રેસલર્સના ધરણા અંગે પીટી ઉષાનું મોટું નિવેદન, 'વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત, દેશની છબી ખરાબ કરી રહ્યા છે કુસ્તીબાજ'


  • Published By :
  • Published Date : 2023-04-27 20:36:36

ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે પહેલવાનો ધરણા પર બેઠા છે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના અધ્યક્ષ પીટી ઉષાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે.


રેસલર્સે આપી પ્રતિક્રિયા


પીટી ઉષાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા બજરંગ પુનિયાએ કહ્યું, 'અમને IOA પ્રમુખ પીટી ઉષા પાસેથી આટલી કઠોર પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. અમને તેમના સમર્થનની અપેક્ષા હતી. અત્રે ઉલ્લેખનિય છે કે IOAએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની એડહોક પેનલની પણ રચના કરી છે, જેમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઑફ ઈન્ડિયાના વડા ભૂપેન્દ્ર સિંહ બાજવાનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે.


સ્ટાર રેસલર્સ બેઠા છે ધરણા પર


વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ, ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિતના સ્ટાર કુસ્તીબાજોએ રવિવારથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે તેમનો અનિશ્ચિત વિરોધ ફરી શરૂ કર્યો છે. તેમણે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણી અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવ્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું કહેવું છે કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી છે કે આરોપોની તપાસ કરી રહેલી સમિતિ દ્વારા બ્રિજભૂષણ સિંહને ક્લીનચીટ આપવામાં આવી છે. પેનલનો રિપોર્ટ ખેલ મંત્રાલય પાસે છે. અનેક વિનંતીઓ કરવા છતાં તેને જાહેર કરવામાં આવતો નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.