ભારતમાં નિર્મિત આ બે કફ સિરપને લઈને WHOનું એલર્ટ, બાળકો માટે અસુરક્ષિત જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-12 13:45:46

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં નિર્મિત બે કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકના ઉધરસની દવાને લઈને ચેતવણી આપી છે. WHOએ વેબસાઈટ પર એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ બે મેડિકલ પ્રોડક્ટ તેના દુષિત ઉત્પાદનોને સુચવે છે.


આ બે કફ સિરપને લઈ ચેતવણી


ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ બે ઉત્પાદનોમાં Ambronol Syrup અને DOK-1 Max Syrupનો સમાવેશ થાય છે. બંને સિરપની ઉત્પાદક કંપની મેરિયન બાયોટેક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું કે  ભારતની મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત આ કફ સિરપ પિવાથી ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મોત થયા હતા. 


શા માટે એલર્ટ જાહેર કરાઈ?


સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ એક ઓછી ગુણવત્તાવાળું અને અસુરક્ષિત ઉત્પાદન છે. ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર બિમારી કે મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ જણાવ્યું કે, પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલની વધારે માત્રામાં છે. તેમણે કહ્યું કે અમે ઉઝબેકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છીએ અને હજુ પણ બાળકોના મૃત્યુ અંગે માહિતી મેળવતા રહીએ છીએ અને અહેવાલોની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ ઓક્ટોબર 2022માં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.