બનવા જઈ રહી છે શ્રદ્ધા મર્ડર કેસ પર ફિલ્મ, નિર્માતા મનીષ સિંહે કરી ફિલ્મ બનાવવાની જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-20 16:34:40

સમગ્ર દેશને હચમચાવી દેનારી ઘટના છે શ્રદ્ધા મર્ડર કેસ. શ્રદ્ધા હત્યાકાંડ સામે આવતા દેશભરમાં આફતાબ વિરુદ્ધ આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આફતાબને સજા આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. ત્યારે આ હત્યાકાંડ પર આગામી સમયમાં ફિલ્મ બનાવામાં આવશે તેવી જાહેરાત નિર્માતા-નિર્દેશક મનીષ સિંહ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમણે ફિલ્મના સ્ક્રીનપ્લે પર પણ કામ શરૂ કરી દીધું છે.

Shraddha Walker murder case: Father suspects 'love jihad', demands death  penalty for accused Aftab Ameen Poonawalla | India News – India TV

શ્રદ્ધા મર્ડર કેસ પર આધારિત હશે ફિલ્મ 

આજકાલની ફિલ્મો મોટા ભાગે રિયલ લાઈફ ઈન્ડિટન્ટ પર અથવા તો કોઈના જીવનથી પ્રેરાઈને બની રહે છે. ત્યારે શ્રદ્ધા હત્યાકાંડ પર પણ ફિલ્મ બનાવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત કરતા નિર્દેશક-નિર્માતા મનીષ સિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ બોયફેન્ડ આફતાબ દ્વારા શ્રદ્ધાની હત્યાની ઘટના પર આધારિત હશે. 

Who killed shraddha walker? હશે ફિલ્મનું ટાઈટલ 

શ્રદ્ધા હત્યા કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટના એવી હતી જેણે આખા દેશને હચમચાવી દીધા હતા. આ કેસને સોલ્વ કરવા પોલીસ ઘણી મહેનત કરી રહી છે. આ ઘટના પર અનેક બોલિવુડ અભિનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ ઘટના પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે Who killed shradhdha walker? ફિલ્મના નિર્માતાએ કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે માત્ર આ કેસ પર આધારિત નહીં હોય પરંતુ આવા કિસ્સાઓ પર આધારીત હશે.




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.