તારક મહેતા શોમાં ચંપક ચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ થયા ઈજાગ્રસ્ત, બેડ રેસ્ટ હોવાને કારણે નથી કરી રહ્યા શુટિંગ


  • Published By :
  • Published Date : 2022-11-18 14:44:48

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આપણા જીવનમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દરેક વયના લોકોને આ શો ગમતો હોય છે. ત્યારે તારક મહેતામાં બાપુજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને ઈજાઓ પહોંચી છે. સુટિંગ દરમિયાન ચાચાજી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાઓ પહોંચતા ચંપક ચાચાને બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે જેને કારણે તેઓ હાલ શુટિંગ નથી કરી રહ્યા. તારક મહેતા

દોડતી વખતે બેલેન્સ ગુમાવતા થયા ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાને એક સીનમાં ભાગવાનું હતું. ભાગતી વખતે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું જેને કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજા પહોંચતા તેઓ હાલ શૂટિંગ નથી કરી રહ્યા. બેલેન્સ ગુમાવી દેતા તેઓ પડી ગયા હતા. ઈજા પહોંચતા તેમને ડોક્ટરને આરામ કરવાની સલાહ આપી છે.                  

અનેક કિરદારોએ છોડી દીધો છે શો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે. દયાભાભી તો છેલ્લા કેટલાય વર્ષોથી શોમાં દેખાઈ નથી. તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું. અનેક લોકપ્રિય અભિનેતાઓએ શોને છોડી રહ્યા છે જેને કારણે પહેલા જેવો રંગ જામતો નથી તેવી ફરિયાદો દર્શકો કરી રહ્યા છે.  





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .