બનવા જઈ રહી છે શ્રદ્ધા મર્ડર કેસ પર ફિલ્મ, નિર્માતા મનીષ સિંહે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-20 16:34:40

સમગ્ર દેશને હચમચાવી દેનારી ઘટના છે શ્રદ્ધા મર્ડર કેસ. શ્રદ્ધા હત્યાકાંડ સામે આવતા દેશભરમાં આફતાબ વિરુદ્ધ આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આફતાબને સજા આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. ત્યારે આ હત્યાકાંડ પર આગામી સમયમાં ફિલ્મ બનાવામાં આવશે તેવી જાહેરાત નિર્માતા-નિર્દેશક મનીષ સિંહ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમણે ફિલ્મના સ્ક્રીનપ્લે પર પણ કામ શરૂ કરી દીધું છે.

Shraddha Walker murder case: Father suspects 'love jihad', demands death  penalty for accused Aftab Ameen Poonawalla | India News – India TV

શ્રદ્ધા મર્ડર કેસ પર આધારિત હશે ફિલ્મ 

આજકાલની ફિલ્મો મોટા ભાગે રિયલ લાઈફ ઈન્ડિટન્ટ પર અથવા તો કોઈના જીવનથી પ્રેરાઈને બની રહે છે. ત્યારે શ્રદ્ધા હત્યાકાંડ પર પણ ફિલ્મ બનાવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત કરતા નિર્દેશક-નિર્માતા મનીષ સિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ બોયફેન્ડ આફતાબ દ્વારા શ્રદ્ધાની હત્યાની ઘટના પર આધારિત હશે. 

Who killed shraddha walker? હશે ફિલ્મનું ટાઈટલ 

શ્રદ્ધા હત્યા કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટના એવી હતી જેણે આખા દેશને હચમચાવી દીધા હતા. આ કેસને સોલ્વ કરવા પોલીસ ઘણી મહેનત કરી રહી છે. આ ઘટના પર અનેક બોલિવુડ અભિનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ ઘટના પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે Who killed shradhdha walker? ફિલ્મના નિર્માતાએ કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે માત્ર આ કેસ પર આધારિત નહીં હોય પરંતુ આવા કિસ્સાઓ પર આધારીત હશે.




સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.