અરવલ્લીને લઇને સુપ્રીમ કોર્ટે પોતાના જુના ચુકાદા પર લગાવી રોક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-12-29 15:42:55

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના જુના ચુકાદા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે , આગામી જાન્યુઆરીની ૨૧મી તારીખે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. 

Supreme Court Says Courts Cannot Act As Recovery Agents For Collection Of  Money

આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી , તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે, " એક્સપર્ટ કમિટીના રિપોર્ટ પર અને સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇને ઘણી ભ્રમણાઓ છે. એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી અને તેના રિપોર્ટનો સ્વીકાર  સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. " આજે સુનાવણીમાં CJI સૂર્યકાન્તએ કહ્યું છે કે, "અરવલ્લીની વ્યાખ્યાને લઇને , એક ખુબ જ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતની જરૂરિયાત છે. CJI સુર્યકાંતે અરવલ્લીની પર્વતમાળામાં ખનનકામને લઇને પણ મહત્વની ટિપ્પણી કરી છે કે , "નવા સીમાંકિત અરવલ્લી વિસ્તારમાં ટકાઉ ખાણકામ કે નિયમન કરેલ ખાણકામ, ખાણકામ માટે નિયમો હોવા છતાં,  કોઈપણ પ્રતિકૂળ પર્યાવરણીય પરિણામોમાં પરિણમશે કે કેમ તેનું વિશ્લેષણ કરી શકાય છે." હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત પોતાના જુના ચુકાદા પર રોક લગાવી દીધી છે. 

Aravalli Mining Row: Supreme Court Takes Suo Moto Cognisance On Hills'  Definition Issue; To Hear Case On Monday

આપને જણાવી દયિકે , અરવલ્લીની પર્વતમાળા દિલ્હી , હરિયાણા , રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે. તાજેતરમાં થયેલા , અરવલ્લી બચાવવાના અભિયાનને લઇને સુપ્રીમ કોર્ટએ સુઓમોટો સંજ્ઞાન લીધું છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતની એક પર્વતશૃંખલા છે.  જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી છે અને આશરે 800 કિમી. લંબાઈવાળી છે. તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાતે આવેલું ‘ગુરુ શિખર’ છે. નવેમ્બરેની ૨૦ તારીખે , સુપ્રીમ કોર્ટની બેચ જેમાં પૂર્વ CJI બી આર ગવઇ , જસ્ટિસ કે વિનોદ ચંદ્રન , જસ્ટિસ NV અંજારિયાએ કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી માટે સૂચવાયેલી નવી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.




નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.