વિશ્વાસ જીતવા માટે અદાણી 8 હજાર કરોડનાં દેવાની ચૂકવણી કરશે, ગ્રુપે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-06 18:26:17

રોકાણકારોનો ભરોસો વધારવા માટે અને રોકાણકારોની ચિંતા દુર કરવા માટે અદાણી ગ્રુપ એડનાન્સમાં 8 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દેવાનો પ્લાન કરી રહી છે. કંપની આગામી 30થી 45 દિવસોમાં દેવું ચૂકવી દેવાની તૈયારી કરી રહી છે. કંપની ગ્લોબલ બેંકો જેવા ક્રેડિટ સુઈસ, જેપી મોર્ગન, જે એમ ફાયનાન્સિયલ સહિતના કેટલાક મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસેથી લોન લીધી છે. અદાણી આ કંપનીઓની લોનને પાછી આપવાની રજુઆત કરી રહી છે. 


ગ્રુપ એકસ્ટ્રા શેર રિલિઝ કરશે


શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ પણ ચાલું જ છે. આ દરમિયાન અદાણીએ મોટી અને મહત્વની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે પોતાની લિસ્ટેડ કંપનીઓના 111 કરોડ રૂપિયા ગીરો પડ્યા છે. તે બધા જ ગિરો શેર સપ્ટેમ્બર 2024 પહેલા જ તે છોડાવી લેશે. આ માટે ગ્રુપ એકસ્ટ્રા શેર સિક્યુરિટીઝ પણ ઓફર કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગ્રુપ પર 1.8 અબજ ડોલરનું દેવું છે. ગ્રુપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 168.27 મિલિયનના શેર લોન્ચ કરવામાં આવશે જે કંપનીમાં પ્રમોટર્સની કુલ હોલ્ડિંગના 12 ટકા છે. જ્યારે અદાણી ગ્રીનના 27.56 મિલિયનના શેર રિલિઝ કરવામાં આવશે તે પ્રમોટર હોલ્ડિંગના 3 ટકા છે. 


1.1 અબજ ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે


કંપનીના નિવેદનમાં કહ્યું છે કે અદાણી ગ્રુપના પ્રમોટરે સપ્ટેમ્બર 2024માં મેચ્યોરિટીથી પહેલા જ ગિરો મુકેલા શેરોને લોન્ચ કરવા માટે 1.1 બિલિયન ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે. અદાણી ટ્રાન્સમિશનના 11.77 મિલિયન શેરો જારી કરવામાં આવશે કે જે કંપનીના પ્રમોટર હોલ્ડિંગના 1.4 ટકા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રમોટર્સ દ્વારા પોતાના દેવાની ચૂકવણીને લઈ નાણા સંસ્થાઓને ભરોસો આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.