અરવલ્લીને લઇને સુપ્રીમ કોર્ટે પોતાના જુના ચુકાદા પર લગાવી રોક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-12-29 15:42:55

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના જુના ચુકાદા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે , આગામી જાન્યુઆરીની ૨૧મી તારીખે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. 

Supreme Court Says Courts Cannot Act As Recovery Agents For Collection Of  Money

આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી , તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે, " એક્સપર્ટ કમિટીના રિપોર્ટ પર અને સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇને ઘણી ભ્રમણાઓ છે. એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી અને તેના રિપોર્ટનો સ્વીકાર  સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. " આજે સુનાવણીમાં CJI સૂર્યકાન્તએ કહ્યું છે કે, "અરવલ્લીની વ્યાખ્યાને લઇને , એક ખુબ જ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતની જરૂરિયાત છે. CJI સુર્યકાંતે અરવલ્લીની પર્વતમાળામાં ખનનકામને લઇને પણ મહત્વની ટિપ્પણી કરી છે કે , "નવા સીમાંકિત અરવલ્લી વિસ્તારમાં ટકાઉ ખાણકામ કે નિયમન કરેલ ખાણકામ, ખાણકામ માટે નિયમો હોવા છતાં,  કોઈપણ પ્રતિકૂળ પર્યાવરણીય પરિણામોમાં પરિણમશે કે કેમ તેનું વિશ્લેષણ કરી શકાય છે." હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત પોતાના જુના ચુકાદા પર રોક લગાવી દીધી છે. 

Aravalli Mining Row: Supreme Court Takes Suo Moto Cognisance On Hills'  Definition Issue; To Hear Case On Monday

આપને જણાવી દયિકે , અરવલ્લીની પર્વતમાળા દિલ્હી , હરિયાણા , રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે. તાજેતરમાં થયેલા , અરવલ્લી બચાવવાના અભિયાનને લઇને સુપ્રીમ કોર્ટએ સુઓમોટો સંજ્ઞાન લીધું છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતની એક પર્વતશૃંખલા છે.  જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી છે અને આશરે 800 કિમી. લંબાઈવાળી છે. તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાતે આવેલું ‘ગુરુ શિખર’ છે. નવેમ્બરેની ૨૦ તારીખે , સુપ્રીમ કોર્ટની બેચ જેમાં પૂર્વ CJI બી આર ગવઇ , જસ્ટિસ કે વિનોદ ચંદ્રન , જસ્ટિસ NV અંજારિયાએ કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી માટે સૂચવાયેલી નવી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.