તારક મહેતા શોમાં ચંપક ચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ થયા ઈજાગ્રસ્ત, બેડ રેસ્ટ હોવાને કારણે નથી કરી રહ્યા શુટિંગ


  • Published By :
  • Published Date : 2022-11-18 14:44:48

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આપણા જીવનમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દરેક વયના લોકોને આ શો ગમતો હોય છે. ત્યારે તારક મહેતામાં બાપુજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને ઈજાઓ પહોંચી છે. સુટિંગ દરમિયાન ચાચાજી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાઓ પહોંચતા ચંપક ચાચાને બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે જેને કારણે તેઓ હાલ શુટિંગ નથી કરી રહ્યા. તારક મહેતા

દોડતી વખતે બેલેન્સ ગુમાવતા થયા ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાને એક સીનમાં ભાગવાનું હતું. ભાગતી વખતે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું જેને કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજા પહોંચતા તેઓ હાલ શૂટિંગ નથી કરી રહ્યા. બેલેન્સ ગુમાવી દેતા તેઓ પડી ગયા હતા. ઈજા પહોંચતા તેમને ડોક્ટરને આરામ કરવાની સલાહ આપી છે.                  

અનેક કિરદારોએ છોડી દીધો છે શો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે. દયાભાભી તો છેલ્લા કેટલાય વર્ષોથી શોમાં દેખાઈ નથી. તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું. અનેક લોકપ્રિય અભિનેતાઓએ શોને છોડી રહ્યા છે જેને કારણે પહેલા જેવો રંગ જામતો નથી તેવી ફરિયાદો દર્શકો કરી રહ્યા છે.  





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી