મહીસાગરમાં આદિવાસી યુવકને માર માર્યાના કેસમાં પોલીસે શું કહ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-04 21:03:18

 મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

જેમાં ASP વિકાસ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે , "પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર મેમો આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. સોશ્યિલ મીડિયામાં જે પણ ખબરો ચાલી રહી છે કે , પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે. અમારા સુધી હજુ કોઈ પણ અરજી નથી આવી. જો અરજી આવશે તો , તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એમને જે માર મારવામાં આવ્યો તે કોના દ્વારા માર મરાયો છે તે નથી ખબર પરંતુ પોલીસ દ્વારા માત્ર મેમો જ આપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશમાંથી CCTV પણ જાહેર કરવામાં આવશે. સામાજિક આગેવાનો જે પણ ફરિયાદ કરી રહ્યા છે તેઓ સૌપ્રથમ FIR નોંધાવે તે પછી જ અમે તપાસ કરીશું." આમ મહીસાગર ASP વિકાસ યાદવે પોલીસ પર થયેલા તમામ આરોપો નકારી દીધા છે. 

ગાડીમાં માત્ર સીટબેલ્ટ ના પહેરવાના મુદ્દે , ડિટવાસના મહિલા PSI દ્વારા માર મારવાના આક્ષેપો થયા હતા . ભોગ બનનાર વ્યક્તિનું નામ છે , મોહન પગી. જેમને માર માર્યાના ફોટોસ હવે સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. મહીસાગર પોલીસની કામગીરી સતત પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. કેમકે , તે અગાઉ પોલીસ દ્વારા રાવળ સમાજના વ્યક્તિ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા હતા. 



ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.