શું હોય છે શાલીગ્રામ પથ્થર જેનાથી બનવાની છે રામ લલ્લાની પ્રતિમા?


  • Published By :
  • Published Date : 2023-02-03 15:39:26

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની સાથે સાથે ભગવાન રામની પ્રતિમા જે પથ્થરથી બનશે તે ભારત આવી પહોંચી છે. મળતી માહિતી અનુસાર ભગવાન રામની પ્રતિમા શાલીગ્રામ પથ્થરથી તૈયાર કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં જેમ શિવલિંગને ભગવાન શંકરનું પ્રતિક માનવામાં આવે છે તેવી જ રીતે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

Shaligram - Wikipedia

શું હોય છે શાલીગ્રામ?

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે તેમનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શાલીગ્રામ પથ્થરથી ભગવાન રામની પ્રતિમા બનાવામાં આવી રહી છે. વિજ્ઞાનના પ્રમાણે શાલીગ્રામ પથ્થર કાળા રંગનો પથ્થર હોય છે પરંતુ અનેક વખત સફેદ, વાદળી, બ્રાઉન રંગમાં પણ મળી આવતો હોય છે. સામાન્ય રીતે શાલીગ્રામ પથ્થરને ગંડકી નદીના કિનારાથી એકત્ર કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર માની શાલીગ્રામની પૂજા પણ કરવામાં આવે છે. 


શાલીગ્રામનો સંબંધ સાલગ્રામ સાથે જોડાયેલો છે. આ ગામ નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આના ઉલ્લેખ મળતા આવે છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ તે પહેલા ભગવાન બ્રહ્માની શંખના રૂપમાં, ભગવાન શંકરની શિવલીંગના રૂપમાં જ્યારે ભગવાન વિષ્ણુની શાલીગ્રામના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી.

Tirusaligramam/Saligram/Muktinath-Sri Moorthy Temple

ક્યાં આવેલું છે શાલીગ્રામનું મંદિર?

મળતી માહિતી અનુસાર શાલીગ્રામનું એકમાત્ર મંદિર નેપાળમાં આવેલું છે જે મુક્તિનાથના નામે ઓળખાય છે. આ મંદિર સુધી પહોંચવાની યાત્રા એકદમ મુશ્કેલી ભરેલી હોય છે. માન્યતા છે કે અહિંયા દર્શન કરવા આવતા લોકોના કષ્ટોનું નિવારણ થાય છે. મીડિયા રિપોર્ટસના અનુસાર 33 પ્રકારની શાલીગ્રામ હોય છે. શાલીગ્રામના તમામ પ્રકારને ભગવાન વિષ્ણુના અવતાર સાથે જોડવામાં આવે છે. ગોળ આકારવાળા શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. માછલી વાળા આકારના શાલીગ્રામને મત્સ્ય અવતાર માનવામાં આવે છે. તે પ્રમાણે કુર્મ અવતાર, કૃષ્ણ અવતાર માનવામાં આવે છે. ત્યારે આવા શાલીગ્રામમાંથી ભગવાન રામની પ્રતિમા નિર્માણ પામવાની છે.           


  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.