મમતાને મોટો ઝટકો, બંગાળમાં રામનવમી પર થયેલી હિંસાની તપાસ કોલકાત્તા હાઈકોર્ટે NIAને સોંપી


  • Published By :
  • Published Date : 2023-04-27 14:14:30

રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં થયેલી હિંસાને લઈ કોલકાત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, હાવડા અને દાલકોલા સહિત અલગ-અલગ શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.


શુભેન્દુ અધિકારીએ કરી હતી અરજી


પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ની કાર્યકારી ચીફ જસ્ટીસ ટીએસ શિવાગનનમની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ બંગાળ પોલીસ પાસેથી ઘટનાની તપાસ છિનવી લઈને એનઆઈએને સોંપવામાં આવી હતી. પોતાની જનહિતની અરજીમાં અધિકારીએ કહ્યું કે રામ નવમી પર થયેલી હિંસામાં બોંબ વિસ્ફોટ થયા હતા, અને ત્યાર બાદ તપાસ એનઆઈએ દ્વારા કરાવવામાં આવવી જોઈએ.  


ડોક્યુમેન્ટ્સ  NIAને સોંપવાનો આદેશ


આ જ અરજી અંગે કોર્ટે બંગાળ પોલીસને કેસની તપાસના તમામ રેકોર્ડસ અને સીસીટીવી ફુટેજ કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં સોંપવાની સુચના આપી હતી. તે સાથે જ કેન્દ્રએ આ ડોક્યુમેન્ટ્સને એનઈએને મોકલવાનું કહ્યું છે.


બંગાળમાં થઈ હતી હિંસા


અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પ્રસંગે સમગ્ર બંગાળમાં હિંસા ભડકી હતી. તોફાની તત્વોએ વાહનોને આગ લગાવી હતી, તથા પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત વિવિધ સ્થળોએ  વિવિધ રાજકિય પક્ષોના કાર્યકરો વચ્ચે પણ હિંસક અથડામણ થઈ હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.