આવનારા સમયમાં જાહેર થઇ શકે ભાજપનું સંગઠન માળખું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-12-26 21:12:09

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે. 

Why the BJP chose Jagdish Vishwakarma, a non-Patel leader, as Gujarat chief  - India Today

થોડાક સમય અગાઉ , પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ , સંગઠનમંત્રી રત્નાકરએ નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. જેમાં નવા પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલની ટીમને લઇને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. તો હવે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સગંઠન તરફથી જે નામો સૂચવવામાં આવ્યા છે તેની પર સ્ક્રૂટિની કરી રહ્યા છે. જાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે. 

BJP appoints Jagdish Vishwakarma as Gujarat state president

ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, સૌપ્રથમ જિલ્લા અને શહેરોમાં સંગઠનની ટીમ તૈયાર કરવામાં આવે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિઓ કરી દેવામાં આવી છે પરંતુ માળખું જાહેર કરવાનું બાકી છે. થોડાક સમય પહેલા ,ભાજપ તરફથી નિરીક્ષકો મુકવામાં આવ્યા હતા. આ માટે , પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે દ્વારા , જિલ્લાવાર ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે. હવે , ૫૦ ટકા કરતા વધારે જિલ્લા અને શહેરોમાં સંગઠનનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. બાકીના જિલ્લા અને શહેરોના માળખાને લઇને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિના પ્રથમ અઠવાડિયામાં જ સંગઠન જાહેર થઇ શકે છે. 



અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.