રેસલર્સના ધરણા અંગે પીટી ઉષાનું મોટું નિવેદન, 'વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત, દેશની છબી ખરાબ કરી રહ્યા છે કુસ્તીબાજ'


  • Published By :
  • Published Date : 2023-04-27 20:36:36

ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે પહેલવાનો ધરણા પર બેઠા છે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના અધ્યક્ષ પીટી ઉષાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે.


રેસલર્સે આપી પ્રતિક્રિયા


પીટી ઉષાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા બજરંગ પુનિયાએ કહ્યું, 'અમને IOA પ્રમુખ પીટી ઉષા પાસેથી આટલી કઠોર પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. અમને તેમના સમર્થનની અપેક્ષા હતી. અત્રે ઉલ્લેખનિય છે કે IOAએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની એડહોક પેનલની પણ રચના કરી છે, જેમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઑફ ઈન્ડિયાના વડા ભૂપેન્દ્ર સિંહ બાજવાનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે.


સ્ટાર રેસલર્સ બેઠા છે ધરણા પર


વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ, ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિતના સ્ટાર કુસ્તીબાજોએ રવિવારથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે તેમનો અનિશ્ચિત વિરોધ ફરી શરૂ કર્યો છે. તેમણે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણી અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવ્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું કહેવું છે કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી છે કે આરોપોની તપાસ કરી રહેલી સમિતિ દ્વારા બ્રિજભૂષણ સિંહને ક્લીનચીટ આપવામાં આવી છે. પેનલનો રિપોર્ટ ખેલ મંત્રાલય પાસે છે. અનેક વિનંતીઓ કરવા છતાં તેને જાહેર કરવામાં આવતો નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.