ભારતમાં નિર્મિત આ બે કફ સિરપને લઈને WHOનું એલર્ટ, બાળકો માટે અસુરક્ષિત જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-12 13:45:46

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં નિર્મિત બે કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકના ઉધરસની દવાને લઈને ચેતવણી આપી છે. WHOએ વેબસાઈટ પર એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ બે મેડિકલ પ્રોડક્ટ તેના દુષિત ઉત્પાદનોને સુચવે છે.


આ બે કફ સિરપને લઈ ચેતવણી


ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ બે ઉત્પાદનોમાં Ambronol Syrup અને DOK-1 Max Syrupનો સમાવેશ થાય છે. બંને સિરપની ઉત્પાદક કંપની મેરિયન બાયોટેક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું કે  ભારતની મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત આ કફ સિરપ પિવાથી ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મોત થયા હતા. 


શા માટે એલર્ટ જાહેર કરાઈ?


સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ એક ઓછી ગુણવત્તાવાળું અને અસુરક્ષિત ઉત્પાદન છે. ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર બિમારી કે મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ જણાવ્યું કે, પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલની વધારે માત્રામાં છે. તેમણે કહ્યું કે અમે ઉઝબેકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છીએ અને હજુ પણ બાળકોના મૃત્યુ અંગે માહિતી મેળવતા રહીએ છીએ અને અહેવાલોની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ ઓક્ટોબર 2022માં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો હતો. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.