કુસ્તીબાજોનો શું હશે નિર્ણય? કુસ્તીબાજોએ સરકારને આપેલો સમય આજે થાય છે પૂર્ણ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:41:40

બ્રિજભૂષણ શરણસિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કુસ્તીબાજો આજે ધરણા કરશે કે પોતાના કામ પર પરત ફરશે તે  આજે નક્કી થઈ શકે છે. કારણ કે સરકારને કુસ્તીબાજોએ આ મામલે કાર્યવાહી થાય તે માટે 15 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની અવધી આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે આગળ કઈ દિશામાં આ વિરોધ પ્રદર્શન થશે કે નહીં તે આજે લગભગ ખબર પડી શકે છે. 


બ્રિજભૂષણ શરણ સિંહની કરવામાં આવી હતી પૂછપરછ!

ભાજપના સાંસદ બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ જાતિય શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ લગાવ્યા હતા. આ મામલે ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. પહેલવાનોએ ધરણાસ્થળને જ અખાડો બનાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક દિવસો પસાર થઈ ગયા છતાં તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. મહત્વનું છે કે આ મામલે બ્રિજભૂષણ શરણસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ જે માગ સાથે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે તે હજી સુધી નથી સંતોષાઈ. 


15 જૂન સુધીનો પહેલવાનોએ આપ્યો હતો સમય!

વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. જે બાદ કેન્દ્ર સરકારે પહેલવાનો સાથે વાતચીત કરવા તેમને આમંત્રણ આપ્યું હતું. અનુરાગ ઠાકુર સાથે પહેલવાનોએ અનેક કલાકો સુધી બેઠક કરી હતી. તે બાદ 15 જૂન સુધી વિરોધ ન કરવાનો સ્વીકાર કુસ્તીબાજોએ કર્યો હતો. સરકારને 15 જૂન સુધીનો સમય કુસ્તીબાજોએ આપ્યો હતો ત્યારે આજે તે અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે કુસ્તીબાજો કેવી રીતે પોતાનો વિરોધ આગળ વધારે છે તે જોવું રહ્યું.            




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.