શું હોય છે શાલીગ્રામ પથ્થર જેનાથી બનવાની છે રામ લલ્લાની પ્રતિમા?


  • Published By :
  • Published Date : 2023-02-03 15:39:26

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની સાથે સાથે ભગવાન રામની પ્રતિમા જે પથ્થરથી બનશે તે ભારત આવી પહોંચી છે. મળતી માહિતી અનુસાર ભગવાન રામની પ્રતિમા શાલીગ્રામ પથ્થરથી તૈયાર કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં જેમ શિવલિંગને ભગવાન શંકરનું પ્રતિક માનવામાં આવે છે તેવી જ રીતે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

Shaligram - Wikipedia

શું હોય છે શાલીગ્રામ?

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે તેમનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શાલીગ્રામ પથ્થરથી ભગવાન રામની પ્રતિમા બનાવામાં આવી રહી છે. વિજ્ઞાનના પ્રમાણે શાલીગ્રામ પથ્થર કાળા રંગનો પથ્થર હોય છે પરંતુ અનેક વખત સફેદ, વાદળી, બ્રાઉન રંગમાં પણ મળી આવતો હોય છે. સામાન્ય રીતે શાલીગ્રામ પથ્થરને ગંડકી નદીના કિનારાથી એકત્ર કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર માની શાલીગ્રામની પૂજા પણ કરવામાં આવે છે. 


શાલીગ્રામનો સંબંધ સાલગ્રામ સાથે જોડાયેલો છે. આ ગામ નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આના ઉલ્લેખ મળતા આવે છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ તે પહેલા ભગવાન બ્રહ્માની શંખના રૂપમાં, ભગવાન શંકરની શિવલીંગના રૂપમાં જ્યારે ભગવાન વિષ્ણુની શાલીગ્રામના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી.

Tirusaligramam/Saligram/Muktinath-Sri Moorthy Temple

ક્યાં આવેલું છે શાલીગ્રામનું મંદિર?

મળતી માહિતી અનુસાર શાલીગ્રામનું એકમાત્ર મંદિર નેપાળમાં આવેલું છે જે મુક્તિનાથના નામે ઓળખાય છે. આ મંદિર સુધી પહોંચવાની યાત્રા એકદમ મુશ્કેલી ભરેલી હોય છે. માન્યતા છે કે અહિંયા દર્શન કરવા આવતા લોકોના કષ્ટોનું નિવારણ થાય છે. મીડિયા રિપોર્ટસના અનુસાર 33 પ્રકારની શાલીગ્રામ હોય છે. શાલીગ્રામના તમામ પ્રકારને ભગવાન વિષ્ણુના અવતાર સાથે જોડવામાં આવે છે. ગોળ આકારવાળા શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. માછલી વાળા આકારના શાલીગ્રામને મત્સ્ય અવતાર માનવામાં આવે છે. તે પ્રમાણે કુર્મ અવતાર, કૃષ્ણ અવતાર માનવામાં આવે છે. ત્યારે આવા શાલીગ્રામમાંથી ભગવાન રામની પ્રતિમા નિર્માણ પામવાની છે.           


  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.