સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં કેમ તબીબો ભરાયા રોષે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-01 15:15:36

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે. 


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૮મી ડિસેમ્બરના રોજ , ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ ઘટના પછી , તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુનિયર ડોક્ટર એસોસિએશને આ હુમલાને વખોડી નાખ્યો છે. જયદીપ ચાવડા સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ડોક્ટરોની માંગ છે કે , આરોપી વિરુદ્ધ દાખલ થયેલા કેસમાં ઝડપી અને ન્યાયપૂર્ણ તપાસ થાય. જુનિયર ડોક્ટરોના હડતાલ પર ઉતરી જવાથી તબીબી સેવાને અસર પહોંચી છે. આ હડતાલના કારણે , દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડોકટરોએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે , ડોક્ટરો કોઈ 'પબ્લિક પ્રોપર્ટી' નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને તેમની સાથે હિંસા કરી શકે. આ હિંસક ઘટનાના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કઈ રીતે ફરજ પરના તબીબ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોની ચાર માંગણીઓ આ પ્રમાણે છે. પહેલી માંગણી છે કે, હુમલો કરનાર આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. બીજી માંગણી છે કે, આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવે અને તેનું સરઘસ કાઢવામાં આવે. ત્રીજી માંગણી છે કે, આરોપીનું PMJAY (આયુષ્માન) કાર્ડ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. ચોથી માંગણી છે કે , ઘટના સમયે હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે અને નવી સિક્યુરિટી એજન્સીની નિમણૂક કરવામાં આવે. 

ડોક્ટરોએ સરકારને આ મુદ્દે નિરાકરણ લાવવા માટે ૨ દિવસનો સમય આપ્યો હતો , આ મુદ્દે કોઈ નિવેડો ના આવતા , તેઓ આજે હડતાલ પર ઉતર્યા છે. બીજી તરફ , હુમલાના આરોપી જયદીપ ચાવડાના પરિવારજનોએ પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા છે. પરિવારનો દાવો છે કે, પોલીસે રજૂ કરેલા સીસીત્વ ફૂટેજ અધૂરા છે અને તેમાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દેખાતો નથી. જયદીપ ચાવડાના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજુઆત કરીને સમગ્ર ઘટનાના સંપૂર્ણ CCTV ફૂટેજ ચકાસીને જ આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.  હવે જાણીએ કે શું ઘટના બની હતી? રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવારે ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા જ્યારે ફરજ પર હતા ત્યારે એક દર્દીનાં પરિવારના શખ્સ દ્વારા ડોક્ટર સાથે કોઈ બાબતે બોલાચાલી કરી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ડોક્ટરને બેહરેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે હવે સિવિલ હોસ્પિટલમાં તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.