ગુજરાત હાઇકોર્ટે ચોટીલાના નાયબ મામલતદારની ઝાટકણી કાઢી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-03 20:59:32

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. 

Chotila Taleti Mega Demolition Administration Removes Encroachments VIDEOS

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા ખુબ મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં , ચામુંડા માતાજીના ડુંગર મહંત પરિવાર તથા નવગ્રહ પૂજારી પરિવારના શ્રી મનસુખગિરી ગોસાઈના પક્ષ દ્વારા ચોટીલામાં દબાણ હટાવવાની કામગીરીનો આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પર કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત , શ્રદ્ધાના કેન્દ્રો અને સામાન્ય લોકોના બાંધકામો પર ઉતાવળે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આ ઉપરાંત , તંત્ર , રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાંન કરી રહ્યું છે. તેવા આરોપો તંત્ર પર લગાડવામાં આવ્યા છે. તો હવે , ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી દરમ્યાન હાજર ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. આ ઉપરાંત જજ નિરલ આર મેહતા દ્વારા ખુબ વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે , " તમારી કેટલા વર્ષની નોકરી થઈ છે અને કેટલા વર્ષની બાકી છે? "  " શું તમારે , શાંતિથી નોકરી પુરી કરવી છે કે નહિ?" અદાલતે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે , કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને અને પૂરતી નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કેમ કરવામાં આવી? આ સાથે જ જજ નિરલ આર મહેતાએ ડેપ્યુટી મામલતદારને નોટિસ પાઠવી પૂછ્યું છે કે , " તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ કેમ શરુ ન કરવી જોઈએ?" 

Chotila Highway Government Land Encroachment Removal Hotels Demolished

હવે આ સમગ્ર મામલે , આવતા અઠવાડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આ કડક વલણ પછી , વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે મામલતદાર પાસે ખુલાસો માંગ્યો છે? તો હવે જોવાનું એ રહે છે કે , આગામી અઠવાડીએ કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવશે? 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.