મહીસાગરમાં આદિવાસી યુવકને માર માર્યાના કેસમાં પોલીસે શું કહ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-04 21:03:18

 મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

જેમાં ASP વિકાસ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે , "પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર મેમો આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. સોશ્યિલ મીડિયામાં જે પણ ખબરો ચાલી રહી છે કે , પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે. અમારા સુધી હજુ કોઈ પણ અરજી નથી આવી. જો અરજી આવશે તો , તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એમને જે માર મારવામાં આવ્યો તે કોના દ્વારા માર મરાયો છે તે નથી ખબર પરંતુ પોલીસ દ્વારા માત્ર મેમો જ આપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશમાંથી CCTV પણ જાહેર કરવામાં આવશે. સામાજિક આગેવાનો જે પણ ફરિયાદ કરી રહ્યા છે તેઓ સૌપ્રથમ FIR નોંધાવે તે પછી જ અમે તપાસ કરીશું." આમ મહીસાગર ASP વિકાસ યાદવે પોલીસ પર થયેલા તમામ આરોપો નકારી દીધા છે. 

ગાડીમાં માત્ર સીટબેલ્ટ ના પહેરવાના મુદ્દે , ડિટવાસના મહિલા PSI દ્વારા માર મારવાના આક્ષેપો થયા હતા . ભોગ બનનાર વ્યક્તિનું નામ છે , મોહન પગી. જેમને માર માર્યાના ફોટોસ હવે સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. મહીસાગર પોલીસની કામગીરી સતત પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. કેમકે , તે અગાઉ પોલીસ દ્વારા રાવળ સમાજના વ્યક્તિ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા હતા. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.