈચ્છા થઈ? આ અંગે પોતાનો ધારાસભ્યે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે જેમને નિંદા કરવાની આદત હોય છે તેઓ દરેક વાતમાં વિવાદ શોધે છે. તેમણે તર્ક આપતા કહ્યું કે આવનાર દિવસોમાં ઈદ આવવાની છે. આ પ્રસંગે તેમણે લોકોને કપડાં આપ્યા. આ દરમિયાન કપડાંની સાથે અનેક બ્લેન્કેટ પણ વ્હેચવામાં આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે ભલે આ હાલ કામ ન આવે બાદમાં તે બ્લેન્કેટ લોકોને કામમાં આવશે જ, આવું જ વિચારીને ગરમીઓમાં તેમણે બ્લેન્કેટ વ્હેચ્યા છે.  




તસવીર અંગે લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ તસવીર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી આ ફોટા પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો તેમની દૂરગામી વિચારવાની શક્તિને લઈ કમેન્ટ કરતા લખ્યું કે તેમની વિચાર શક્તિ કેટલી દૂરમગામી છે કે ઠંડીમાં કાપતા લોકોનો વિચાર હમણાંથી કરવા લાગ્યા. તો કોઈએ લખ્યું કે તેમને મંકી કેપ અને ફ્રી રૂમ હિટર પણ મળવા જોઈએ. ત્યારે આ ફોટા વિશે તમારું શું માનવું છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.