ગોંડલમાં શારીરિક કસોટી દરમ્યાન નીતિનસિંહ ચૌહાણે જીવ ગુમાવ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-02 23:27:43

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસનો ભાગ બનવા માંગતા યુવાનો માટે હાલમાં PSI અને LRD માટે , શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલના ગ્રાઉન્ડ પર એક યુવાને આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે.  આ આશાસ્પદ યુવાનનું નામ છે નીતિન સિંહ ચૌહાણ કે જેનું રનિંગ પૂર્ણ થયા બાદ હાર્ટ અટેકથી તેમનું નિધન થયું છે. નીતિનસિંહ ચૌહાણે આ દોડ માત્ર ૨૩ મિનિટમાં પૂર્ણ કરી હતી. તેમના લગ્નને થયે હજુ ૧ વર્ષ પૂરું થયું હતું. તેમણે BSC અને MSC પૂરું કર્યું હતું.  તો આ અગાઉ, ભરૂચ અને ગોધરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ગુજરાત પોલીસ વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે યુવાનોને તૈયારીની સલાહ આપવી જોઈએ, જેમ કે નિયમિત વ્યાયામ, આરોગ્યસ્વરૂપ આહાર અને તણાવ વ્યવસ્થાપન. આ ઉપરાંત, ભરતીમાં ભાગ લેતા ઉમેદવારોને પૂર્વ તબીબી તપાસ ફરજીયાત પણે લાગુ કરવું જોઈએ, જેથી આવા અકસ્માતો ટાળી શકાય. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસની શારીરિક કસોટીમાં 1600 મીટરની દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ હૃદય રોગના જોખમો વધારી શકે છે. નિષ્ણાતોના મતે, ભરતી પહેલાં હાર્ટ ચેકઅપ, ઇસીજી અને ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત, ભરતી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા તો છે જ, પરંતુ તેનો વધુ અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. રાજ્યના 15 સ્થળો પર LRD- લોકરક્ષક અને PSI પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની કુલ 13591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે. ત્યારે 13591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.