આવનારા સમયમાં જાહેર થઇ શકે ભાજપનું સંગઠન માળખું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-12-26 21:12:09

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે. 

Why the BJP chose Jagdish Vishwakarma, a non-Patel leader, as Gujarat chief  - India Today

થોડાક સમય અગાઉ , પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ , સંગઠનમંત્રી રત્નાકરએ નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. જેમાં નવા પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલની ટીમને લઇને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. તો હવે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સગંઠન તરફથી જે નામો સૂચવવામાં આવ્યા છે તેની પર સ્ક્રૂટિની કરી રહ્યા છે. જાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે. 

BJP appoints Jagdish Vishwakarma as Gujarat state president

ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, સૌપ્રથમ જિલ્લા અને શહેરોમાં સંગઠનની ટીમ તૈયાર કરવામાં આવે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિઓ કરી દેવામાં આવી છે પરંતુ માળખું જાહેર કરવાનું બાકી છે. થોડાક સમય પહેલા ,ભાજપ તરફથી નિરીક્ષકો મુકવામાં આવ્યા હતા. આ માટે , પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે દ્વારા , જિલ્લાવાર ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે. હવે , ૫૦ ટકા કરતા વધારે જિલ્લા અને શહેરોમાં સંગઠનનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. બાકીના જિલ્લા અને શહેરોના માળખાને લઇને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિના પ્રથમ અઠવાડિયામાં જ સંગઠન જાહેર થઇ શકે છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.