"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આજે ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ સ્પેશ્યલ ડાઈરેકટર યશોવર્ધન આઝાદ અને પેલેટગનથી ઘાયલ બે પ્રદર્શનકારીઓની પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે.

આ સુનાવણી દરમ્યાન , સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે,
- " પેલેટ ગનના ઉપયોગને લઇને SOP એટલે કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું છે?"
- " એટલુંજ નહિ બળપ્રયોગ જે કરવામાં આવ્યો તેને લઇને આખી પ્રક્રિયા ઓન રેકોર્ડ મુકવામાં આવે. "

હવે આપણે જાણીએ કે, અરજીકર્તા યશોવર્ધન આઝાદ દ્વારા શું માંગણી કરવામાં આવી?
- પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે
- આ ઉપરાંત , વિધાર્થી આંદોલનમાં જે પીડિતો છે તેમને વળતર આપવામાં આવે
સુનાવણી દરમ્યાન અરજીકર્તા તરફથી વકીલ વૃંદા ગ્રોવર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘાયલ વિધાર્થીઓના શરીરમાંથી મેટાલિક પેલેટ નીકાળવામાં આવ્યા છે. જયારે દિલ્હી પોલીસની SOPમાં રબર બુલેટ અને પ્લાસ્ટિક પેલેટ જેવા ઓછા ઘાતક વિકલ્પોનો ઉલ્લેખ છે, મેટાલિક પેલેટનો ઉપયોગ કરવાની અનુમતિ નથી. આ ઉપરાંત, બળપ્રયોગ માટે "ગ્રેડેડ રિસ્પોન્સ"નું પાલન નથી કરવામાં આવ્યું. ન્યાયમૂર્તિ બાગચી દ્વારા કહેવામાં આવ્યું છે કે, "સામાન્ય માણસોની ભીડને વિખેરવા માટે પેલેટ ગનના ઉપયોગ પર રોક લગાવવાની માંગ અસ્પષ્ટ છે. બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એડવાઈઝરીના નિયમો અંતર્ગત પોલીસ વિશેષ પરિસ્થિતિઓમાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકે છે. તમે હવે પોલીસના આ નિયમોને પડકાર ના ફેંકી શકો. ગ્રેડેડ રિસ્પોન્સ અંતર્ગત એક પગલું પેલેટ ગનના ઉપયોગનું છે." હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી રેપિડ એક્શન ફોર્સની હાજરી અને ગોળા બારૂદના ઉપયોગ પર રેકોર્ડ માંગ્યા છે.






.jpg)








