ગુજરાત હાઇકોર્ટે ચોટીલાના નાયબ મામલતદારની ઝાટકણી કાઢી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-03 20:59:32

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. 

Chotila Taleti Mega Demolition Administration Removes Encroachments VIDEOS

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા ખુબ મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં , ચામુંડા માતાજીના ડુંગર મહંત પરિવાર તથા નવગ્રહ પૂજારી પરિવારના શ્રી મનસુખગિરી ગોસાઈના પક્ષ દ્વારા ચોટીલામાં દબાણ હટાવવાની કામગીરીનો આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પર કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત , શ્રદ્ધાના કેન્દ્રો અને સામાન્ય લોકોના બાંધકામો પર ઉતાવળે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આ ઉપરાંત , તંત્ર , રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાંન કરી રહ્યું છે. તેવા આરોપો તંત્ર પર લગાડવામાં આવ્યા છે. તો હવે , ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી દરમ્યાન હાજર ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. આ ઉપરાંત જજ નિરલ આર મેહતા દ્વારા ખુબ વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે , " તમારી કેટલા વર્ષની નોકરી થઈ છે અને કેટલા વર્ષની બાકી છે? "  " શું તમારે , શાંતિથી નોકરી પુરી કરવી છે કે નહિ?" અદાલતે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે , કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને અને પૂરતી નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કેમ કરવામાં આવી? આ સાથે જ જજ નિરલ આર મહેતાએ ડેપ્યુટી મામલતદારને નોટિસ પાઠવી પૂછ્યું છે કે , " તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ કેમ શરુ ન કરવી જોઈએ?" 

Chotila Highway Government Land Encroachment Removal Hotels Demolished

હવે આ સમગ્ર મામલે , આવતા અઠવાડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આ કડક વલણ પછી , વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે મામલતદાર પાસે ખુલાસો માંગ્યો છે? તો હવે જોવાનું એ રહે છે કે , આગામી અઠવાડીએ કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવશે? 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.