રાજસ્થાનમાં ધોળા દિવસે થઈ યુવકની હત્યા, બદમાશોએ ભાજપના નેતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ


  • Published By :
  • Published Date : 2023-02-03 16:08:40

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજસ્થાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. ચિત્તોડગઢના નિમ્બહેરામાં ગુરૂવારે સાંજના સમયમાં આ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં જે યુવકનું મોત થયું તે રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખના પુત્ર હતા. 

ચિત્તોડગઢની નિમ્બહેરા જેલની સામે બદમાશોએ બીજેપી નેતાના એકના એક પુત્ર બંટીની હત્યા કરી હતી. ફાયરિંગ બાદ બંટી લગભગ 5 મિનિટ સુધી ત્યાં જ રસ્તા પર તડપી રહ્યો હતો.

ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની 

આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ કમરકસી લીધી છે. ત્યારે રાજસ્થાનથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષના યુવકનું મોત થયું છે. આ ઘટના ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની હતી. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

ઘટના બાદ સાઇબર પોલીસ બંટીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

હુમલાખોરોએ યુવકને મારી 8 ગોળી  

રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય પુત્ર વિકાસ અંજનાની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બની તી જેમાં 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ઉતારી દીધી. ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.