રાજસ્થાનમાં ધોળા દિવસે થઈ યુવકની હત્યા, બદમાશોએ ભાજપના નેતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ


  • Published By :
  • Published Date : 2023-02-03 16:08:40

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજસ્થાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. ચિત્તોડગઢના નિમ્બહેરામાં ગુરૂવારે સાંજના સમયમાં આ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં જે યુવકનું મોત થયું તે રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખના પુત્ર હતા. 

ચિત્તોડગઢની નિમ્બહેરા જેલની સામે બદમાશોએ બીજેપી નેતાના એકના એક પુત્ર બંટીની હત્યા કરી હતી. ફાયરિંગ બાદ બંટી લગભગ 5 મિનિટ સુધી ત્યાં જ રસ્તા પર તડપી રહ્યો હતો.

ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની 

આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ કમરકસી લીધી છે. ત્યારે રાજસ્થાનથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષના યુવકનું મોત થયું છે. આ ઘટના ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની હતી. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

ઘટના બાદ સાઇબર પોલીસ બંટીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

હુમલાખોરોએ યુવકને મારી 8 ગોળી  

રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય પુત્ર વિકાસ અંજનાની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બની તી જેમાં 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ઉતારી દીધી. ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.