મહીસાગરમાં આદિવાસી યુવકને માર માર્યાના કેસમાં પોલીસે શું કહ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-04 21:03:18

 મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

જેમાં ASP વિકાસ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે , "પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર મેમો આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. સોશ્યિલ મીડિયામાં જે પણ ખબરો ચાલી રહી છે કે , પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે. અમારા સુધી હજુ કોઈ પણ અરજી નથી આવી. જો અરજી આવશે તો , તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એમને જે માર મારવામાં આવ્યો તે કોના દ્વારા માર મરાયો છે તે નથી ખબર પરંતુ પોલીસ દ્વારા માત્ર મેમો જ આપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશમાંથી CCTV પણ જાહેર કરવામાં આવશે. સામાજિક આગેવાનો જે પણ ફરિયાદ કરી રહ્યા છે તેઓ સૌપ્રથમ FIR નોંધાવે તે પછી જ અમે તપાસ કરીશું." આમ મહીસાગર ASP વિકાસ યાદવે પોલીસ પર થયેલા તમામ આરોપો નકારી દીધા છે. 

ગાડીમાં માત્ર સીટબેલ્ટ ના પહેરવાના મુદ્દે , ડિટવાસના મહિલા PSI દ્વારા માર મારવાના આક્ષેપો થયા હતા . ભોગ બનનાર વ્યક્તિનું નામ છે , મોહન પગી. જેમને માર માર્યાના ફોટોસ હવે સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. મહીસાગર પોલીસની કામગીરી સતત પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. કેમકે , તે અગાઉ પોલીસ દ્વારા રાવળ સમાજના વ્યક્તિ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા હતા. 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.