મમતાને મોટો ઝટકો, બંગાળમાં રામનવમી પર થયેલી હિંસાની તપાસ કોલકાત્તા હાઈકોર્ટે NIAને સોંપી


  • Published By :
  • Published Date : 2023-04-27 14:14:30

રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં થયેલી હિંસાને લઈ કોલકાત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, હાવડા અને દાલકોલા સહિત અલગ-અલગ શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.


શુભેન્દુ અધિકારીએ કરી હતી અરજી


પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ની કાર્યકારી ચીફ જસ્ટીસ ટીએસ શિવાગનનમની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ બંગાળ પોલીસ પાસેથી ઘટનાની તપાસ છિનવી લઈને એનઆઈએને સોંપવામાં આવી હતી. પોતાની જનહિતની અરજીમાં અધિકારીએ કહ્યું કે રામ નવમી પર થયેલી હિંસામાં બોંબ વિસ્ફોટ થયા હતા, અને ત્યાર બાદ તપાસ એનઆઈએ દ્વારા કરાવવામાં આવવી જોઈએ.  


ડોક્યુમેન્ટ્સ  NIAને સોંપવાનો આદેશ


આ જ અરજી અંગે કોર્ટે બંગાળ પોલીસને કેસની તપાસના તમામ રેકોર્ડસ અને સીસીટીવી ફુટેજ કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં સોંપવાની સુચના આપી હતી. તે સાથે જ કેન્દ્રએ આ ડોક્યુમેન્ટ્સને એનઈએને મોકલવાનું કહ્યું છે.


બંગાળમાં થઈ હતી હિંસા


અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પ્રસંગે સમગ્ર બંગાળમાં હિંસા ભડકી હતી. તોફાની તત્વોએ વાહનોને આગ લગાવી હતી, તથા પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત વિવિધ સ્થળોએ  વિવિધ રાજકિય પક્ષોના કાર્યકરો વચ્ચે પણ હિંસક અથડામણ થઈ હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.