રેસલર્સના ધરણા અંગે પીટી ઉષાનું મોટું નિવેદન, 'વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત, દેશની છબી ખરાબ કરી રહ્યા છે કુસ્તીબાજ'


  • Published By :
  • Published Date : 2023-04-27 20:36:36

ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે પહેલવાનો ધરણા પર બેઠા છે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના અધ્યક્ષ પીટી ઉષાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે.


રેસલર્સે આપી પ્રતિક્રિયા


પીટી ઉષાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા બજરંગ પુનિયાએ કહ્યું, 'અમને IOA પ્રમુખ પીટી ઉષા પાસેથી આટલી કઠોર પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. અમને તેમના સમર્થનની અપેક્ષા હતી. અત્રે ઉલ્લેખનિય છે કે IOAએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની એડહોક પેનલની પણ રચના કરી છે, જેમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઑફ ઈન્ડિયાના વડા ભૂપેન્દ્ર સિંહ બાજવાનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે.


સ્ટાર રેસલર્સ બેઠા છે ધરણા પર


વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ, ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિતના સ્ટાર કુસ્તીબાજોએ રવિવારથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે તેમનો અનિશ્ચિત વિરોધ ફરી શરૂ કર્યો છે. તેમણે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણી અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવ્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું કહેવું છે કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી છે કે આરોપોની તપાસ કરી રહેલી સમિતિ દ્વારા બ્રિજભૂષણ સિંહને ક્લીનચીટ આપવામાં આવી છે. પેનલનો રિપોર્ટ ખેલ મંત્રાલય પાસે છે. અનેક વિનંતીઓ કરવા છતાં તેને જાહેર કરવામાં આવતો નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.