કુસ્તીબાજોનો શું હશે નિર્ણય? કુસ્તીબાજોએ સરકારને આપેલો સમય આજે થાય છે પૂર્ણ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:41:40

બ્રિજભૂષણ શરણસિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કુસ્તીબાજો આજે ધરણા કરશે કે પોતાના કામ પર પરત ફરશે તે  આજે નક્કી થઈ શકે છે. કારણ કે સરકારને કુસ્તીબાજોએ આ મામલે કાર્યવાહી થાય તે માટે 15 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની અવધી આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે આગળ કઈ દિશામાં આ વિરોધ પ્રદર્શન થશે કે નહીં તે આજે લગભગ ખબર પડી શકે છે. 


બ્રિજભૂષણ શરણ સિંહની કરવામાં આવી હતી પૂછપરછ!

ભાજપના સાંસદ બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ જાતિય શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ લગાવ્યા હતા. આ મામલે ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. પહેલવાનોએ ધરણાસ્થળને જ અખાડો બનાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક દિવસો પસાર થઈ ગયા છતાં તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. મહત્વનું છે કે આ મામલે બ્રિજભૂષણ શરણસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ જે માગ સાથે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે તે હજી સુધી નથી સંતોષાઈ. 


15 જૂન સુધીનો પહેલવાનોએ આપ્યો હતો સમય!

વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. જે બાદ કેન્દ્ર સરકારે પહેલવાનો સાથે વાતચીત કરવા તેમને આમંત્રણ આપ્યું હતું. અનુરાગ ઠાકુર સાથે પહેલવાનોએ અનેક કલાકો સુધી બેઠક કરી હતી. તે બાદ 15 જૂન સુધી વિરોધ ન કરવાનો સ્વીકાર કુસ્તીબાજોએ કર્યો હતો. સરકારને 15 જૂન સુધીનો સમય કુસ્તીબાજોએ આપ્યો હતો ત્યારે આજે તે અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે કુસ્તીબાજો કેવી રીતે પોતાનો વિરોધ આગળ વધારે છે તે જોવું રહ્યું.            




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.