મહીસાગરમાં આદિવાસી યુવકને માર માર્યાના કેસમાં પોલીસે શું કહ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-04 21:03:18

 મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

જેમાં ASP વિકાસ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે , "પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર મેમો આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. સોશ્યિલ મીડિયામાં જે પણ ખબરો ચાલી રહી છે કે , પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે. અમારા સુધી હજુ કોઈ પણ અરજી નથી આવી. જો અરજી આવશે તો , તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એમને જે માર મારવામાં આવ્યો તે કોના દ્વારા માર મરાયો છે તે નથી ખબર પરંતુ પોલીસ દ્વારા માત્ર મેમો જ આપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશમાંથી CCTV પણ જાહેર કરવામાં આવશે. સામાજિક આગેવાનો જે પણ ફરિયાદ કરી રહ્યા છે તેઓ સૌપ્રથમ FIR નોંધાવે તે પછી જ અમે તપાસ કરીશું." આમ મહીસાગર ASP વિકાસ યાદવે પોલીસ પર થયેલા તમામ આરોપો નકારી દીધા છે. 

ગાડીમાં માત્ર સીટબેલ્ટ ના પહેરવાના મુદ્દે , ડિટવાસના મહિલા PSI દ્વારા માર મારવાના આક્ષેપો થયા હતા . ભોગ બનનાર વ્યક્તિનું નામ છે , મોહન પગી. જેમને માર માર્યાના ફોટોસ હવે સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. મહીસાગર પોલીસની કામગીરી સતત પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. કેમકે , તે અગાઉ પોલીસ દ્વારા રાવળ સમાજના વ્યક્તિ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા હતા. 



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.