ભારતમાં નિર્મિત આ બે કફ સિરપને લઈને WHOનું એલર્ટ, બાળકો માટે અસુરક્ષિત જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-12 13:45:46

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં નિર્મિત બે કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકના ઉધરસની દવાને લઈને ચેતવણી આપી છે. WHOએ વેબસાઈટ પર એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ બે મેડિકલ પ્રોડક્ટ તેના દુષિત ઉત્પાદનોને સુચવે છે.


આ બે કફ સિરપને લઈ ચેતવણી


ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ બે ઉત્પાદનોમાં Ambronol Syrup અને DOK-1 Max Syrupનો સમાવેશ થાય છે. બંને સિરપની ઉત્પાદક કંપની મેરિયન બાયોટેક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું કે  ભારતની મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત આ કફ સિરપ પિવાથી ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મોત થયા હતા. 


શા માટે એલર્ટ જાહેર કરાઈ?


સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ એક ઓછી ગુણવત્તાવાળું અને અસુરક્ષિત ઉત્પાદન છે. ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર બિમારી કે મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ જણાવ્યું કે, પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલની વધારે માત્રામાં છે. તેમણે કહ્યું કે અમે ઉઝબેકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છીએ અને હજુ પણ બાળકોના મૃત્યુ અંગે માહિતી મેળવતા રહીએ છીએ અને અહેવાલોની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ ઓક્ટોબર 2022માં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.