મમતાને મોટો ઝટકો, બંગાળમાં રામનવમી પર થયેલી હિંસાની તપાસ કોલકાત્તા હાઈકોર્ટે NIAને સોંપી


  • Published By :
  • Published Date : 2023-04-27 14:14:30

રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં થયેલી હિંસાને લઈ કોલકાત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, હાવડા અને દાલકોલા સહિત અલગ-અલગ શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.


શુભેન્દુ અધિકારીએ કરી હતી અરજી


પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ની કાર્યકારી ચીફ જસ્ટીસ ટીએસ શિવાગનનમની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ બંગાળ પોલીસ પાસેથી ઘટનાની તપાસ છિનવી લઈને એનઆઈએને સોંપવામાં આવી હતી. પોતાની જનહિતની અરજીમાં અધિકારીએ કહ્યું કે રામ નવમી પર થયેલી હિંસામાં બોંબ વિસ્ફોટ થયા હતા, અને ત્યાર બાદ તપાસ એનઆઈએ દ્વારા કરાવવામાં આવવી જોઈએ.  


ડોક્યુમેન્ટ્સ  NIAને સોંપવાનો આદેશ


આ જ અરજી અંગે કોર્ટે બંગાળ પોલીસને કેસની તપાસના તમામ રેકોર્ડસ અને સીસીટીવી ફુટેજ કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં સોંપવાની સુચના આપી હતી. તે સાથે જ કેન્દ્રએ આ ડોક્યુમેન્ટ્સને એનઈએને મોકલવાનું કહ્યું છે.


બંગાળમાં થઈ હતી હિંસા


અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પ્રસંગે સમગ્ર બંગાળમાં હિંસા ભડકી હતી. તોફાની તત્વોએ વાહનોને આગ લગાવી હતી, તથા પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત વિવિધ સ્થળોએ  વિવિધ રાજકિય પક્ષોના કાર્યકરો વચ્ચે પણ હિંસક અથડામણ થઈ હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.