ઇસ્લામાબાદમાં બૉમ્બ વિસ્ફોટથી દહેશતનો માહોલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-06 20:36:50

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

Suicide bombing in Islamabad kills 12, says Pakistan's interior minister

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. જેના લીધે , રાજધાની ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. આ હુમલો થયો તે પછી , પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચીને , આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યારસુધીમાં આ હુમલા પાછળનું કારણ સામે નથી આવ્યું. આ ઉપરાંત , કોઈ પણ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. HTN ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર , એક અજાણી વ્યક્તિએ મસ્જિદના ગેટ પર પોતાને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  માટે આ ફિદાયીન હુમલો છે. મસ્જીદમા ૧ વાગે લોકો નમાજ કરવા માટે ભેગા થવા લાગ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો વ્યક્તિ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેવો જ તેને ગેર પર તેની તપાસ કરવા માટે રોક્યો હતો ને તેણે પોતાની જાતને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  

Updates: Pakistan blames India for deadly Islamabad bomb blast | News | Al  Jazeera

વાત કરીએ , પાકિસ્તાનની રાજધાની ઇસ્લામબાદની તો , આજથી ત્રણ મહિના પહેલા , ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ , શહેરના G ૧૧ નામના વિસ્તારમાં આવેલી ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટની બહાર ભયંકર બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ભારત પર ઢોળવાની કોશિશ કરી હતી પરંતુ , ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો નકારી દીધી હતી. 




આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.