ઇસ્લામાબાદમાં બૉમ્બ વિસ્ફોટથી દહેશતનો માહોલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-06 20:36:50

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

Suicide bombing in Islamabad kills 12, says Pakistan's interior minister

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. જેના લીધે , રાજધાની ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. આ હુમલો થયો તે પછી , પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચીને , આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યારસુધીમાં આ હુમલા પાછળનું કારણ સામે નથી આવ્યું. આ ઉપરાંત , કોઈ પણ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. HTN ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર , એક અજાણી વ્યક્તિએ મસ્જિદના ગેટ પર પોતાને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  માટે આ ફિદાયીન હુમલો છે. મસ્જીદમા ૧ વાગે લોકો નમાજ કરવા માટે ભેગા થવા લાગ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો વ્યક્તિ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેવો જ તેને ગેર પર તેની તપાસ કરવા માટે રોક્યો હતો ને તેણે પોતાની જાતને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  

Updates: Pakistan blames India for deadly Islamabad bomb blast | News | Al  Jazeera

વાત કરીએ , પાકિસ્તાનની રાજધાની ઇસ્લામબાદની તો , આજથી ત્રણ મહિના પહેલા , ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ , શહેરના G ૧૧ નામના વિસ્તારમાં આવેલી ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટની બહાર ભયંકર બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ભારત પર ઢોળવાની કોશિશ કરી હતી પરંતુ , ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો નકારી દીધી હતી. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.