તારક મહેતા શોમાં ચંપક ચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ થયા ઈજાગ્રસ્ત, બેડ રેસ્ટ હોવાને કારણે નથી કરી રહ્યા શુટિંગ


  • Published By :
  • Published Date : 2022-11-18 14:44:48

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આપણા જીવનમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દરેક વયના લોકોને આ શો ગમતો હોય છે. ત્યારે તારક મહેતામાં બાપુજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને ઈજાઓ પહોંચી છે. સુટિંગ દરમિયાન ચાચાજી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાઓ પહોંચતા ચંપક ચાચાને બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે જેને કારણે તેઓ હાલ શુટિંગ નથી કરી રહ્યા. તારક મહેતા

દોડતી વખતે બેલેન્સ ગુમાવતા થયા ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાને એક સીનમાં ભાગવાનું હતું. ભાગતી વખતે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું જેને કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજા પહોંચતા તેઓ હાલ શૂટિંગ નથી કરી રહ્યા. બેલેન્સ ગુમાવી દેતા તેઓ પડી ગયા હતા. ઈજા પહોંચતા તેમને ડોક્ટરને આરામ કરવાની સલાહ આપી છે.                  

અનેક કિરદારોએ છોડી દીધો છે શો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે. દયાભાભી તો છેલ્લા કેટલાય વર્ષોથી શોમાં દેખાઈ નથી. તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું. અનેક લોકપ્રિય અભિનેતાઓએ શોને છોડી રહ્યા છે જેને કારણે પહેલા જેવો રંગ જામતો નથી તેવી ફરિયાદો દર્શકો કરી રહ્યા છે.  





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.