ગુજરાત હાઇકોર્ટે ચોટીલાના નાયબ મામલતદારની ઝાટકણી કાઢી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-03 20:59:32

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. 

Chotila Taleti Mega Demolition Administration Removes Encroachments VIDEOS

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા ખુબ મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં , ચામુંડા માતાજીના ડુંગર મહંત પરિવાર તથા નવગ્રહ પૂજારી પરિવારના શ્રી મનસુખગિરી ગોસાઈના પક્ષ દ્વારા ચોટીલામાં દબાણ હટાવવાની કામગીરીનો આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પર કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત , શ્રદ્ધાના કેન્દ્રો અને સામાન્ય લોકોના બાંધકામો પર ઉતાવળે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આ ઉપરાંત , તંત્ર , રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાંન કરી રહ્યું છે. તેવા આરોપો તંત્ર પર લગાડવામાં આવ્યા છે. તો હવે , ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી દરમ્યાન હાજર ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. આ ઉપરાંત જજ નિરલ આર મેહતા દ્વારા ખુબ વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે , " તમારી કેટલા વર્ષની નોકરી થઈ છે અને કેટલા વર્ષની બાકી છે? "  " શું તમારે , શાંતિથી નોકરી પુરી કરવી છે કે નહિ?" અદાલતે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે , કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને અને પૂરતી નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કેમ કરવામાં આવી? આ સાથે જ જજ નિરલ આર મહેતાએ ડેપ્યુટી મામલતદારને નોટિસ પાઠવી પૂછ્યું છે કે , " તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ કેમ શરુ ન કરવી જોઈએ?" 

Chotila Highway Government Land Encroachment Removal Hotels Demolished

હવે આ સમગ્ર મામલે , આવતા અઠવાડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આ કડક વલણ પછી , વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે મામલતદાર પાસે ખુલાસો માંગ્યો છે? તો હવે જોવાનું એ રહે છે કે , આગામી અઠવાડીએ કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવશે? 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.