આવનારા સમયમાં જાહેર થઇ શકે ભાજપનું સંગઠન માળખું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-12-26 21:12:09

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે. 

Why the BJP chose Jagdish Vishwakarma, a non-Patel leader, as Gujarat chief  - India Today

થોડાક સમય અગાઉ , પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ , સંગઠનમંત્રી રત્નાકરએ નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. જેમાં નવા પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલની ટીમને લઇને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. તો હવે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સગંઠન તરફથી જે નામો સૂચવવામાં આવ્યા છે તેની પર સ્ક્રૂટિની કરી રહ્યા છે. જાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે. 

BJP appoints Jagdish Vishwakarma as Gujarat state president

ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, સૌપ્રથમ જિલ્લા અને શહેરોમાં સંગઠનની ટીમ તૈયાર કરવામાં આવે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિઓ કરી દેવામાં આવી છે પરંતુ માળખું જાહેર કરવાનું બાકી છે. થોડાક સમય પહેલા ,ભાજપ તરફથી નિરીક્ષકો મુકવામાં આવ્યા હતા. આ માટે , પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે દ્વારા , જિલ્લાવાર ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે. હવે , ૫૦ ટકા કરતા વધારે જિલ્લા અને શહેરોમાં સંગઠનનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. બાકીના જિલ્લા અને શહેરોના માળખાને લઇને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિના પ્રથમ અઠવાડિયામાં જ સંગઠન જાહેર થઇ શકે છે. 



તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.