રાજસ્થાનમાં ધોળા દિવસે થઈ યુવકની હત્યા, બદમાશોએ ભાજપના નેતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ


  • Published By :
  • Published Date : 2023-02-03 16:08:40

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજસ્થાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. ચિત્તોડગઢના નિમ્બહેરામાં ગુરૂવારે સાંજના સમયમાં આ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં જે યુવકનું મોત થયું તે રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખના પુત્ર હતા. 

ચિત્તોડગઢની નિમ્બહેરા જેલની સામે બદમાશોએ બીજેપી નેતાના એકના એક પુત્ર બંટીની હત્યા કરી હતી. ફાયરિંગ બાદ બંટી લગભગ 5 મિનિટ સુધી ત્યાં જ રસ્તા પર તડપી રહ્યો હતો.

ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની 

આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ કમરકસી લીધી છે. ત્યારે રાજસ્થાનથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષના યુવકનું મોત થયું છે. આ ઘટના ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની હતી. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

ઘટના બાદ સાઇબર પોલીસ બંટીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

હુમલાખોરોએ યુવકને મારી 8 ગોળી  

રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય પુત્ર વિકાસ અંજનાની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બની તી જેમાં 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ઉતારી દીધી. ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.