તારક મહેતા શોમાં ચંપક ચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ થયા ઈજાગ્રસ્ત, બેડ રેસ્ટ હોવાને કારણે નથી કરી રહ્યા શુટિંગ


  • Published By :
  • Published Date : 2022-11-18 14:44:48

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આપણા જીવનમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દરેક વયના લોકોને આ શો ગમતો હોય છે. ત્યારે તારક મહેતામાં બાપુજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને ઈજાઓ પહોંચી છે. સુટિંગ દરમિયાન ચાચાજી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાઓ પહોંચતા ચંપક ચાચાને બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે જેને કારણે તેઓ હાલ શુટિંગ નથી કરી રહ્યા. તારક મહેતા

દોડતી વખતે બેલેન્સ ગુમાવતા થયા ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાને એક સીનમાં ભાગવાનું હતું. ભાગતી વખતે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું જેને કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજા પહોંચતા તેઓ હાલ શૂટિંગ નથી કરી રહ્યા. બેલેન્સ ગુમાવી દેતા તેઓ પડી ગયા હતા. ઈજા પહોંચતા તેમને ડોક્ટરને આરામ કરવાની સલાહ આપી છે.                  

અનેક કિરદારોએ છોડી દીધો છે શો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે. દયાભાભી તો છેલ્લા કેટલાય વર્ષોથી શોમાં દેખાઈ નથી. તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું. અનેક લોકપ્રિય અભિનેતાઓએ શોને છોડી રહ્યા છે જેને કારણે પહેલા જેવો રંગ જામતો નથી તેવી ફરિયાદો દર્શકો કરી રહ્યા છે.  





ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .