ગુજરાત હાઇકોર્ટે ચોટીલાના નાયબ મામલતદારની ઝાટકણી કાઢી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-03 20:59:32

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. 

Chotila Taleti Mega Demolition Administration Removes Encroachments VIDEOS

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા ખુબ મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં , ચામુંડા માતાજીના ડુંગર મહંત પરિવાર તથા નવગ્રહ પૂજારી પરિવારના શ્રી મનસુખગિરી ગોસાઈના પક્ષ દ્વારા ચોટીલામાં દબાણ હટાવવાની કામગીરીનો આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પર કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત , શ્રદ્ધાના કેન્દ્રો અને સામાન્ય લોકોના બાંધકામો પર ઉતાવળે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આ ઉપરાંત , તંત્ર , રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાંન કરી રહ્યું છે. તેવા આરોપો તંત્ર પર લગાડવામાં આવ્યા છે. તો હવે , ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી દરમ્યાન હાજર ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. આ ઉપરાંત જજ નિરલ આર મેહતા દ્વારા ખુબ વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે , " તમારી કેટલા વર્ષની નોકરી થઈ છે અને કેટલા વર્ષની બાકી છે? "  " શું તમારે , શાંતિથી નોકરી પુરી કરવી છે કે નહિ?" અદાલતે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે , કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને અને પૂરતી નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કેમ કરવામાં આવી? આ સાથે જ જજ નિરલ આર મહેતાએ ડેપ્યુટી મામલતદારને નોટિસ પાઠવી પૂછ્યું છે કે , " તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ કેમ શરુ ન કરવી જોઈએ?" 

Chotila Highway Government Land Encroachment Removal Hotels Demolished

હવે આ સમગ્ર મામલે , આવતા અઠવાડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આ કડક વલણ પછી , વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે મામલતદાર પાસે ખુલાસો માંગ્યો છે? તો હવે જોવાનું એ રહે છે કે , આગામી અઠવાડીએ કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવશે? 



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.