ગોંડલમાં શારીરિક કસોટી દરમ્યાન નીતિનસિંહ ચૌહાણે જીવ ગુમાવ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-02 23:27:43

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસનો ભાગ બનવા માંગતા યુવાનો માટે હાલમાં PSI અને LRD માટે , શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલના ગ્રાઉન્ડ પર એક યુવાને આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે.  આ આશાસ્પદ યુવાનનું નામ છે નીતિન સિંહ ચૌહાણ કે જેનું રનિંગ પૂર્ણ થયા બાદ હાર્ટ અટેકથી તેમનું નિધન થયું છે. નીતિનસિંહ ચૌહાણે આ દોડ માત્ર ૨૩ મિનિટમાં પૂર્ણ કરી હતી. તેમના લગ્નને થયે હજુ ૧ વર્ષ પૂરું થયું હતું. તેમણે BSC અને MSC પૂરું કર્યું હતું.  તો આ અગાઉ, ભરૂચ અને ગોધરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ગુજરાત પોલીસ વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે યુવાનોને તૈયારીની સલાહ આપવી જોઈએ, જેમ કે નિયમિત વ્યાયામ, આરોગ્યસ્વરૂપ આહાર અને તણાવ વ્યવસ્થાપન. આ ઉપરાંત, ભરતીમાં ભાગ લેતા ઉમેદવારોને પૂર્વ તબીબી તપાસ ફરજીયાત પણે લાગુ કરવું જોઈએ, જેથી આવા અકસ્માતો ટાળી શકાય. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસની શારીરિક કસોટીમાં 1600 મીટરની દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ હૃદય રોગના જોખમો વધારી શકે છે. નિષ્ણાતોના મતે, ભરતી પહેલાં હાર્ટ ચેકઅપ, ઇસીજી અને ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત, ભરતી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા તો છે જ, પરંતુ તેનો વધુ અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. રાજ્યના 15 સ્થળો પર LRD- લોકરક્ષક અને PSI પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની કુલ 13591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે. ત્યારે 13591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.