આવનારા સમયમાં જાહેર થઇ શકે ભાજપનું સંગઠન માળખું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-12-26 21:12:09

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે. 

Why the BJP chose Jagdish Vishwakarma, a non-Patel leader, as Gujarat chief  - India Today

થોડાક સમય અગાઉ , પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ , સંગઠનમંત્રી રત્નાકરએ નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. જેમાં નવા પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલની ટીમને લઇને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. તો હવે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સગંઠન તરફથી જે નામો સૂચવવામાં આવ્યા છે તેની પર સ્ક્રૂટિની કરી રહ્યા છે. જાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે. 

BJP appoints Jagdish Vishwakarma as Gujarat state president

ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, સૌપ્રથમ જિલ્લા અને શહેરોમાં સંગઠનની ટીમ તૈયાર કરવામાં આવે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિઓ કરી દેવામાં આવી છે પરંતુ માળખું જાહેર કરવાનું બાકી છે. થોડાક સમય પહેલા ,ભાજપ તરફથી નિરીક્ષકો મુકવામાં આવ્યા હતા. આ માટે , પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે દ્વારા , જિલ્લાવાર ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે. હવે , ૫૦ ટકા કરતા વધારે જિલ્લા અને શહેરોમાં સંગઠનનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. બાકીના જિલ્લા અને શહેરોના માળખાને લઇને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિના પ્રથમ અઠવાડિયામાં જ સંગઠન જાહેર થઇ શકે છે. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.