આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. જેના લીધે , રાજધાની ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. આ હુમલો થયો તે પછી , પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચીને , આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યારસુધીમાં આ હુમલા પાછળનું કારણ સામે નથી આવ્યું. આ ઉપરાંત , કોઈ પણ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. HTN ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર , એક અજાણી વ્યક્તિએ મસ્જિદના ગેટ પર પોતાને બૉમ્બથી ઉડાવી દીધી હતી. માટે આ ફિદાયીન હુમલો છે. મસ્જીદમા ૧ વાગે લોકો નમાજ કરવા માટે ભેગા થવા લાગ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો વ્યક્તિ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેવો જ તેને ગેર પર તેની તપાસ કરવા માટે રોક્યો હતો ને તેણે પોતાની જાતને બૉમ્બથી ઉડાવી દીધી હતી.

વાત કરીએ , પાકિસ્તાનની રાજધાની ઇસ્લામબાદની તો , આજથી ત્રણ મહિના પહેલા , ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ , શહેરના G ૧૧ નામના વિસ્તારમાં આવેલી ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટની બહાર ભયંકર બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ભારત પર ઢોળવાની કોશિશ કરી હતી પરંતુ , ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો નકારી દીધી હતી.






.jpg)








