મમતાને મોટો ઝટકો, બંગાળમાં રામનવમી પર થયેલી હિંસાની તપાસ કોલકાત્તા હાઈકોર્ટે NIAને સોંપી


  • Published By :
  • Published Date : 2023-04-27 14:14:30

રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં થયેલી હિંસાને લઈ કોલકાત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, હાવડા અને દાલકોલા સહિત અલગ-અલગ શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.


શુભેન્દુ અધિકારીએ કરી હતી અરજી


પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ની કાર્યકારી ચીફ જસ્ટીસ ટીએસ શિવાગનનમની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ બંગાળ પોલીસ પાસેથી ઘટનાની તપાસ છિનવી લઈને એનઆઈએને સોંપવામાં આવી હતી. પોતાની જનહિતની અરજીમાં અધિકારીએ કહ્યું કે રામ નવમી પર થયેલી હિંસામાં બોંબ વિસ્ફોટ થયા હતા, અને ત્યાર બાદ તપાસ એનઆઈએ દ્વારા કરાવવામાં આવવી જોઈએ.  


ડોક્યુમેન્ટ્સ  NIAને સોંપવાનો આદેશ


આ જ અરજી અંગે કોર્ટે બંગાળ પોલીસને કેસની તપાસના તમામ રેકોર્ડસ અને સીસીટીવી ફુટેજ કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં સોંપવાની સુચના આપી હતી. તે સાથે જ કેન્દ્રએ આ ડોક્યુમેન્ટ્સને એનઈએને મોકલવાનું કહ્યું છે.


બંગાળમાં થઈ હતી હિંસા


અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પ્રસંગે સમગ્ર બંગાળમાં હિંસા ભડકી હતી. તોફાની તત્વોએ વાહનોને આગ લગાવી હતી, તથા પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત વિવિધ સ્થળોએ  વિવિધ રાજકિય પક્ષોના કાર્યકરો વચ્ચે પણ હિંસક અથડામણ થઈ હતી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.