ઇસ્લામાબાદમાં બૉમ્બ વિસ્ફોટથી દહેશતનો માહોલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-06 20:36:50

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

Suicide bombing in Islamabad kills 12, says Pakistan's interior minister

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. જેના લીધે , રાજધાની ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. આ હુમલો થયો તે પછી , પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચીને , આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યારસુધીમાં આ હુમલા પાછળનું કારણ સામે નથી આવ્યું. આ ઉપરાંત , કોઈ પણ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. HTN ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર , એક અજાણી વ્યક્તિએ મસ્જિદના ગેટ પર પોતાને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  માટે આ ફિદાયીન હુમલો છે. મસ્જીદમા ૧ વાગે લોકો નમાજ કરવા માટે ભેગા થવા લાગ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો વ્યક્તિ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેવો જ તેને ગેર પર તેની તપાસ કરવા માટે રોક્યો હતો ને તેણે પોતાની જાતને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  

Updates: Pakistan blames India for deadly Islamabad bomb blast | News | Al  Jazeera

વાત કરીએ , પાકિસ્તાનની રાજધાની ઇસ્લામબાદની તો , આજથી ત્રણ મહિના પહેલા , ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ , શહેરના G ૧૧ નામના વિસ્તારમાં આવેલી ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટની બહાર ભયંકર બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ભારત પર ઢોળવાની કોશિશ કરી હતી પરંતુ , ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો નકારી દીધી હતી. 




એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.