ગોંડલમાં શારીરિક કસોટી દરમ્યાન નીતિનસિંહ ચૌહાણે જીવ ગુમાવ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-02 23:27:43

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસનો ભાગ બનવા માંગતા યુવાનો માટે હાલમાં PSI અને LRD માટે , શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલના ગ્રાઉન્ડ પર એક યુવાને આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે.  આ આશાસ્પદ યુવાનનું નામ છે નીતિન સિંહ ચૌહાણ કે જેનું રનિંગ પૂર્ણ થયા બાદ હાર્ટ અટેકથી તેમનું નિધન થયું છે. નીતિનસિંહ ચૌહાણે આ દોડ માત્ર ૨૩ મિનિટમાં પૂર્ણ કરી હતી. તેમના લગ્નને થયે હજુ ૧ વર્ષ પૂરું થયું હતું. તેમણે BSC અને MSC પૂરું કર્યું હતું.  તો આ અગાઉ, ભરૂચ અને ગોધરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ગુજરાત પોલીસ વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે યુવાનોને તૈયારીની સલાહ આપવી જોઈએ, જેમ કે નિયમિત વ્યાયામ, આરોગ્યસ્વરૂપ આહાર અને તણાવ વ્યવસ્થાપન. આ ઉપરાંત, ભરતીમાં ભાગ લેતા ઉમેદવારોને પૂર્વ તબીબી તપાસ ફરજીયાત પણે લાગુ કરવું જોઈએ, જેથી આવા અકસ્માતો ટાળી શકાય. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસની શારીરિક કસોટીમાં 1600 મીટરની દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ હૃદય રોગના જોખમો વધારી શકે છે. નિષ્ણાતોના મતે, ભરતી પહેલાં હાર્ટ ચેકઅપ, ઇસીજી અને ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત, ભરતી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા તો છે જ, પરંતુ તેનો વધુ અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. રાજ્યના 15 સ્થળો પર LRD- લોકરક્ષક અને PSI પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની કુલ 13591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે. ત્યારે 13591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.