કુસ્તીબાજોનો શું હશે નિર્ણય? કુસ્તીબાજોએ સરકારને આપેલો સમય આજે થાય છે પૂર્ણ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:41:40

બ્રિજભૂષણ શરણસિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કુસ્તીબાજો આજે ધરણા કરશે કે પોતાના કામ પર પરત ફરશે તે  આજે નક્કી થઈ શકે છે. કારણ કે સરકારને કુસ્તીબાજોએ આ મામલે કાર્યવાહી થાય તે માટે 15 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની અવધી આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે આગળ કઈ દિશામાં આ વિરોધ પ્રદર્શન થશે કે નહીં તે આજે લગભગ ખબર પડી શકે છે. 


બ્રિજભૂષણ શરણ સિંહની કરવામાં આવી હતી પૂછપરછ!

ભાજપના સાંસદ બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ જાતિય શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ લગાવ્યા હતા. આ મામલે ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. પહેલવાનોએ ધરણાસ્થળને જ અખાડો બનાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક દિવસો પસાર થઈ ગયા છતાં તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. મહત્વનું છે કે આ મામલે બ્રિજભૂષણ શરણસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ જે માગ સાથે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે તે હજી સુધી નથી સંતોષાઈ. 


15 જૂન સુધીનો પહેલવાનોએ આપ્યો હતો સમય!

વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. જે બાદ કેન્દ્ર સરકારે પહેલવાનો સાથે વાતચીત કરવા તેમને આમંત્રણ આપ્યું હતું. અનુરાગ ઠાકુર સાથે પહેલવાનોએ અનેક કલાકો સુધી બેઠક કરી હતી. તે બાદ 15 જૂન સુધી વિરોધ ન કરવાનો સ્વીકાર કુસ્તીબાજોએ કર્યો હતો. સરકારને 15 જૂન સુધીનો સમય કુસ્તીબાજોએ આપ્યો હતો ત્યારે આજે તે અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે કુસ્તીબાજો કેવી રીતે પોતાનો વિરોધ આગળ વધારે છે તે જોવું રહ્યું.            




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.