ગોંડલમાં શારીરિક કસોટી દરમ્યાન નીતિનસિંહ ચૌહાણે જીવ ગુમાવ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-02 23:27:43

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસનો ભાગ બનવા માંગતા યુવાનો માટે હાલમાં PSI અને LRD માટે , શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલના ગ્રાઉન્ડ પર એક યુવાને આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે.  આ આશાસ્પદ યુવાનનું નામ છે નીતિન સિંહ ચૌહાણ કે જેનું રનિંગ પૂર્ણ થયા બાદ હાર્ટ અટેકથી તેમનું નિધન થયું છે. નીતિનસિંહ ચૌહાણે આ દોડ માત્ર ૨૩ મિનિટમાં પૂર્ણ કરી હતી. તેમના લગ્નને થયે હજુ ૧ વર્ષ પૂરું થયું હતું. તેમણે BSC અને MSC પૂરું કર્યું હતું.  તો આ અગાઉ, ભરૂચ અને ગોધરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ગુજરાત પોલીસ વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે યુવાનોને તૈયારીની સલાહ આપવી જોઈએ, જેમ કે નિયમિત વ્યાયામ, આરોગ્યસ્વરૂપ આહાર અને તણાવ વ્યવસ્થાપન. આ ઉપરાંત, ભરતીમાં ભાગ લેતા ઉમેદવારોને પૂર્વ તબીબી તપાસ ફરજીયાત પણે લાગુ કરવું જોઈએ, જેથી આવા અકસ્માતો ટાળી શકાય. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસની શારીરિક કસોટીમાં 1600 મીટરની દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ હૃદય રોગના જોખમો વધારી શકે છે. નિષ્ણાતોના મતે, ભરતી પહેલાં હાર્ટ ચેકઅપ, ઇસીજી અને ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત, ભરતી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા તો છે જ, પરંતુ તેનો વધુ અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. રાજ્યના 15 સ્થળો પર LRD- લોકરક્ષક અને PSI પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની કુલ 13591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે. ત્યારે 13591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 



નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આશ્રમના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરી છે.