શું હોય છે શાલીગ્રામ પથ્થર જેનાથી બનવાની છે રામ લલ્લાની પ્રતિમા?


  • Published By :
  • Published Date : 2023-02-03 15:39:26

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની સાથે સાથે ભગવાન રામની પ્રતિમા જે પથ્થરથી બનશે તે ભારત આવી પહોંચી છે. મળતી માહિતી અનુસાર ભગવાન રામની પ્રતિમા શાલીગ્રામ પથ્થરથી તૈયાર કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં જેમ શિવલિંગને ભગવાન શંકરનું પ્રતિક માનવામાં આવે છે તેવી જ રીતે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

Shaligram - Wikipedia

શું હોય છે શાલીગ્રામ?

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે તેમનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શાલીગ્રામ પથ્થરથી ભગવાન રામની પ્રતિમા બનાવામાં આવી રહી છે. વિજ્ઞાનના પ્રમાણે શાલીગ્રામ પથ્થર કાળા રંગનો પથ્થર હોય છે પરંતુ અનેક વખત સફેદ, વાદળી, બ્રાઉન રંગમાં પણ મળી આવતો હોય છે. સામાન્ય રીતે શાલીગ્રામ પથ્થરને ગંડકી નદીના કિનારાથી એકત્ર કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર માની શાલીગ્રામની પૂજા પણ કરવામાં આવે છે. 


શાલીગ્રામનો સંબંધ સાલગ્રામ સાથે જોડાયેલો છે. આ ગામ નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આના ઉલ્લેખ મળતા આવે છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ તે પહેલા ભગવાન બ્રહ્માની શંખના રૂપમાં, ભગવાન શંકરની શિવલીંગના રૂપમાં જ્યારે ભગવાન વિષ્ણુની શાલીગ્રામના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી.

Tirusaligramam/Saligram/Muktinath-Sri Moorthy Temple

ક્યાં આવેલું છે શાલીગ્રામનું મંદિર?

મળતી માહિતી અનુસાર શાલીગ્રામનું એકમાત્ર મંદિર નેપાળમાં આવેલું છે જે મુક્તિનાથના નામે ઓળખાય છે. આ મંદિર સુધી પહોંચવાની યાત્રા એકદમ મુશ્કેલી ભરેલી હોય છે. માન્યતા છે કે અહિંયા દર્શન કરવા આવતા લોકોના કષ્ટોનું નિવારણ થાય છે. મીડિયા રિપોર્ટસના અનુસાર 33 પ્રકારની શાલીગ્રામ હોય છે. શાલીગ્રામના તમામ પ્રકારને ભગવાન વિષ્ણુના અવતાર સાથે જોડવામાં આવે છે. ગોળ આકારવાળા શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. માછલી વાળા આકારના શાલીગ્રામને મત્સ્ય અવતાર માનવામાં આવે છે. તે પ્રમાણે કુર્મ અવતાર, કૃષ્ણ અવતાર માનવામાં આવે છે. ત્યારે આવા શાલીગ્રામમાંથી ભગવાન રામની પ્રતિમા નિર્માણ પામવાની છે.           


  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.