બનવા જઈ રહી છે શ્રદ્ધા મર્ડર કેસ પર ફિલ્મ, નિર્માતા મનીષ સિંહે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-20 16:34:40

સમગ્ર દેશને હચમચાવી દેનારી ઘટના છે શ્રદ્ધા મર્ડર કેસ. શ્રદ્ધા હત્યાકાંડ સામે આવતા દેશભરમાં આફતાબ વિરુદ્ધ આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આફતાબને સજા આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. ત્યારે આ હત્યાકાંડ પર આગામી સમયમાં ફિલ્મ બનાવામાં આવશે તેવી જાહેરાત નિર્માતા-નિર્દેશક મનીષ સિંહ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમણે ફિલ્મના સ્ક્રીનપ્લે પર પણ કામ શરૂ કરી દીધું છે.

Shraddha Walker murder case: Father suspects 'love jihad', demands death  penalty for accused Aftab Ameen Poonawalla | India News – India TV

શ્રદ્ધા મર્ડર કેસ પર આધારિત હશે ફિલ્મ 

આજકાલની ફિલ્મો મોટા ભાગે રિયલ લાઈફ ઈન્ડિટન્ટ પર અથવા તો કોઈના જીવનથી પ્રેરાઈને બની રહે છે. ત્યારે શ્રદ્ધા હત્યાકાંડ પર પણ ફિલ્મ બનાવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત કરતા નિર્દેશક-નિર્માતા મનીષ સિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ બોયફેન્ડ આફતાબ દ્વારા શ્રદ્ધાની હત્યાની ઘટના પર આધારિત હશે. 

Who killed shraddha walker? હશે ફિલ્મનું ટાઈટલ 

શ્રદ્ધા હત્યા કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટના એવી હતી જેણે આખા દેશને હચમચાવી દીધા હતા. આ કેસને સોલ્વ કરવા પોલીસ ઘણી મહેનત કરી રહી છે. આ ઘટના પર અનેક બોલિવુડ અભિનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ ઘટના પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે Who killed shradhdha walker? ફિલ્મના નિર્માતાએ કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે માત્ર આ કેસ પર આધારિત નહીં હોય પરંતુ આવા કિસ્સાઓ પર આધારીત હશે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .