ભારતમાં નિર્મિત આ બે કફ સિરપને લઈને WHOનું એલર્ટ, બાળકો માટે અસુરક્ષિત જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-12 13:45:46

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં નિર્મિત બે કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકના ઉધરસની દવાને લઈને ચેતવણી આપી છે. WHOએ વેબસાઈટ પર એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ બે મેડિકલ પ્રોડક્ટ તેના દુષિત ઉત્પાદનોને સુચવે છે.


આ બે કફ સિરપને લઈ ચેતવણી


ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ બે ઉત્પાદનોમાં Ambronol Syrup અને DOK-1 Max Syrupનો સમાવેશ થાય છે. બંને સિરપની ઉત્પાદક કંપની મેરિયન બાયોટેક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું કે  ભારતની મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત આ કફ સિરપ પિવાથી ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મોત થયા હતા. 


શા માટે એલર્ટ જાહેર કરાઈ?


સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ એક ઓછી ગુણવત્તાવાળું અને અસુરક્ષિત ઉત્પાદન છે. ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર બિમારી કે મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ જણાવ્યું કે, પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલની વધારે માત્રામાં છે. તેમણે કહ્યું કે અમે ઉઝબેકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છીએ અને હજુ પણ બાળકોના મૃત્યુ અંગે માહિતી મેળવતા રહીએ છીએ અને અહેવાલોની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ ઓક્ટોબર 2022માં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો હતો. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.