બનવા જઈ રહી છે શ્રદ્ધા મર્ડર કેસ પર ફિલ્મ, નિર્માતા મનીષ સિંહે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-20 16:34:40

સમગ્ર દેશને હચમચાવી દેનારી ઘટના છે શ્રદ્ધા મર્ડર કેસ. શ્રદ્ધા હત્યાકાંડ સામે આવતા દેશભરમાં આફતાબ વિરુદ્ધ આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આફતાબને સજા આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. ત્યારે આ હત્યાકાંડ પર આગામી સમયમાં ફિલ્મ બનાવામાં આવશે તેવી જાહેરાત નિર્માતા-નિર્દેશક મનીષ સિંહ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમણે ફિલ્મના સ્ક્રીનપ્લે પર પણ કામ શરૂ કરી દીધું છે.

Shraddha Walker murder case: Father suspects 'love jihad', demands death  penalty for accused Aftab Ameen Poonawalla | India News – India TV

શ્રદ્ધા મર્ડર કેસ પર આધારિત હશે ફિલ્મ 

આજકાલની ફિલ્મો મોટા ભાગે રિયલ લાઈફ ઈન્ડિટન્ટ પર અથવા તો કોઈના જીવનથી પ્રેરાઈને બની રહે છે. ત્યારે શ્રદ્ધા હત્યાકાંડ પર પણ ફિલ્મ બનાવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત કરતા નિર્દેશક-નિર્માતા મનીષ સિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ બોયફેન્ડ આફતાબ દ્વારા શ્રદ્ધાની હત્યાની ઘટના પર આધારિત હશે. 

Who killed shraddha walker? હશે ફિલ્મનું ટાઈટલ 

શ્રદ્ધા હત્યા કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટના એવી હતી જેણે આખા દેશને હચમચાવી દીધા હતા. આ કેસને સોલ્વ કરવા પોલીસ ઘણી મહેનત કરી રહી છે. આ ઘટના પર અનેક બોલિવુડ અભિનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ ઘટના પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે Who killed shradhdha walker? ફિલ્મના નિર્માતાએ કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે માત્ર આ કેસ પર આધારિત નહીં હોય પરંતુ આવા કિસ્સાઓ પર આધારીત હશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.